પ્રધાનમંત્રી મોદીએ વિશાખાપટ્ટનમને 10,500 કરોડની ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-12 17:42:35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમને 10 હજાર 500 કરોડથી વધુ રૂપિયાની યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. વિપ્લવ વીરુડુ અલ્લુર સીતારામરાજુની 125મી જન્મ જયંતી નિમિતે સભા સંબોધી હતી. 

હવે વન નેશન વન ફર્ટીલાઈઝર હશેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પુનર્વિકાસની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં કુલ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 150 કરોડના ખર્ચે બનતા વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ છ માર્ગીય ગ્રીનફિલ્ડ રાયપુર- વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્રપ્રદેશ વિભાગનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.