પ્રધાનમંત્રી મોદીએ વિશાખાપટ્ટનમને 10,500 કરોડની ભેટ આપી


  • Published By :
  • Published Date : 2022-11-12 17:42:35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમને 10 હજાર 500 કરોડથી વધુ રૂપિયાની યોજનાનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. વિપ્લવ વીરુડુ અલ્લુર સીતારામરાજુની 125મી જન્મ જયંતી નિમિતે સભા સંબોધી હતી. 

હવે વન નેશન વન ફર્ટીલાઈઝર હશેઃ પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના પુનર્વિકાસની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. જેમાં કુલ 450 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 150 કરોડના ખર્ચે બનતા વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશનનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ છ માર્ગીય ગ્રીનફિલ્ડ રાયપુર- વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્રપ્રદેશ વિભાગનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.