રાજકોટમાં વડાપ્રધાન મોદી કરવાના છે રોડ શો અને જનસભા, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 18:27:39

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તારીખ જાહેર થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતમાં આવી ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવશે. તેમના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે 

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ રાજકોટ ખાતે આવી જનસભાને સંબોધવાના છે. એરપોર્ટ ખાતેથી શાસ્ત્રી મેદાન સુધી તેઓ રોડ શો કરવાના છે. અંદાજીત 3 કિલોમીટરની આ રેલી યોજાવાની છે. રેસકોર્સમાં જાહેર સભા માટેની તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. રેસકોર્સમાં જનસભા પણ સંબોધવાના છે. 


ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન 

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુજરાતને વિકાસના કામોની ભેટ આપતા હોય છે. આ પ્રવાસ દરમિયાન પણ કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદીજીના રોડ શો દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.