રાજકોટમાં વડાપ્રધાન મોદી કરવાના છે રોડ શો અને જનસભા, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 18:27:39

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તારીખ જાહેર થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતમાં આવી ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવશે. તેમના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે 

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ રાજકોટ ખાતે આવી જનસભાને સંબોધવાના છે. એરપોર્ટ ખાતેથી શાસ્ત્રી મેદાન સુધી તેઓ રોડ શો કરવાના છે. અંદાજીત 3 કિલોમીટરની આ રેલી યોજાવાની છે. રેસકોર્સમાં જાહેર સભા માટેની તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. રેસકોર્સમાં જનસભા પણ સંબોધવાના છે. 


ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન 

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુજરાતને વિકાસના કામોની ભેટ આપતા હોય છે. આ પ્રવાસ દરમિયાન પણ કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદીજીના રોડ શો દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે