રાજકોટમાં વડાપ્રધાન મોદી કરવાના છે રોડ શો અને જનસભા, તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 18:27:39

હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તારીખ જાહેર થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતમાં આવી ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવશે. તેમના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે 

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ રાજકોટ ખાતે આવી જનસભાને સંબોધવાના છે. એરપોર્ટ ખાતેથી શાસ્ત્રી મેદાન સુધી તેઓ રોડ શો કરવાના છે. અંદાજીત 3 કિલોમીટરની આ રેલી યોજાવાની છે. રેસકોર્સમાં જાહેર સભા માટેની તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. રેસકોર્સમાં જનસભા પણ સંબોધવાના છે. 


ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન 

પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુજરાતને વિકાસના કામોની ભેટ આપતા હોય છે. આ પ્રવાસ દરમિયાન પણ કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદીજીના રોડ શો દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .