વડાપ્રધાન મોદીના માતા હીરાબા થઈ રહ્યા છે સ્વસ્થ , જલ્દી મળી શકે છે હોસ્પિટલમાંથી રજા


  • Published By :
  • Published Date : 2022-12-29 11:35:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત અચાનક ગઈકાલે બગડી ગઈ હતી. જેને કારણે સારવાર માટે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત દોડી આવ્યા હતા. થોડા કલાકોની મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની સ્થિતિ સુધરી રહી છે. હાલ હીરાબાની તબિયત ઘણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 


એકાદ દિવસમાં હીરાબાને અપાશે રજા 

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પીએમ મોદીના માતાને દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક તેમની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડવાને કારણે પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત દાખલ કર્યા ત્યારથી ડોક્ટરની ટીમના સંપર્કમાં હતા. હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક સ્થળો પર, અનેક મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની તબિયત સુધારા પર છે. અને એકાદ દિવસમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.