વડાપ્રધાન મોદીના માતા હીરાબા થઈ રહ્યા છે સ્વસ્થ , જલ્દી મળી શકે છે હોસ્પિટલમાંથી રજા


  • Published By :
  • Published Date : 2022-12-29 11:35:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત અચાનક ગઈકાલે બગડી ગઈ હતી. જેને કારણે સારવાર માટે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત દોડી આવ્યા હતા. થોડા કલાકોની મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની સ્થિતિ સુધરી રહી છે. હાલ હીરાબાની તબિયત ઘણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 


એકાદ દિવસમાં હીરાબાને અપાશે રજા 

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પીએમ મોદીના માતાને દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક તેમની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડવાને કારણે પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત દાખલ કર્યા ત્યારથી ડોક્ટરની ટીમના સંપર્કમાં હતા. હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક સ્થળો પર, અનેક મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની તબિયત સુધારા પર છે. અને એકાદ દિવસમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.