વડાપ્રધાન મોદીના માતા હીરાબા થઈ રહ્યા છે સ્વસ્થ , જલ્દી મળી શકે છે હોસ્પિટલમાંથી રજા


  • Published By :
  • Published Date : 2022-12-29 11:35:25

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત અચાનક ગઈકાલે બગડી ગઈ હતી. જેને કારણે સારવાર માટે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત દોડી આવ્યા હતા. થોડા કલાકોની મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની સ્થિતિ સુધરી રહી છે. હાલ હીરાબાની તબિયત ઘણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. 


એકાદ દિવસમાં હીરાબાને અપાશે રજા 

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પીએમ મોદીના માતાને દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક તેમની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડવાને કારણે પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત દાખલ કર્યા ત્યારથી ડોક્ટરની ટીમના સંપર્કમાં હતા. હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક સ્થળો પર, અનેક મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની તબિયત સુધારા પર છે. અને એકાદ દિવસમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.