શું પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી એ સ્કૂલ નકલી હતી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 18:39:07

પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો હતો. અડાલજના જાણીતા ત્રીમંદિર દાદાનગર કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ એક નવનિર્મિત સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.


AAPએ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા


આમ આદમી પાર્ટીએ આ સ્કૂલ ઓફ એક્સેલન્સની તસવીરો વાયરલ કરી હતી. આ સ્કૂલની દિવાલો પર વોલ પેપર લગાવવામાં આવ્યું છે, ક્લાસમાં માત્ર 3 જ બેન્ચ છે. સ્કૂલના ક્લાસ બતાવી આમ આદમી પાર્ટીએ સરકારને સવાલ કર્યા હતા કે શું સરકાર આ પ્રકારની સ્કૂલો બનાવવા માગે છે.


સ્કૂલ ઓફ એક્સેલન્સ અંગે ભાજપનો જવાબ


આ સ્કૂલ અંગે આમ આદમી પાર્ટીએ કરેલા સવાલોનો જવાબ આપતા ભાજપના સુત્રોએ આ સ્કૂલને ડેમો ગણાવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર  આગામી 4-5 વર્ષમાં નવા 50 હજાર ક્લાસરૂમ બનાવશે જેમાંથી દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ હશે. 20 હજાર કોમ્પ્યુટર લેબ, અને 5 હજાર જેટલી અટલ ટિંકરિંગ લેબ્સ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પાછળ 5,567 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. આ અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ 5G ઈન્ટરનેટ સર્વિસ આધારીત સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થાથી સજ્જ હશે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.