શું પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી એ સ્કૂલ નકલી હતી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 18:39:07

પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો હતો. અડાલજના જાણીતા ત્રીમંદિર દાદાનગર કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ એક નવનિર્મિત સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.


AAPએ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા


આમ આદમી પાર્ટીએ આ સ્કૂલ ઓફ એક્સેલન્સની તસવીરો વાયરલ કરી હતી. આ સ્કૂલની દિવાલો પર વોલ પેપર લગાવવામાં આવ્યું છે, ક્લાસમાં માત્ર 3 જ બેન્ચ છે. સ્કૂલના ક્લાસ બતાવી આમ આદમી પાર્ટીએ સરકારને સવાલ કર્યા હતા કે શું સરકાર આ પ્રકારની સ્કૂલો બનાવવા માગે છે.


સ્કૂલ ઓફ એક્સેલન્સ અંગે ભાજપનો જવાબ


આ સ્કૂલ અંગે આમ આદમી પાર્ટીએ કરેલા સવાલોનો જવાબ આપતા ભાજપના સુત્રોએ આ સ્કૂલને ડેમો ગણાવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર  આગામી 4-5 વર્ષમાં નવા 50 હજાર ક્લાસરૂમ બનાવશે જેમાંથી દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ હશે. 20 હજાર કોમ્પ્યુટર લેબ, અને 5 હજાર જેટલી અટલ ટિંકરિંગ લેબ્સ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પાછળ 5,567 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. આ અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ 5G ઈન્ટરનેટ સર્વિસ આધારીત સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થાથી સજ્જ હશે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.