શું પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી એ સ્કૂલ નકલી હતી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-19 18:39:07

પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો હતો. અડાલજના જાણીતા ત્રીમંદિર દાદાનગર કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ એક નવનિર્મિત સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.


AAPએ સ્કૂલ પર સવાલ ઉઠાવ્યા


આમ આદમી પાર્ટીએ આ સ્કૂલ ઓફ એક્સેલન્સની તસવીરો વાયરલ કરી હતી. આ સ્કૂલની દિવાલો પર વોલ પેપર લગાવવામાં આવ્યું છે, ક્લાસમાં માત્ર 3 જ બેન્ચ છે. સ્કૂલના ક્લાસ બતાવી આમ આદમી પાર્ટીએ સરકારને સવાલ કર્યા હતા કે શું સરકાર આ પ્રકારની સ્કૂલો બનાવવા માગે છે.


સ્કૂલ ઓફ એક્સેલન્સ અંગે ભાજપનો જવાબ


આ સ્કૂલ અંગે આમ આદમી પાર્ટીએ કરેલા સવાલોનો જવાબ આપતા ભાજપના સુત્રોએ આ સ્કૂલને ડેમો ગણાવી છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજ્ય સરકાર  આગામી 4-5 વર્ષમાં નવા 50 હજાર ક્લાસરૂમ બનાવશે જેમાંથી દોઢ લાખ સ્માર્ટ ક્લાસરૂમ હશે. 20 હજાર કોમ્પ્યુટર લેબ, અને 5 હજાર જેટલી અટલ ટિંકરિંગ લેબ્સ પણ ઉભી કરવામાં આવશે. રાજ્ય સરકાર આ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પાછળ 5,567 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરશે. આ અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલ 5G ઈન્ટરનેટ સર્વિસ આધારીત સ્માર્ટ ક્લાસરૂમ, સ્માર્ટ શિક્ષણ વ્યવસ્થાથી સજ્જ હશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.