ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-09 13:34:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ગઈકાલે પીએમ  મોદી ગુજરાત આવી ગયા હતા. ગાંધીનગર ખાતે તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે સવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે બેઠક કરવાના છે.  


2024માં યોજાનારી ચૂંટણીને લઈ ઘડાઈ શકે છે રણનીતિ  

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ જોવા આવ્યા હતા. થોડા કલાકો સ્ટેડિયમમાં વિતાવી બંને દેશના વડાપ્રધાન જતા રહ્યા હતા. અમદાવાદથી સીધા વડાપ્રધાન મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત મેળવ્યા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પીએમ મોદી મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તેમજ રત્નાકર રાજભવન પહોંચી ગયા છે. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પણ રણનીતિ બનાવામાં આવી શકે છે. બેઠક બાદ બપોરના સમયે ફરી દિલ્હી જવા રવાના થઈ શકે છે.         


 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.