ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-09 13:34:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ગઈકાલે પીએમ  મોદી ગુજરાત આવી ગયા હતા. ગાંધીનગર ખાતે તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે સવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે બેઠક કરવાના છે.  


2024માં યોજાનારી ચૂંટણીને લઈ ઘડાઈ શકે છે રણનીતિ  

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ જોવા આવ્યા હતા. થોડા કલાકો સ્ટેડિયમમાં વિતાવી બંને દેશના વડાપ્રધાન જતા રહ્યા હતા. અમદાવાદથી સીધા વડાપ્રધાન મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત મેળવ્યા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પીએમ મોદી મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તેમજ રત્નાકર રાજભવન પહોંચી ગયા છે. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પણ રણનીતિ બનાવામાં આવી શકે છે. બેઠક બાદ બપોરના સમયે ફરી દિલ્હી જવા રવાના થઈ શકે છે.         


 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.