ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે કરશે બેઠક


  • Published By :
  • Published Date : 2023-03-09 13:34:00

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચને નિહાળવા ઓસ્ટ્રેલિયા તેમજ ભારતના વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યા છે. ગઈકાલે પીએમ  મોદી ગુજરાત આવી ગયા હતા. ગાંધીનગર ખાતે તેમણે રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે સવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા. મેચ બાદ પીએમ મોદી ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સાથે બેઠક કરવાના છે.  


2024માં યોજાનારી ચૂંટણીને લઈ ઘડાઈ શકે છે રણનીતિ  

અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ જોવા આવ્યા હતા. થોડા કલાકો સ્ટેડિયમમાં વિતાવી બંને દેશના વડાપ્રધાન જતા રહ્યા હતા. અમદાવાદથી સીધા વડાપ્રધાન મોદી ગાંધીનગર જવા રવાના થયા. ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. જીત મેળવ્યા બાદ સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે પીએમ મોદી મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તેમજ રત્નાકર રાજભવન પહોંચી ગયા છે. આ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ પણ રણનીતિ બનાવામાં આવી શકે છે. બેઠક બાદ બપોરના સમયે ફરી દિલ્હી જવા રવાના થઈ શકે છે.         


 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.