પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20ના લોગો-થીમ-વેબસાઈટ લોંચ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 17:27:09

ભારત પહેલી ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા સંભાળશે. તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે. આ એક ભાવના છે જે આપણી રગોમાં વહી રહી છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં જોડાયો છે.


 G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે: મોદી

પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃત મહોત્સવના સમયે જ આપણી પાસે આ મોટો અવસર આવ્યો છે. તમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશેતમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશે. યુદ્ધ માટે બુદ્ધએ જે સંદેશ આપ્યો હતો અને હિંસા સામે મહાત્મા ગાંધીએ જે સમાધાન આપ્યું હતું તે હવે ભારતથી દુનિયા સુધી પહોંચશે. G-20 મારફતે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.