પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20ના લોગો-થીમ-વેબસાઈટ લોંચ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 17:27:09

ભારત પહેલી ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા સંભાળશે. તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે. આ એક ભાવના છે જે આપણી રગોમાં વહી રહી છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં જોડાયો છે.


 G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે: મોદી

પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃત મહોત્સવના સમયે જ આપણી પાસે આ મોટો અવસર આવ્યો છે. તમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશેતમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશે. યુદ્ધ માટે બુદ્ધએ જે સંદેશ આપ્યો હતો અને હિંસા સામે મહાત્મા ગાંધીએ જે સમાધાન આપ્યું હતું તે હવે ભારતથી દુનિયા સુધી પહોંચશે. G-20 મારફતે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.