પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G-20ના લોગો-થીમ-વેબસાઈટ લોંચ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 17:27:09

ભારત પહેલી ડિસેમ્બરથી G-20ની અધ્યક્ષતા સંભાળશે. તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે G-20ના નવા લોગો-થીમ અને વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે. આ એક ભાવના છે જે આપણી રગોમાં વહી રહી છે. આ એક સંકલ્પ છે જે આપણા વિચારોમાં જોડાયો છે.


 G-20નો આ નવો લોગો માત્ર પ્રતિક નથી પણ એક સંદેશ છે: મોદી

પ્રધાનમંત્રી મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના અમૃત મહોત્સવના સમયે જ આપણી પાસે આ મોટો અવસર આવ્યો છે. તમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશેતમામ ભારતવાસીઓ માટે આ ગર્વની વાત છે, આનાથી ભારતીયોનો ગૌરવ વધશે. યુદ્ધ માટે બુદ્ધએ જે સંદેશ આપ્યો હતો અને હિંસા સામે મહાત્મા ગાંધીએ જે સમાધાન આપ્યું હતું તે હવે ભારતથી દુનિયા સુધી પહોંચશે. G-20 મારફતે ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠાને નવી ઊર્જા આપશે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.