પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર ગુજરાત મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને લોકોનું દિલ જીત્યું હતું. બનાસકાંઠાના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગબ્બર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા આરતીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. 


પ્રધાનમંત્રી મોદીની બનાસકાંઠાને ભેટ

પ્રધાનમંત્રી મોદીએ દિવાળી મનાવવા માટે લોકોને ઘરના ઘર આપ્યા હતા. તેમણે 60 હજારથી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું.  સાથોસાથે 1967 કરોડના 8633 ઘરોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સિવાય તેમણે મીઠાથી લાખણી જતા રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રોડ બનાસકાંઠાના લોકોના પરિવહન માટે 85 કરોડના ખર્ચે બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અંબાજી ખાતે અંબાજી બાયપાસ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 


લમ્પી બાદ ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત 

ગુજરાત સરકારને લમ્પી મામલે નીચે જોવા જેવી કામગીરી કરી તેવા લોકોના આક્ષેપો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન ગૌશાળાના સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવી હતી. ગૌશાળામાં તેમણે ચેક વિકરણ મારફતે આર્થિક સહાય પણ આપી હતી. 


 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.