પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર ગુજરાત મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને લોકોનું દિલ જીત્યું હતું. બનાસકાંઠાના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગબ્બર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા આરતીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. 


પ્રધાનમંત્રી મોદીની બનાસકાંઠાને ભેટ

પ્રધાનમંત્રી મોદીએ દિવાળી મનાવવા માટે લોકોને ઘરના ઘર આપ્યા હતા. તેમણે 60 હજારથી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું.  સાથોસાથે 1967 કરોડના 8633 ઘરોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સિવાય તેમણે મીઠાથી લાખણી જતા રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રોડ બનાસકાંઠાના લોકોના પરિવહન માટે 85 કરોડના ખર્ચે બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અંબાજી ખાતે અંબાજી બાયપાસ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 


લમ્પી બાદ ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત 

ગુજરાત સરકારને લમ્પી મામલે નીચે જોવા જેવી કામગીરી કરી તેવા લોકોના આક્ષેપો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન ગૌશાળાના સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવી હતી. ગૌશાળામાં તેમણે ચેક વિકરણ મારફતે આર્થિક સહાય પણ આપી હતી. 


 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .