પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર ગુજરાત મુલાકાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:24:10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને લોકોનું દિલ જીત્યું હતું. બનાસકાંઠાના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગબ્બર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા આરતીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. 


પ્રધાનમંત્રી મોદીની બનાસકાંઠાને ભેટ

પ્રધાનમંત્રી મોદીએ દિવાળી મનાવવા માટે લોકોને ઘરના ઘર આપ્યા હતા. તેમણે 60 હજારથી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું.  સાથોસાથે 1967 કરોડના 8633 ઘરોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સિવાય તેમણે મીઠાથી લાખણી જતા રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રોડ બનાસકાંઠાના લોકોના પરિવહન માટે 85 કરોડના ખર્ચે બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અંબાજી ખાતે અંબાજી બાયપાસ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 


લમ્પી બાદ ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત 

ગુજરાત સરકારને લમ્પી મામલે નીચે જોવા જેવી કામગીરી કરી તેવા લોકોના આક્ષેપો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન ગૌશાળાના સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવી હતી. ગૌશાળામાં તેમણે ચેક વિકરણ મારફતે આર્થિક સહાય પણ આપી હતી. 


 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે