રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનથી દિલ્હી સુધી ટ્રેન કરાઈ શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-12 09:58:27

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. ત્યારે આજે રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. દિલ્હીથી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. નવી દિલ્હીથી પીએમ મોદી રાજસ્થાનની વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. જયપુરથી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનમાં સફર કરવાના છે. 13 એપ્રિલથી ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરાશે. અજમેરથી દિલ્હી સુધી આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી દોડશે.

         


રાજસ્થાનની વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડી

વંદે ભારત ટ્રેનને પીએમ મોદી આજે લીલી ઝંડી બતાવાના છે. અનેક રૂટમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રેનની સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી દક્ષિણ ભારતની મુલાકાતે ગયા હતા તે દરમિયાન બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે રાજસ્થાનની વંદે ભારત ટ્રેનની શરૂઆત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવાના છે. આ ટ્રેન અજમેરથી લઈ દિલ્હી સુધી જવાની છે. અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે. મેન્ટેન્સ માટે બુધવારે ટ્રેન નહીં દોડાવવામાં આવે.


અનેક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. કોઈ વખત રખડતાં પશુઓ રસ્તામાં આવી જતા હોય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે. અકસ્માત થવાને કારણે અથવા તો પથ્થરમારો થવાને કારણે ટ્રેનને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આ ટ્રેન કોઈ અકસ્માતનો ભોગ ન બને તેવી આશા.   



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.