રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનથી દિલ્હી સુધી ટ્રેન કરાઈ શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-12 09:58:27

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. ત્યારે આજે રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. દિલ્હીથી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. નવી દિલ્હીથી પીએમ મોદી રાજસ્થાનની વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. જયપુરથી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનમાં સફર કરવાના છે. 13 એપ્રિલથી ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરાશે. અજમેરથી દિલ્હી સુધી આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી દોડશે.

         


રાજસ્થાનની વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડી

વંદે ભારત ટ્રેનને પીએમ મોદી આજે લીલી ઝંડી બતાવાના છે. અનેક રૂટમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રેનની સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી દક્ષિણ ભારતની મુલાકાતે ગયા હતા તે દરમિયાન બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે રાજસ્થાનની વંદે ભારત ટ્રેનની શરૂઆત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવાના છે. આ ટ્રેન અજમેરથી લઈ દિલ્હી સુધી જવાની છે. અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે. મેન્ટેન્સ માટે બુધવારે ટ્રેન નહીં દોડાવવામાં આવે.


અનેક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. કોઈ વખત રખડતાં પશુઓ રસ્તામાં આવી જતા હોય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે. અકસ્માત થવાને કારણે અથવા તો પથ્થરમારો થવાને કારણે ટ્રેનને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આ ટ્રેન કોઈ અકસ્માતનો ભોગ ન બને તેવી આશા.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.