રાજસ્થાનમાં પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજસ્થાનથી દિલ્હી સુધી ટ્રેન કરાઈ શરૂ


  • Published By :
  • Published Date : 2023-04-12 09:58:27

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડી રહી છે. થોડા સમય પહેલા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાડી હતી. ત્યારે આજે રાજસ્થાનને પ્રથમ વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. પીએમ મોદી આજે ટ્રેનને લીલી ઝંડી બતાવવાના છે. દિલ્હીથી પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાવાના છે. નવી દિલ્હીથી પીએમ મોદી રાજસ્થાનની વંદે ભારત ટ્રેનનું ઉદ્ધાટન કરવાના છે. જયપુરથી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ટ્રેનમાં સફર કરવાના છે. 13 એપ્રિલથી ટ્રેનને સામાન્ય મુસાફરો માટે શરૂ કરાશે. અજમેરથી દિલ્હી સુધી આ ટ્રેન અઠવાડિયાના 6 દિવસ સુધી દોડશે.

         


રાજસ્થાનની વંદે ભારત ટ્રેનને પીએમ બતાવશે લીલી ઝંડી

વંદે ભારત ટ્રેનને પીએમ મોદી આજે લીલી ઝંડી બતાવાના છે. અનેક રૂટમાં આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રેનની સુવિધાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા જ્યારે પીએમ મોદી દક્ષિણ ભારતની મુલાકાતે ગયા હતા તે દરમિયાન બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે રાજસ્થાનની વંદે ભારત ટ્રેનની શરૂઆત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાવાના છે. આ ટ્રેન અજમેરથી લઈ દિલ્હી સુધી જવાની છે. અઠવાડિયાના 6 દિવસ આ ટ્રેનને દોડાવવામાં આવશે. મેન્ટેન્સ માટે બુધવારે ટ્રેન નહીં દોડાવવામાં આવે.


અનેક વખત વંદે ભારત ટ્રેનને નડ્યો છે અકસ્માત 

મહત્વનું છે કે અનેક વખત વંદે ભારત ટ્રેનને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. કોઈ વખત રખડતાં પશુઓ રસ્તામાં આવી જતા હોય છે તો કોઈ વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવતો હોય છે. અકસ્માત થવાને કારણે અથવા તો પથ્થરમારો થવાને કારણે ટ્રેનને મોટા પાયે નુકસાન પહોંચતું હોય છે. ત્યારે આ ટ્રેન કોઈ અકસ્માતનો ભોગ ન બને તેવી આશા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.