પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી પહોંચશે


  • Published By :
  • Published Date : 2022-10-31 13:40:21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોર પછી મોરબી મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી મોદી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે અને મૃતકોના પરિજનોને મળીને સાંત્વના પાઠવશે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સમાચાર આપવામાં આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબીની મુલાકાતે પહોંચશે. હાલ તેઓ ગુજરાત પ્રવાસે છે.

આજે પ્રધાનમંત્રી ગુજરાત મુલાકાતે

આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સેનાના જવાનો સાથે વાત કરી હતી.  રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી હતી.  



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...