પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:59:29

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા સમયની જ વાર છે એવામાં ગુજરાતની ચૂંટણી સમયની હવા પલટવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. એવામાં નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબરે મહેસાણા જિલ્લાના મોઢેરાના મંદિર ખાતે મા મોઢેશ્વરીના દર્શન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે ડેરીમાં પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બહુચરાજીમાં પ્રધાનમંત્રી મોદી જનસભા સંબોધશે. 


અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને અંબાજીની મુલાકાત લીધી હતી. ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી 11 ઓક્ટોબર બાદ પણ બેવાર ગુજરાત પ્રવાસે આવશે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .