મતદારોને આકર્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2022-10-24 17:51:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પાર્ટી દ્વારા પ્રચારનો દોર વધી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ત્યારે ભાજપનો પ્રચાર વડાપ્રધાન મોદી પોતે કરી રહ્યા છે. અનેક વખત ચૂંટણી પ્રચાર માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે જનસભા સંબોધવાના છે. પીએમની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડોદરામાં પીએમ કરશે હુંકાર    

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે આખી ફોજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચારની કમાન પીએમે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે. વારંવાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ આવવાના છે. વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે તેઓ જનસભા સંબોધવાના છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીવાર ગુજરાતના પ્રવાસે, જાણો શું છે  કાર્યક્રમ | PM modi visit gujarat today, know program

અવાર-નવાર ગુજરાતની પીએમ લઈ રહ્યા છે મુલાકાત  

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ભાજપના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેઓ અનેક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ઘણી વખત તો તેઓ દિલ્હી પહોંચ્યા ન હોય તે પહેલા ફરી ગુજરાત કયારે આવશે તે તારીખ જાહેર થઈ જતી હોય છે.        




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.