મતદારોને આકર્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2022-10-24 17:51:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પાર્ટી દ્વારા પ્રચારનો દોર વધી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ત્યારે ભાજપનો પ્રચાર વડાપ્રધાન મોદી પોતે કરી રહ્યા છે. અનેક વખત ચૂંટણી પ્રચાર માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે જનસભા સંબોધવાના છે. પીએમની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડોદરામાં પીએમ કરશે હુંકાર    

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે આખી ફોજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચારની કમાન પીએમે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે. વારંવાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ આવવાના છે. વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે તેઓ જનસભા સંબોધવાના છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીવાર ગુજરાતના પ્રવાસે, જાણો શું છે  કાર્યક્રમ | PM modi visit gujarat today, know program

અવાર-નવાર ગુજરાતની પીએમ લઈ રહ્યા છે મુલાકાત  

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ભાજપના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેઓ અનેક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ઘણી વખત તો તેઓ દિલ્હી પહોંચ્યા ન હોય તે પહેલા ફરી ગુજરાત કયારે આવશે તે તારીખ જાહેર થઈ જતી હોય છે.        




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.