મતદારોને આકર્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2022-10-24 17:51:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પાર્ટી દ્વારા પ્રચારનો દોર વધી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ત્યારે ભાજપનો પ્રચાર વડાપ્રધાન મોદી પોતે કરી રહ્યા છે. અનેક વખત ચૂંટણી પ્રચાર માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે જનસભા સંબોધવાના છે. પીએમની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડોદરામાં પીએમ કરશે હુંકાર    

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે આખી ફોજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચારની કમાન પીએમે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે. વારંવાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ આવવાના છે. વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે તેઓ જનસભા સંબોધવાના છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીવાર ગુજરાતના પ્રવાસે, જાણો શું છે  કાર્યક્રમ | PM modi visit gujarat today, know program

અવાર-નવાર ગુજરાતની પીએમ લઈ રહ્યા છે મુલાકાત  

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ભાજપના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેઓ અનેક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ઘણી વખત તો તેઓ દિલ્હી પહોંચ્યા ન હોય તે પહેલા ફરી ગુજરાત કયારે આવશે તે તારીખ જાહેર થઈ જતી હોય છે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.