મતદારોને આકર્ષવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By :
  • Published Date : 2022-10-24 17:51:39

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા પાર્ટી દ્વારા પ્રચારનો દોર વધી રહ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત થઈ છે. ત્યારે ભાજપનો પ્રચાર વડાપ્રધાન મોદી પોતે કરી રહ્યા છે. અનેક વખત ચૂંટણી પ્રચાર માટે તેઓ ગુજરાત આવી રહ્યા છે. પીએમ મોદી 30 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે જનસભા સંબોધવાના છે. પીએમની મુલાકાતને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડોદરામાં પીએમ કરશે હુંકાર    

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપે આખી ફોજ ઉતારી છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહ પણ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રચારની કમાન પીએમે પોતાના હાથમાં લીધી હોય તેવું લાગે છે. વારંવાર પીએમ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત વડાપ્રધાન 30 ઓક્ટોબરના રોજ આવવાના છે. વડોદરાના લેપ્રેસી મેદાન ખાતે તેઓ જનસભા સંબોધવાના છે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફરીવાર ગુજરાતના પ્રવાસે, જાણો શું છે  કાર્યક્રમ | PM modi visit gujarat today, know program

અવાર-નવાર ગુજરાતની પીએમ લઈ રહ્યા છે મુલાકાત  

ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ભાજપના સ્ટાર પ્રચારક હોવાને કારણે તેઓ અનેક વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ઘણી વખત તો તેઓ દિલ્હી પહોંચ્યા ન હોય તે પહેલા ફરી ગુજરાત કયારે આવશે તે તારીખ જાહેર થઈ જતી હોય છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.