પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ મુલાકાતે, રેલી સંબોધશે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2022-11-05 13:59:57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની બે જગ્યા પર ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી જિલ્લાના સુંદરનગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી આજે એક દિવસના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. 


પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધશે

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સુંદર નગરના જવાહર પાર્કમાં રેલી કરી હતી. તે સમયે 10 બેઠકોમાંથી 9 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોઢ મહિનાની અંદર ચોથીવાર હિમાચલ પ્રદેશની જનતાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની રેલીના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યની જનતાને અને ભાજપના કાર્યકર્તાઓને મોદી પાસેથી માર્ગદર્શન મળશે.  

PM Modi To Address Siliguri Rally On April 3 At New Venue After Denied  Consent

હિમાચલની પરંપરાને તોડશે ભાજપ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પણ પરિણામ આવશે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જંગ કોંગ્રેસ સાથે રહેશે. હિમાચલમાં ગત સાડા ત્રણ દાયકામાં હર પાંચ વર્ષે સત્તામાં પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપ આ વખતે દાવો કરી રહ્યું છે કે હિમાચલની આ રિતને આ વખતે તોડવામાં આવશે અને સતત બીજીવાર ભાજપ સરકાર બનાવશે. 1985થી સતત પાંચ વર્ષ સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.