પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ મુલાકાતે, રેલી સંબોધશે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2022-11-05 13:59:57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની બે જગ્યા પર ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી જિલ્લાના સુંદરનગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી આજે એક દિવસના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. 


પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધશે

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સુંદર નગરના જવાહર પાર્કમાં રેલી કરી હતી. તે સમયે 10 બેઠકોમાંથી 9 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોઢ મહિનાની અંદર ચોથીવાર હિમાચલ પ્રદેશની જનતાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની રેલીના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યની જનતાને અને ભાજપના કાર્યકર્તાઓને મોદી પાસેથી માર્ગદર્શન મળશે.  

PM Modi To Address Siliguri Rally On April 3 At New Venue After Denied  Consent

હિમાચલની પરંપરાને તોડશે ભાજપ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પણ પરિણામ આવશે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જંગ કોંગ્રેસ સાથે રહેશે. હિમાચલમાં ગત સાડા ત્રણ દાયકામાં હર પાંચ વર્ષે સત્તામાં પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપ આ વખતે દાવો કરી રહ્યું છે કે હિમાચલની આ રિતને આ વખતે તોડવામાં આવશે અને સતત બીજીવાર ભાજપ સરકાર બનાવશે. 1985થી સતત પાંચ વર્ષ સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે