પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશ મુલાકાતે, રેલી સંબોધશે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2022-11-05 13:59:57

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશની બે જગ્યા પર ચૂંટણી રેલી સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંડી જિલ્લાના સુંદરનગરમાં રેલી કરશે અને બપોરે 3 વાગ્યે સોલનમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી આજે એક દિવસના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. 


પ્રધાનમંત્રી મોદી રેલી સંબોધશે

ગત વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રધાનમંત્રી મોદીએ સુંદર નગરના જવાહર પાર્કમાં રેલી કરી હતી. તે સમયે 10 બેઠકોમાંથી 9 વિધાનસભા બેઠકો પર જીત મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દોઢ મહિનાની અંદર ચોથીવાર હિમાચલ પ્રદેશની જનતાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ગઈકાલે પ્રધાનમંત્રી મોદીની રેલીના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્યની જનતાને અને ભાજપના કાર્યકર્તાઓને મોદી પાસેથી માર્ગદર્શન મળશે.  

PM Modi To Address Siliguri Rally On April 3 At New Venue After Denied  Consent

હિમાચલની પરંપરાને તોડશે ભાજપ: મુખ્યમંત્રી જયરામ ઠાકુર

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 12 નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. હિમાચલ પ્રદેશ ચૂંટણીના પરિણામ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પણ પરિણામ આવશે. હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જંગ કોંગ્રેસ સાથે રહેશે. હિમાચલમાં ગત સાડા ત્રણ દાયકામાં હર પાંચ વર્ષે સત્તામાં પરિવર્તન જોવા મળ્યું છે. ભાજપ આ વખતે દાવો કરી રહ્યું છે કે હિમાચલની આ રિતને આ વખતે તોડવામાં આવશે અને સતત બીજીવાર ભાજપ સરકાર બનાવશે. 1985થી સતત પાંચ વર્ષ સત્તામાં પરિવર્તન આવી રહ્યું છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.