સતત બે દિવસમાં પ્રધાનમંત્રીના આપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:05:13

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આ બે દિવસ તેમણે આમ આદમી પાર્ટીના નામ લીધા વગર તેમને પર પ્રહારો કર્યા હતા. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી વિશે અર્બન નક્સલની કમેન્ટ કરી હતી જ્યારે આજે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવા કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો તેમના પર મેણા-ટોંણા મારી રહ્યા છે. 


પ્રધાનમંત્રીએ નામ લીધા વગર આપ પર કર્યા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સામે કારયવાહી કરવા જઈએ છીએ તો લોકો અમારા પર સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાના આક્ષેપો કરી રહ્યા છે. કદ્દાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને તેમણે યાદ કર્યા હતા. તેમણે લોકોને સવાલ કર્યા હતા કે હું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરું કે નહીં. ભ્રષ્ટાચાર નિવારણનું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ.  


મને ગાળો આપવા કોંગ્રેસે પાર્ટી આઉટસોર્સ કરીઃ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોંગ્રેસ પર ખુલેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કંઈ બોલતી નથી પણ ચોરી-ચોરી ગામડાઓમાં ગુપ્ત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ લોકો પાસે એક મોકો માગી રહી છે અને લોકોને નમન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી સતર્ક રહેવું જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આજ વખતો મોટું સેટિંગ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ વખતે અમને ગાળો આપવા માટેનું કામ પણ આઉટસોર્સ કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટનું નામ નથી લીધું, પણ આપ પર તંજ કસ્યા હતા. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.