સતત બે દિવસમાં પ્રધાનમંત્રીના આપ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:05:13

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક મોટા નેતાઓને ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આ બે દિવસ તેમણે આમ આદમી પાર્ટીના નામ લીધા વગર તેમને પર પ્રહારો કર્યા હતા. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી વિશે અર્બન નક્સલની કમેન્ટ કરી હતી જ્યારે આજે તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર ભ્રષ્ટાચાર ખતમ કરવા કાર્યવાહી કરી રહી છે ત્યારે લોકો તેમના પર મેણા-ટોંણા મારી રહ્યા છે. 


પ્રધાનમંત્રીએ નામ લીધા વગર આપ પર કર્યા પ્રહાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે ભ્રષ્ટાચાર સામે કારયવાહી કરવા જઈએ છીએ તો લોકો અમારા પર સરકારી સંસ્થાઓનો ઉપયોગ કરવાના આક્ષેપો કરી રહ્યા છે. કદ્દાવર પાટીદાર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને તેમણે યાદ કર્યા હતા. તેમણે લોકોને સવાલ કર્યા હતા કે હું ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરું કે નહીં. ભ્રષ્ટાચાર નિવારણનું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ.  


મને ગાળો આપવા કોંગ્રેસે પાર્ટી આઉટસોર્સ કરીઃ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કોંગ્રેસ પર ખુલેઆમ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કંઈ બોલતી નથી પણ ચોરી-ચોરી ગામડાઓમાં ગુપ્ત બેઠકો કરી રહી છે. કોંગ્રેસ લોકો પાસે એક મોકો માગી રહી છે અને લોકોને નમન કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આનાથી સતર્ક રહેવું જરૂર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે આજ વખતો મોટું સેટિંગ કર્યું છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજ વખતે અમને ગાળો આપવા માટેનું કામ પણ આઉટસોર્સ કરવામાં આવ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટનું નામ નથી લીધું, પણ આપ પર તંજ કસ્યા હતા. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .