ભારત જોડો યાત્રામાં ભાગ લેશે પ્રિયંકા ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-20 13:03:08

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. હાલ આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. ત્યારે અંદાજ પ્રમાણે આ યાત્રા આ સપ્તાહમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી પ્રમાણે આ યાત્રામાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધી પણ સામેલ થવાના છે. 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેવાના છે.

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રાએ અંદાજીત 3570 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દીધી છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા કાશ્મીર સુધી પહોંચવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે 23 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થવાના છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશથી આ યાત્રામાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેના કારણે તેઓ હજી સુધી આ યાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે