ભારત જોડો યાત્રામાં ભાગ લેશે પ્રિયંકા ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-20 13:03:08

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. હાલ આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. ત્યારે અંદાજ પ્રમાણે આ યાત્રા આ સપ્તાહમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી પ્રમાણે આ યાત્રામાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધી પણ સામેલ થવાના છે. 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેવાના છે.

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રાએ અંદાજીત 3570 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દીધી છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા કાશ્મીર સુધી પહોંચવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે 23 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થવાના છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશથી આ યાત્રામાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેના કારણે તેઓ હજી સુધી આ યાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.