ભારત જોડો યાત્રામાં ભાગ લેશે પ્રિયંકા ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-20 13:03:08

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. હાલ આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. ત્યારે અંદાજ પ્રમાણે આ યાત્રા આ સપ્તાહમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી પ્રમાણે આ યાત્રામાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધી પણ સામેલ થવાના છે. 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેવાના છે.

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રાએ અંદાજીત 3570 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દીધી છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા કાશ્મીર સુધી પહોંચવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે 23 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થવાના છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશથી આ યાત્રામાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેના કારણે તેઓ હજી સુધી આ યાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા.      



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.