ભારત જોડો યાત્રામાં ભાગ લેશે પ્રિયંકા ગાંધી


  • Published By :
  • Published Date : 2022-11-20 13:03:08

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. હાલ આ યાત્રા મહારાષ્ટ્રમાં છે. ત્યારે અંદાજ પ્રમાણે આ યાત્રા આ સપ્તાહમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. મળતી માહિતી પ્રમાણે આ યાત્રામાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધી પણ સામેલ થવાના છે. 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી પ્રિયંકા ગાંધી આ યાત્રામાં ભાગ લેવાના છે.

Priyanka Gandhi Vadra: For the fight now, Congress needs people with guts,  ideology and stamina: Priyanka Gandhi Vadra - The Economic Times

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રાએ અંદાજીત 3570 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી દીધી છે. કન્યાકુમારીથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા કાશ્મીર સુધી પહોંચવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે 23 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થવાના છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચવાની છે. ત્યારે પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશથી આ યાત્રામાં જોડાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા તેના કારણે તેઓ હજી સુધી આ યાત્રામાં ભાગ લઈ શક્યા ન હતા.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.