અમદાવાદના છારાનગર-કુબેરનગરની 250થી વધુ મિલકતો તોડી પડાશે! સ્થાનિકોમાં ફફડાટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:39:17

અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહોળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમાં આવેલી 250થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતને સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહીં આવે તો મ્યુનિ.તંત્ર (AMC) આ બાંધકામ તોડી પાડશે. બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ મિલકત માલિક પાસેથી વસુલાશે. AMC તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના  લોકો રોડ ઉપર આવી જશે.


નવેમ્બર-2016ની મંજુરીનો AMC હવે અમલ કરશે


સૈજપુર બોઘાની મુસદ્દારુપ નગર વિકાસ યોજના અંગે નવેમ્બર-2015માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રાજય સરકારની મંજુરી માંગવામા આવી હતી. 3 નવેમ્બર-2016ના રોજ રાજય સરકારે મંજુરી આપ્યા બાદ છ વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ હવે ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાના અમલ કરવા જાગ્યુ છે. સૈજપુર બોઘાની ટી.પી.સ્કીમ નંબર-96-બીનો અમલ કરવાના નામે કુબેરનગર બંગલા એરીયાથી હરીયાળી પાન હાઉસ ચાર રસ્તાથી કુબેરનગર સરદારગ્રામ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સુધીનો રોડ 18 મીટર પહોળો કરવા રસ્તામા આવતી જમીન અને મકાનનો પ્રત્યક્ષ કબજો મેળવવા 250થી વધુ મિલકતના ધારકોને ઉપરદળ દુર કરવા નોટિસ અપાઈ છે.


મકાનો તૂટતા લોકો રસ્તા પર આવી જશે


18 મીટરનો રોડ પહોળો કરવા બંને બાજુએ વસતા છારાનગરનો અડધો વિસ્તાર અને ઉત્તર દિશામાં આવેલ બંગલા વિસ્તારમા રહેતા પરિવારોની મિલકત દુર થવાથી આ મિલકત ધારકો રોડ ઉપર આવી જશે.છારાનગરની અંદાજે 150 મિલકત મ્યુનિ.ના આ અમલના કારણે કપાતમા જતા રહીશો રોડ ઉપર આવી જશે. કુબેરનગર બંગલા એરીયામા પણ અંદાજે 100 થી વધુ મિલકત ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાની કાર્યવાહીથી રોડ ઉપર આવી જશે. 1952થી મુકિત સ્થળની બાજુમા છારાનગરમા રહીશો વસવાટ કરી રહયા છે. જેમની જમીન-મિલકત કપાતમા જાય છે એમના તરફથી મ્યુનિ.સમક્ષ વાંધા-સુચન રજુ કરવામા આવ્યા હતા.આમ છતાં પણ રોડ પહોળો કરી ટી.પી.સ્કીમ.નો અમલ કરવાના નામે એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ જોવા મળી રહયો છે.


છારા સમાજમાં જબરદસ્ત રોષ


ટી.પી.સ્કીમ.ના અમલના નામે ફટકારવામાં આવેલ નોટિસને લઈ છારા સમાજમાં રોષ જોવા મળ્યો છે. મ્યુનિ.અધિકારીઓએ અમને અવગણીને ટી.પી.સ્કીમ ફાઈનલ કરી હોવાનો તેમનો આક્ષેપ છે.આ અમલથી જે લોકોને અસર થવાની છે એ પૈકી વિકલાંગ અને વિધવા બહેનોનું પ્રમાણ સૌથી વધુ છે. અમારા માટે આ વિસ્તાર છોડી અન્ય સ્થળે જવુ ખુબ મુશ્કેલ છે.જેથી આ ટી.પી.ને તાત્કાલિક રદ કરવા અમારી માંગ છે.


ઈમ્પેકટ ફી ભરી છતાં  મકાનો તુટશે


હરીદર્શન ફલેટના રોડ ઉપરના કટીંગમા આવતા 16 મકાન કે જે ફ્લેટના બાંધકામના કોલમ ઉપર આવેલા છે.જેને તોડવાથી પુરા ફલેટને નુકસાન થાય એમ છે.ફલેટના ધાબા ઉપર પાણીની ટાંકી આવેલી છે. જે પુરા ફલેટને પાણી પુરુ પાડે છે.જેને પણ અસર થશે. ઈમ્પેકટ ફી ભરી જે તે સમયે બાંધકામ મંજુર કરાવવામા આવ્યુ હતું.


વર્ષ-2016ના ઠરાવની તંત્ર તરફથી કોઈ જાણ કરવામા આવી નથી


મ્યુનિ.તરફથી રહીશોના મંગાવવામા આવેલ વાંધા-સુચનમા પણ રહીશોએ રજુઆત કરી હતી કે,જે તે સમયે ટી.પી.સ્કીમ બનાવવાની હતી એ સમયે અમને મ્યુનિસિપલ કોર્પોરેશન કે રાજય સરકાર તરફથી ડ્રાફટ ટી.પી.સ્કીમ-96(બી) સૈજપુર બોઘાના વર્ષ-2016ના ઠરાવની કોઈ માહિતી કે કાગળ આપવામા આવ્યો નથી.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"