અમદાવાદના છારાનગર-કુબેરનગરની 250થી વધુ મિલકતો તોડી પડાશે! સ્થાનિકોમાં ફફડાટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 11:39:17

અમદાવાદના કુબેરનગર વોર્ડમા ટી.પી.સ્કીમ.ના અમલ અને રોડ પહોળો કરવાનુ કારણ આગળ ધરી છારાનગર અને કુબેરનગરમાં આવેલી 250થી વધુ જમીન-મિલકતના ધારકોને તેમની મિલકતને સાત દિવસમા તોડી પાડવા ઉત્તરઝોનના આસીસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરફથી નોટિસ ફટકારાઈ છે.નિયત સમયમા ઉપરદળનુ બાંધકામ તોડવામા નહીં આવે તો મ્યુનિ.તંત્ર (AMC) આ બાંધકામ તોડી પાડશે. બાંધકામ તોડવા પાછળ થનાર ખર્ચ પણ મિલકત માલિક પાસેથી વસુલાશે. AMC તંત્ર તરફથી કરવામા આવેલા આ નિર્ણયથી છારાનગરના  લોકો રોડ ઉપર આવી જશે.


નવેમ્બર-2016ની મંજુરીનો AMC હવે અમલ કરશે


સૈજપુર બોઘાની મુસદ્દારુપ નગર વિકાસ યોજના અંગે નવેમ્બર-2015માં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રાજય સરકારની મંજુરી માંગવામા આવી હતી. 3 નવેમ્બર-2016ના રોજ રાજય સરકારે મંજુરી આપ્યા બાદ છ વર્ષ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ એસ્ટેટ વિભાગ હવે ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાના અમલ કરવા જાગ્યુ છે. સૈજપુર બોઘાની ટી.પી.સ્કીમ નંબર-96-બીનો અમલ કરવાના નામે કુબેરનગર બંગલા એરીયાથી હરીયાળી પાન હાઉસ ચાર રસ્તાથી કુબેરનગર સરદારગ્રામ રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સુધીનો રોડ 18 મીટર પહોળો કરવા રસ્તામા આવતી જમીન અને મકાનનો પ્રત્યક્ષ કબજો મેળવવા 250થી વધુ મિલકતના ધારકોને ઉપરદળ દુર કરવા નોટિસ અપાઈ છે.


મકાનો તૂટતા લોકો રસ્તા પર આવી જશે


18 મીટરનો રોડ પહોળો કરવા બંને બાજુએ વસતા છારાનગરનો અડધો વિસ્તાર અને ઉત્તર દિશામાં આવેલ બંગલા વિસ્તારમા રહેતા પરિવારોની મિલકત દુર થવાથી આ મિલકત ધારકો રોડ ઉપર આવી જશે.છારાનગરની અંદાજે 150 મિલકત મ્યુનિ.ના આ અમલના કારણે કપાતમા જતા રહીશો રોડ ઉપર આવી જશે. કુબેરનગર બંગલા એરીયામા પણ અંદાજે 100 થી વધુ મિલકત ટી.પી.સ્કીમ અને રોડ પહોળો કરવાની કાર્યવાહીથી રોડ ઉપર આવી જશે. 1952થી મુકિત સ્થળની બાજુમા છારાનગરમા રહીશો વસવાટ કરી રહયા છે. જેમની જમીન-મિલકત કપાતમા જાય છે એમના તરફથી મ્યુનિ.સમક્ષ વાંધા-સુચન રજુ કરવામા આવ્યા હતા.આમ છતાં પણ રોડ પહોળો કરી ટી.પી.સ્કીમ.નો અમલ કરવાના નામે એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારતા સ્થાનિક રહીશોમા ઉગ્ર રોષ જોવા મળી રહયો છે.


છારા સમાજમાં જબરદસ્ત રોષ


ટી.પી.સ્કીમ.ના અમલના નામે ફટકારવામાં આવેલ નોટિસને લઈ છારા સમાજમાં રોષ જોવા મળ્યો છે. મ્યુનિ.અધિકારીઓએ અમને અવગણીને ટી.પી.સ્કીમ ફાઈનલ કરી હોવાનો તેમનો આક્ષેપ છે.આ અમલથી જે લોકોને અસર થવાની છે એ પૈકી વિકલાંગ અને વિધવા બહેનોનું પ્રમાણ સૌથી વધુ છે. અમારા માટે આ વિસ્તાર છોડી અન્ય સ્થળે જવુ ખુબ મુશ્કેલ છે.જેથી આ ટી.પી.ને તાત્કાલિક રદ કરવા અમારી માંગ છે.


ઈમ્પેકટ ફી ભરી છતાં  મકાનો તુટશે


હરીદર્શન ફલેટના રોડ ઉપરના કટીંગમા આવતા 16 મકાન કે જે ફ્લેટના બાંધકામના કોલમ ઉપર આવેલા છે.જેને તોડવાથી પુરા ફલેટને નુકસાન થાય એમ છે.ફલેટના ધાબા ઉપર પાણીની ટાંકી આવેલી છે. જે પુરા ફલેટને પાણી પુરુ પાડે છે.જેને પણ અસર થશે. ઈમ્પેકટ ફી ભરી જે તે સમયે બાંધકામ મંજુર કરાવવામા આવ્યુ હતું.


વર્ષ-2016ના ઠરાવની તંત્ર તરફથી કોઈ જાણ કરવામા આવી નથી


મ્યુનિ.તરફથી રહીશોના મંગાવવામા આવેલ વાંધા-સુચનમા પણ રહીશોએ રજુઆત કરી હતી કે,જે તે સમયે ટી.પી.સ્કીમ બનાવવાની હતી એ સમયે અમને મ્યુનિસિપલ કોર્પોરેશન કે રાજય સરકાર તરફથી ડ્રાફટ ટી.પી.સ્કીમ-96(બી) સૈજપુર બોઘાના વર્ષ-2016ના ઠરાવની કોઈ માહિતી કે કાગળ આપવામા આવ્યો નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.