Gujaratના ભાવિ શિક્ષકોએ જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની લીધી પ્રતિજ્ઞા, સાંભળો આંદોલન વિશે શું કહ્યું Devanshi Joshiએ?


  • Published By :
  • Published Date : 2023-08-28 11:42:34

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક હોવાને કારણે એક જ શિક્ષકના શીરે જવાબદારી આવી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવા ગાંધીનગર પહોંચતા ઉમેદવારોને અટકાવી લેવામાં આવતા હતા. કરાર આધારિત ભરતીને બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.

જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા

ગુજરાતના શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે તેવી વાતો અનેક વખત ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમનું ભવિષ્ય શું તેવા પ્રશ્નો અનેક વખત તેમણે પૂછ્યા છે ત્યારે જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા ઉમેદવારો લઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 

પરિસ્થિતિને બદલવાની જગ્યાએ આપણે પરિસ્થિતિ અનુરૂપ બદલાઈ જઈએ છીએ!

મહત્વનું છે કે ટેટ-ટાટ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં તેઓ સફળ થશે કે નહીં? કારણ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના બે-પાંચ ટકા લોકો જ કરતા હોય છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણને ટ્રેનિંગ એવી રીતે આપવામાં આવી છે કે આપણી સામે જે આવે તે પરિસ્થિતિને આપણી રીતે અનુરૂપ કરવાને બદલે, આપણે પરિસ્થિતિના અનુરૂપ થઈ જતા હોઈએ છીએ. પરિસ્થિતિ આગળ ઝઝુમવાને બદલે આપણે પરિસ્થિતિ અનુસાર બદલાઈ જઈએ છીએ. ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલનનું શું પરિણામ આવે છે તે તો સમય બતાવશે.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી