Gujaratના ભાવિ શિક્ષકોએ જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની લીધી પ્રતિજ્ઞા, સાંભળો આંદોલન વિશે શું કહ્યું Devanshi Joshiએ?


  • Published By :
  • Published Date : 2023-08-28 11:42:34

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક હોવાને કારણે એક જ શિક્ષકના શીરે જવાબદારી આવી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવા ગાંધીનગર પહોંચતા ઉમેદવારોને અટકાવી લેવામાં આવતા હતા. કરાર આધારિત ભરતીને બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.

જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા

ગુજરાતના શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે તેવી વાતો અનેક વખત ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમનું ભવિષ્ય શું તેવા પ્રશ્નો અનેક વખત તેમણે પૂછ્યા છે ત્યારે જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા ઉમેદવારો લઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 

પરિસ્થિતિને બદલવાની જગ્યાએ આપણે પરિસ્થિતિ અનુરૂપ બદલાઈ જઈએ છીએ!

મહત્વનું છે કે ટેટ-ટાટ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં તેઓ સફળ થશે કે નહીં? કારણ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના બે-પાંચ ટકા લોકો જ કરતા હોય છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણને ટ્રેનિંગ એવી રીતે આપવામાં આવી છે કે આપણી સામે જે આવે તે પરિસ્થિતિને આપણી રીતે અનુરૂપ કરવાને બદલે, આપણે પરિસ્થિતિના અનુરૂપ થઈ જતા હોઈએ છીએ. પરિસ્થિતિ આગળ ઝઝુમવાને બદલે આપણે પરિસ્થિતિ અનુસાર બદલાઈ જઈએ છીએ. ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલનનું શું પરિણામ આવે છે તે તો સમય બતાવશે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.