Gujaratના ભાવિ શિક્ષકોએ જ્ઞાન સહાયકના ફોર્મ ન ભરવાની લીધી પ્રતિજ્ઞા, સાંભળો આંદોલન વિશે શું કહ્યું Devanshi Joshiએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-28 11:42:34

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે અને જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ શિક્ષકોની ઘટ છે, અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક હોવાને કારણે એક જ શિક્ષકના શીરે જવાબદારી આવી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવા ગાંધીનગર પહોંચતા ઉમેદવારોને અટકાવી લેવામાં આવતા હતા. કરાર આધારિત ભરતીને બંધ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેટ-ટાટના ઉમેદવારો જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.

જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની ઉમેદવારોએ લીધી પ્રતિજ્ઞા

ગુજરાતના શિક્ષકોનું ભવિષ્ય ખતરામાં છે તેવી વાતો અનેક વખત ટેટ ટાટના ઉમેદવારો દ્વારા કરવામાં આવતી હોય છે. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ તેમનું ભવિષ્ય શું તેવા પ્રશ્નો અનેક વખત તેમણે પૂછ્યા છે ત્યારે જ્ઞાનસહાયકના ફોર્મ ન ભરવાની પ્રતિજ્ઞા ઉમેદવારો લઈ રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે ઘણા સમયથી ઉમેદવારો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. 

પરિસ્થિતિને બદલવાની જગ્યાએ આપણે પરિસ્થિતિ અનુરૂપ બદલાઈ જઈએ છીએ!

મહત્વનું છે કે ટેટ-ટાટ ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનમાં તેઓ સફળ થશે કે નહીં? કારણ કે કોઈ પણ આંદોલન આગળની હરોળના બે-પાંચ ટકા લોકો જ કરતા હોય છે. કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિમાં આપણને ટ્રેનિંગ એવી રીતે આપવામાં આવી છે કે આપણી સામે જે આવે તે પરિસ્થિતિને આપણી રીતે અનુરૂપ કરવાને બદલે, આપણે પરિસ્થિતિના અનુરૂપ થઈ જતા હોઈએ છીએ. પરિસ્થિતિ આગળ ઝઝુમવાને બદલે આપણે પરિસ્થિતિ અનુસાર બદલાઈ જઈએ છીએ. ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલનનું શું પરિણામ આવે છે તે તો સમય બતાવશે.      



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે