દિલ્હી ખાતે ગુજરાતની આશાવર્કરોનો વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:17:41

છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા હતા. રાજ્યનો દરેક વર્ગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસ કર્મી, એસ.ટી વિભાગના કર્મચારીઓ હોય, શિક્ષક હોય કે નિવૃત્ત આર્મી મેન હોય બધા જ સરકાર વિરૂદ્ધ પોતાની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આ વખતે આશાવર્કરો પોતાની માગ સાથે દિલ્હી પહોંચી છે. ગુજરાત સરકારે તેમની માગ નહીં સ્વીકારી, જેને લઈ તેઓ દિલ્હી ખાતે આંદોલન કરી ગુજરાત સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આંદોલનનો લાભ અનેક પાર્ટીઓએ લીધો હતો ત્યારે દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોના આંદોલનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે. આશાવર્કર બહેનોનો અવાજ સાંભળવા કોંગ્રેસે સરકારને અપીલ કરી છે. 


કોંગ્રેસે ભાજપ પર કર્યો પ્રહાર

દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું છે કે સાહેબ આશાવર્કર બહેનો પત્ર લખી લખીને થાકી ગઈ, એટલે તો આશાવર્કર બહેનો દિલ્હી પહોંચી હવે તો સાહેબ આ બહેનોની વેદના સમજો.  

   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે