દિલ્હી ખાતે ગુજરાતની આશાવર્કરોનો વિરોધ પ્રદર્શન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 18:17:41

છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યા હતા. રાજ્યનો દરેક વર્ગ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો હતો. પોલીસ કર્મી, એસ.ટી વિભાગના કર્મચારીઓ હોય, શિક્ષક હોય કે નિવૃત્ત આર્મી મેન હોય બધા જ સરકાર વિરૂદ્ધ પોતાની પડતર માગણીને લઈ આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આ વખતે આશાવર્કરો પોતાની માગ સાથે દિલ્હી પહોંચી છે. ગુજરાત સરકારે તેમની માગ નહીં સ્વીકારી, જેને લઈ તેઓ દિલ્હી ખાતે આંદોલન કરી ગુજરાત સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા આંદોલનનો લાભ અનેક પાર્ટીઓએ લીધો હતો ત્યારે દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોના આંદોલનનો લાભ કોંગ્રેસ ઉઠાવી શકે છે. આશાવર્કર બહેનોનો અવાજ સાંભળવા કોંગ્રેસે સરકારને અપીલ કરી છે. 


કોંગ્રેસે ભાજપ પર કર્યો પ્રહાર

દિલ્હી ખાતે આંદોલન કરી રહેલા આશાવર્કરોનો સહારો લઈ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કટાક્ષ કરતા કોંગ્રેસે કહ્યું છે કે સાહેબ આશાવર્કર બહેનો પત્ર લખી લખીને થાકી ગઈ, એટલે તો આશાવર્કર બહેનો દિલ્હી પહોંચી હવે તો સાહેબ આ બહેનોની વેદના સમજો.  

   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .