હવે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓ આવ્યા મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:39:13

ચૂંટણી પહેલા સરકારનું નાક દબાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(GETCO)ના લગભગ 10 હજારથી વધુ કર્મચારીઓએ પેન ઉન કરી વિરોધ નોંધાવ્યો છે.


શું છે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓની માગ 

GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘના પ્રમુખે જાણ કરી હતી કે ગુજરાતભરમાં 1 હજારથી વધુ સબસ્ટેશન પર GETCOના 10 હજારથી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સમાન કામ સમાન વેતનની માગ સાથે તેમણે પેન ડાઉન કરીને સરકાર સામે પોતાની માગણી રાખી છે. GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓને માસિક પગાર 7-8 હજાર રૂપિયા મળે છે. જે વધારવા માટે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેટકોમાં 1થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં 7-8 હજાર રૂપિયાનો પગાર મળતા પગાર વધારાની માગ કરી છે. 



ચૂંટણી પહેલાનો સમય આવતા તમામ પ્રકારના સંઘોએ સરકાર સામે જૂની માગો રાખી છે. કિસાન સંઘ, માજી સૈનિકો, પંચાયત હસ્તકના કર્મચારીઓ સહિત હવે GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘે પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.   




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .