હવે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓ આવ્યા મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:39:13

ચૂંટણી પહેલા સરકારનું નાક દબાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(GETCO)ના લગભગ 10 હજારથી વધુ કર્મચારીઓએ પેન ઉન કરી વિરોધ નોંધાવ્યો છે.


શું છે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓની માગ 

GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘના પ્રમુખે જાણ કરી હતી કે ગુજરાતભરમાં 1 હજારથી વધુ સબસ્ટેશન પર GETCOના 10 હજારથી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સમાન કામ સમાન વેતનની માગ સાથે તેમણે પેન ડાઉન કરીને સરકાર સામે પોતાની માગણી રાખી છે. GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓને માસિક પગાર 7-8 હજાર રૂપિયા મળે છે. જે વધારવા માટે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેટકોમાં 1થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં 7-8 હજાર રૂપિયાનો પગાર મળતા પગાર વધારાની માગ કરી છે. 



ચૂંટણી પહેલાનો સમય આવતા તમામ પ્રકારના સંઘોએ સરકાર સામે જૂની માગો રાખી છે. કિસાન સંઘ, માજી સૈનિકો, પંચાયત હસ્તકના કર્મચારીઓ સહિત હવે GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘે પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે