હવે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓ આવ્યા મેદાને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 19:39:13

ચૂંટણી પહેલા સરકારનું નાક દબાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(GETCO)ના લગભગ 10 હજારથી વધુ કર્મચારીઓએ પેન ઉન કરી વિરોધ નોંધાવ્યો છે.


શું છે GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓની માગ 

GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘના પ્રમુખે જાણ કરી હતી કે ગુજરાતભરમાં 1 હજારથી વધુ સબસ્ટેશન પર GETCOના 10 હજારથી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સમાન કામ સમાન વેતનની માગ સાથે તેમણે પેન ડાઉન કરીને સરકાર સામે પોતાની માગણી રાખી છે. GETCO આઉટસોર્સિંગના કર્મચારીઓને માસિક પગાર 7-8 હજાર રૂપિયા મળે છે. જે વધારવા માટે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. જેટકોમાં 1થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં 7-8 હજાર રૂપિયાનો પગાર મળતા પગાર વધારાની માગ કરી છે. 



ચૂંટણી પહેલાનો સમય આવતા તમામ પ્રકારના સંઘોએ સરકાર સામે જૂની માગો રાખી છે. કિસાન સંઘ, માજી સૈનિકો, પંચાયત હસ્તકના કર્મચારીઓ સહિત હવે GETCO આઉટસોર્સિંગ કર્મચારી સંઘે પણ સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.