PMની મુલાકાત દરમિયાન સુરતમાં કોંગ્રેસે કાળા કપડા પહેર્યા, કોન્ટ્રાક્ટરોએ હડતાળ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:51:40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેને અનુલક્ષીને તમામ પાર્ટીના શીર્ષ નેતાઓ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી હતા તે દરમિયાન સુરતમાં જ લોકો પોતાની વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 


સુરતમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો 

સુંરત કોંગ્રેસના લોકોએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન કાળા કપડા પહેરી અને ફુગ્ગા લઈને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો વિરોધ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત મુલાકાતે છે ત્યારે મુલાકાત માટે સુરત મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો છે. કોંગ્રેસના લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા તે દરમિયાન તેમના 12 મહિલા કાર્યકર્તાઓની સુરત પોલીસે અટકાયત કરી હતી. કોઈ રોષનો સૂર ના રેડાય તેના માટે સુરત પોલીસે અન્ય બહેનોને રસ્તા પર જ રોકી દીધા હતા. 


સિવિલ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો વિરોધ 

સુરત શહેરના સિવિલ કોન્ટ્રાક્ટના 900 જેટલા કર્મચારીઓએ આજે વિવિધ માગણીઓ સાથે હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્વાભાવિક છે પ્રધાનમંત્રી મોદી જ્યારે સુરત મુલાકાતે હોય ત્યારે સુરતનો માહોલ શાંત બનાવી રાખવો પડે. તે પછી રાજકીય રીતે હોય કે સુરક્ષાની દ્રષ્ટિએ હોય. ગઈકાલથી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે પણ તેમનો વિરોધ યથાવત છે. તેમની માગણી છે કે જ્યાં સુધી તેમની વાતો સ્વીકારી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.