PMની મુલાકાત દરમિયાન સુરતમાં કોંગ્રેસે કાળા કપડા પહેર્યા, કોન્ટ્રાક્ટરોએ હડતાળ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:51:40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેને અનુલક્ષીને તમામ પાર્ટીના શીર્ષ નેતાઓ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી હતા તે દરમિયાન સુરતમાં જ લોકો પોતાની વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 


સુરતમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો 

સુંરત કોંગ્રેસના લોકોએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન કાળા કપડા પહેરી અને ફુગ્ગા લઈને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો વિરોધ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત મુલાકાતે છે ત્યારે મુલાકાત માટે સુરત મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો છે. કોંગ્રેસના લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા તે દરમિયાન તેમના 12 મહિલા કાર્યકર્તાઓની સુરત પોલીસે અટકાયત કરી હતી. કોઈ રોષનો સૂર ના રેડાય તેના માટે સુરત પોલીસે અન્ય બહેનોને રસ્તા પર જ રોકી દીધા હતા. 


સિવિલ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો વિરોધ 

સુરત શહેરના સિવિલ કોન્ટ્રાક્ટના 900 જેટલા કર્મચારીઓએ આજે વિવિધ માગણીઓ સાથે હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્વાભાવિક છે પ્રધાનમંત્રી મોદી જ્યારે સુરત મુલાકાતે હોય ત્યારે સુરતનો માહોલ શાંત બનાવી રાખવો પડે. તે પછી રાજકીય રીતે હોય કે સુરક્ષાની દ્રષ્ટિએ હોય. ગઈકાલથી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે પણ તેમનો વિરોધ યથાવત છે. તેમની માગણી છે કે જ્યાં સુધી તેમની વાતો સ્વીકારી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.