PMની મુલાકાત દરમિયાન સુરતમાં કોંગ્રેસે કાળા કપડા પહેર્યા, કોન્ટ્રાક્ટરોએ હડતાળ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:51:40

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેને અનુલક્ષીને તમામ પાર્ટીના શીર્ષ નેતાઓ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી હતા તે દરમિયાન સુરતમાં જ લોકો પોતાની વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 


સુરતમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો 

સુંરત કોંગ્રેસના લોકોએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન કાળા કપડા પહેરી અને ફુગ્ગા લઈને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો વિરોધ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત મુલાકાતે છે ત્યારે મુલાકાત માટે સુરત મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો છે. કોંગ્રેસના લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા તે દરમિયાન તેમના 12 મહિલા કાર્યકર્તાઓની સુરત પોલીસે અટકાયત કરી હતી. કોઈ રોષનો સૂર ના રેડાય તેના માટે સુરત પોલીસે અન્ય બહેનોને રસ્તા પર જ રોકી દીધા હતા. 


સિવિલ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો વિરોધ 

સુરત શહેરના સિવિલ કોન્ટ્રાક્ટના 900 જેટલા કર્મચારીઓએ આજે વિવિધ માગણીઓ સાથે હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્વાભાવિક છે પ્રધાનમંત્રી મોદી જ્યારે સુરત મુલાકાતે હોય ત્યારે સુરતનો માહોલ શાંત બનાવી રાખવો પડે. તે પછી રાજકીય રીતે હોય કે સુરક્ષાની દ્રષ્ટિએ હોય. ગઈકાલથી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે પણ તેમનો વિરોધ યથાવત છે. તેમની માગણી છે કે જ્યાં સુધી તેમની વાતો સ્વીકારી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.