પંજાબ બોર્ડે ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-26 12:12:43

પંજાબ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (PSEB)ની પૂર્વ નિર્ધારીત ધોરણ 12 બોર્ડનું અંગ્રેજીની પરીક્ષા મુલતવી રાખવામાં આવતા હોબાળો મચ્યો છે.આ પરીક્ષા શુક્રવારે (24 ફેબ્રુઆરી) બપોરે 2 થી 5.15 દરમિયાન યોજાવાની હતી. PSEB અનુસાર, પૂર્વ નિર્ધારીત અંગ્રેજીની પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.આ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


શા માટે રદ્દ કરાઈ પરીક્ષા?


PSEB અનુસાર, વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પંજાબ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પંજાબ બોર્ડની અંગ્રેજી પરીક્ષા 2023માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેસવાના હતા. નિર્ધારિત સમય કરતાં માત્ર 30 મિનિટ પહેલાં પેપર રદ કરવામાં આવ્યું હતું. હવે એવી અપેક્ષા છે કે પંજાબ બોર્ડ ટૂંક સમયમાં આ બાબતે વિગતો જાહેર કરશે. પંજાબ બોર્ડે તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ શીટમાં સુધારો કર્યો હતો. 


જો કે અંગ્રેજીની પરીક્ષા રદ્દ થવાનું મુખ્ય કારણ અલગ છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે બોર્ડ આ મુદ્દે મૌન છે, અને તેથી પેપર લીકની આશંકા વધુ મજબુત બની છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.