પંજાબ બોર્ડે ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-26 12:12:43

પંજાબ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (PSEB)ની પૂર્વ નિર્ધારીત ધોરણ 12 બોર્ડનું અંગ્રેજીની પરીક્ષા મુલતવી રાખવામાં આવતા હોબાળો મચ્યો છે.આ પરીક્ષા શુક્રવારે (24 ફેબ્રુઆરી) બપોરે 2 થી 5.15 દરમિયાન યોજાવાની હતી. PSEB અનુસાર, પૂર્વ નિર્ધારીત અંગ્રેજીની પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.આ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


શા માટે રદ્દ કરાઈ પરીક્ષા?


PSEB અનુસાર, વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પંજાબ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પંજાબ બોર્ડની અંગ્રેજી પરીક્ષા 2023માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેસવાના હતા. નિર્ધારિત સમય કરતાં માત્ર 30 મિનિટ પહેલાં પેપર રદ કરવામાં આવ્યું હતું. હવે એવી અપેક્ષા છે કે પંજાબ બોર્ડ ટૂંક સમયમાં આ બાબતે વિગતો જાહેર કરશે. પંજાબ બોર્ડે તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ શીટમાં સુધારો કર્યો હતો. 


જો કે અંગ્રેજીની પરીક્ષા રદ્દ થવાનું મુખ્ય કારણ અલગ છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે બોર્ડ આ મુદ્દે મૌન છે, અને તેથી પેપર લીકની આશંકા વધુ મજબુત બની છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.