પંજાબ બોર્ડે ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-26 12:12:43

પંજાબ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (PSEB)ની પૂર્વ નિર્ધારીત ધોરણ 12 બોર્ડનું અંગ્રેજીની પરીક્ષા મુલતવી રાખવામાં આવતા હોબાળો મચ્યો છે.આ પરીક્ષા શુક્રવારે (24 ફેબ્રુઆરી) બપોરે 2 થી 5.15 દરમિયાન યોજાવાની હતી. PSEB અનુસાર, પૂર્વ નિર્ધારીત અંગ્રેજીની પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.આ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


શા માટે રદ્દ કરાઈ પરીક્ષા?


PSEB અનુસાર, વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પંજાબ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પંજાબ બોર્ડની અંગ્રેજી પરીક્ષા 2023માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેસવાના હતા. નિર્ધારિત સમય કરતાં માત્ર 30 મિનિટ પહેલાં પેપર રદ કરવામાં આવ્યું હતું. હવે એવી અપેક્ષા છે કે પંજાબ બોર્ડ ટૂંક સમયમાં આ બાબતે વિગતો જાહેર કરશે. પંજાબ બોર્ડે તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ શીટમાં સુધારો કર્યો હતો. 


જો કે અંગ્રેજીની પરીક્ષા રદ્દ થવાનું મુખ્ય કારણ અલગ છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે બોર્ડ આ મુદ્દે મૌન છે, અને તેથી પેપર લીકની આશંકા વધુ મજબુત બની છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.