પંજાબ બોર્ડે ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા મોકૂફ રાખી, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-26 12:12:43

પંજાબ સ્ટેટ એજ્યુકેશન બોર્ડ (PSEB)ની પૂર્વ નિર્ધારીત ધોરણ 12 બોર્ડનું અંગ્રેજીની પરીક્ષા મુલતવી રાખવામાં આવતા હોબાળો મચ્યો છે.આ પરીક્ષા શુક્રવારે (24 ફેબ્રુઆરી) બપોરે 2 થી 5.15 દરમિયાન યોજાવાની હતી. PSEB અનુસાર, પૂર્વ નિર્ધારીત અંગ્રેજીની પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. જો કે પરીક્ષાનું સાચું કારણ શું છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.આ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


શા માટે રદ્દ કરાઈ પરીક્ષા?


PSEB અનુસાર, વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં પંજાબ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. પંજાબ બોર્ડની અંગ્રેજી પરીક્ષા 2023માં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બેસવાના હતા. નિર્ધારિત સમય કરતાં માત્ર 30 મિનિટ પહેલાં પેપર રદ કરવામાં આવ્યું હતું. હવે એવી અપેક્ષા છે કે પંજાબ બોર્ડ ટૂંક સમયમાં આ બાબતે વિગતો જાહેર કરશે. પંજાબ બોર્ડે તાજેતરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ શીટમાં સુધારો કર્યો હતો. 


જો કે અંગ્રેજીની પરીક્ષા રદ્દ થવાનું મુખ્ય કારણ અલગ છે. વિવિધ મીડિયા રિપોર્ટ પ્રમાણે પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જો કે બોર્ડ આ મુદ્દે મૌન છે, અને તેથી પેપર લીકની આશંકા વધુ મજબુત બની છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.