પ્રથમ તબક્કામાં ઓછા મતદાન અંગે પરષોત્તમ રૂપાલાએ આપ્યું આ વિચિત્ર કારણ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:36:50

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ આ મુદ્દે તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ઓછા મતદાનના કારણો અંગે છણાવટ કરવામાં આવી રહી છે. જો કે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઓછા મતદાનને લઈ કાંઈ અલગ જ તર્ક રજૂ કર્યો છે. 


પરષોત્તમ રૂપાલાએ શું કહ્યું?


પરષોત્તમ રૂપાલાએ ભાજપના ઉમેદવાર જ્યંતી રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે મુલાકાતમાં તેમણે ઓછા મતદાન અંગે જણાવ્યું હતું કે બે કારણોથી મતદાન ઓછું થયું છે. એક તો લગ્નગાળો હોવાથી લોકો ઓછા મતદાન કરવા માટે નિકળ્યા હતા જ્યારે બીજુ કે આ વખતે એક તરફી એટલે ભાજપ તરફી વાતાવરણ હોવાના કારણે મતદાન ઓછું થયું છે. તેમણે એવો પણ તર્ક લગાવ્યો હતો કે બે ઉમેદવારો વચ્ચે ચર્ચા અને રસાકસી હોય તો વધુ મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે માત્ર ભાજપ તરફી જ માહોલ છે તેના કારણે મતદાન ઓછું થયું છે. 






ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.