પ્રથમ તબક્કામાં ઓછા મતદાન અંગે પરષોત્તમ રૂપાલાએ આપ્યું આ વિચિત્ર કારણ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:36:50

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ આ મુદ્દે તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ઓછા મતદાનના કારણો અંગે છણાવટ કરવામાં આવી રહી છે. જો કે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઓછા મતદાનને લઈ કાંઈ અલગ જ તર્ક રજૂ કર્યો છે. 


પરષોત્તમ રૂપાલાએ શું કહ્યું?


પરષોત્તમ રૂપાલાએ ભાજપના ઉમેદવાર જ્યંતી રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે મુલાકાતમાં તેમણે ઓછા મતદાન અંગે જણાવ્યું હતું કે બે કારણોથી મતદાન ઓછું થયું છે. એક તો લગ્નગાળો હોવાથી લોકો ઓછા મતદાન કરવા માટે નિકળ્યા હતા જ્યારે બીજુ કે આ વખતે એક તરફી એટલે ભાજપ તરફી વાતાવરણ હોવાના કારણે મતદાન ઓછું થયું છે. તેમણે એવો પણ તર્ક લગાવ્યો હતો કે બે ઉમેદવારો વચ્ચે ચર્ચા અને રસાકસી હોય તો વધુ મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે માત્ર ભાજપ તરફી જ માહોલ છે તેના કારણે મતદાન ઓછું થયું છે. 






પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.