મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા-2! આ તારીખે ફિલ્મનું ટિઝર થઈ શકે છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-03-20 17:12:33

સમગ્ર વિશ્વમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પૂષ્પા: ધ રાઈઝએ તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું સીક્વલ આવનાર સમયમાં આવી રહ્યું છે. આ ફિલ્મના સીક્વલ બનાવા મેકર્સ જી જાન લગાવી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આવતા મહિને જ્યારે અલ્લૂ અર્જૂનનો બર્થડે છે તે દિવસે 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર રિલીઝ થઈ શકે છે. 


દર્શકોમાં ફિલ્મને લઈ જોવા મળ્યો ઉત્સાહ 

વર્ષ 2021માં અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ આવી હતી. આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. સમગ્ર દેશમાં આ ફિલ્મને સારી લોકચાહના મળી હતી. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે બોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે રિલીઝ થશે તેને લઈ દર્શકોમાં કુતુહલ જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. 

    

અલ્લુ અર્જૂનના જન્મદિવસે ટીઝર થઈ શકે છે રિલીઝ 

મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જૂનના બર્થ ડેના દિવસે પુષ્પા-2નું ટીઝર રિલીઝ થઈ શકે છે. બેંગલુરૂ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મલ્યાલમ એક્ટર પણ આવનાર દિવસોમાં આ ફિલ્મમાં જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. ત્રણ મિનીટનું એક્શન ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થઈ શકે છે. મ્યઝિક અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈ કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 


પૂરજોશમાં ચાલી રહ્યું છે પુષ્પા-2નું શૂટિંગ 

પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ વધારે હટકે હોય વધારે દમદાર હોય તે માટે મેકર્સ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. વધારે મહેનત આ ફિલ્મ પાછળ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈ કોઈ જાણકારી આવે તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ આવનારી ફિલ્મને લઈ ક્રેજ હમણાંથી જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મને લઈ ઘણા આતુર હોય તેવું લાગી રહ્યું છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી