મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા-2! આ તારીખે ફિલ્મનું ટિઝર થઈ શકે છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-03-20 17:12:33

સમગ્ર વિશ્વમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પૂષ્પા: ધ રાઈઝએ તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું સીક્વલ આવનાર સમયમાં આવી રહ્યું છે. આ ફિલ્મના સીક્વલ બનાવા મેકર્સ જી જાન લગાવી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આવતા મહિને જ્યારે અલ્લૂ અર્જૂનનો બર્થડે છે તે દિવસે 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર રિલીઝ થઈ શકે છે. 


દર્શકોમાં ફિલ્મને લઈ જોવા મળ્યો ઉત્સાહ 

વર્ષ 2021માં અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ આવી હતી. આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. સમગ્ર દેશમાં આ ફિલ્મને સારી લોકચાહના મળી હતી. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે બોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે રિલીઝ થશે તેને લઈ દર્શકોમાં કુતુહલ જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. 

    

અલ્લુ અર્જૂનના જન્મદિવસે ટીઝર થઈ શકે છે રિલીઝ 

મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જૂનના બર્થ ડેના દિવસે પુષ્પા-2નું ટીઝર રિલીઝ થઈ શકે છે. બેંગલુરૂ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મલ્યાલમ એક્ટર પણ આવનાર દિવસોમાં આ ફિલ્મમાં જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. ત્રણ મિનીટનું એક્શન ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થઈ શકે છે. મ્યઝિક અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈ કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 


પૂરજોશમાં ચાલી રહ્યું છે પુષ્પા-2નું શૂટિંગ 

પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ વધારે હટકે હોય વધારે દમદાર હોય તે માટે મેકર્સ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. વધારે મહેનત આ ફિલ્મ પાછળ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈ કોઈ જાણકારી આવે તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ આવનારી ફિલ્મને લઈ ક્રેજ હમણાંથી જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મને લઈ ઘણા આતુર હોય તેવું લાગી રહ્યું છે.  




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.