મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા-2! આ તારીખે ફિલ્મનું ટિઝર થઈ શકે છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-03-20 17:12:33

સમગ્ર વિશ્વમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પૂષ્પા: ધ રાઈઝએ તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું સીક્વલ આવનાર સમયમાં આવી રહ્યું છે. આ ફિલ્મના સીક્વલ બનાવા મેકર્સ જી જાન લગાવી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આવતા મહિને જ્યારે અલ્લૂ અર્જૂનનો બર્થડે છે તે દિવસે 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર રિલીઝ થઈ શકે છે. 


દર્શકોમાં ફિલ્મને લઈ જોવા મળ્યો ઉત્સાહ 

વર્ષ 2021માં અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ આવી હતી. આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. સમગ્ર દેશમાં આ ફિલ્મને સારી લોકચાહના મળી હતી. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે બોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે રિલીઝ થશે તેને લઈ દર્શકોમાં કુતુહલ જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. 

    

અલ્લુ અર્જૂનના જન્મદિવસે ટીઝર થઈ શકે છે રિલીઝ 

મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જૂનના બર્થ ડેના દિવસે પુષ્પા-2નું ટીઝર રિલીઝ થઈ શકે છે. બેંગલુરૂ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મલ્યાલમ એક્ટર પણ આવનાર દિવસોમાં આ ફિલ્મમાં જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. ત્રણ મિનીટનું એક્શન ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થઈ શકે છે. મ્યઝિક અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈ કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 


પૂરજોશમાં ચાલી રહ્યું છે પુષ્પા-2નું શૂટિંગ 

પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ વધારે હટકે હોય વધારે દમદાર હોય તે માટે મેકર્સ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. વધારે મહેનત આ ફિલ્મ પાછળ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈ કોઈ જાણકારી આવે તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ આવનારી ફિલ્મને લઈ ક્રેજ હમણાંથી જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મને લઈ ઘણા આતુર હોય તેવું લાગી રહ્યું છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.