મોટા પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા-2! આ તારીખે ફિલ્મનું ટિઝર થઈ શકે છે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-03-20 17:12:33

સમગ્ર વિશ્વમાં અલ્લૂ અર્જુનની ફિલ્મ પૂષ્પા: ધ રાઈઝએ તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર આ ફિલ્મનું સીક્વલ આવનાર સમયમાં આવી રહ્યું છે. આ ફિલ્મના સીક્વલ બનાવા મેકર્સ જી જાન લગાવી રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ આવતા મહિને જ્યારે અલ્લૂ અર્જૂનનો બર્થડે છે તે દિવસે 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર રિલીઝ થઈ શકે છે. 


દર્શકોમાં ફિલ્મને લઈ જોવા મળ્યો ઉત્સાહ 

વર્ષ 2021માં અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ આવી હતી. આ ફિલ્મે અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. સમગ્ર દેશમાં આ ફિલ્મને સારી લોકચાહના મળી હતી. તેલુગુ ભાષામાં રિલીઝ થયેલી ફિલ્મે બોલિવુડમાં અનેક રેકોર્ડ સર્જયા હતા. ત્યારે આ ફિલ્મની સિક્વલ ક્યારે રિલીઝ થશે તેને લઈ દર્શકોમાં કુતુહલ જોવા મળી રહ્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. 

    

અલ્લુ અર્જૂનના જન્મદિવસે ટીઝર થઈ શકે છે રિલીઝ 

મળતી માહિતી અનુસાર અલ્લુ અર્જૂનના બર્થ ડેના દિવસે પુષ્પા-2નું ટીઝર રિલીઝ થઈ શકે છે. બેંગલુરૂ ખાતે આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મલ્યાલમ એક્ટર પણ આવનાર દિવસોમાં આ ફિલ્મમાં જોડાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. ત્રણ મિનીટનું એક્શન ટીઝર 8 એપ્રિલના રોજ રિલીઝ થઈ શકે છે. મ્યઝિક અને બેક ગ્રાઉન્ડ મ્યુઝિકને લઈ કામ ચાલી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. 


પૂરજોશમાં ચાલી રહ્યું છે પુષ્પા-2નું શૂટિંગ 

પુષ્પા ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલ વધારે હટકે હોય વધારે દમદાર હોય તે માટે મેકર્સ અનેક પ્રયત્નો કરી રહ્યા છે. વધારે મહેનત આ ફિલ્મ પાછળ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મને લઈ કોઈ જાણકારી આવે તે પહેલા જ સોશિયલ મીડિયા પર આ આવનારી ફિલ્મને લઈ ક્રેજ હમણાંથી જોવા મળી રહ્યો છે. દર્શકો આ ફિલ્મને લઈ ઘણા આતુર હોય તેવું લાગી રહ્યું છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.