એ હાલો... પીવી સિંધુ પણ ગરબે ઘૂમયાં....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:36:52

ભારતનો સૌથી મોટો ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં નીરજ ચોપરાથી લઇને પીવી સિંધુ જેવા રમતવીરોએ હાજરી આપી હતી. જ્યારે અત્યારે નવરાત્રીનો પાવન પર્વ ચાલે છે ત્યારે જે ગુજરાત આવે ગરબે ઘૂમ્યા વગર કઈ રીતે જઈ શકે? તો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી હતી. ખેલાડી અમદાવાદમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમવા માટે પહોંચ્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 

PMની પ્રશંસા પણ કરી!!!
પીવી સિંધુએ PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું, વડાપ્રધાને સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે, તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવાનો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે.”

 
પીવી સિંધુએ રમતવીરોને સલાહ આપી..
પીવી સિંધુએ ચર્ચામાં પોતાની ગેમ વિશે વાત કરી હતી. સિંધુએ કહ્યું હતું કે, ઓલોમ્પિક પહેલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. પહેલા એવું હતું કે, ચાઈના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે, આપણે પણ હવે ચાઈનાને ફાઈટ આપવા લાગ્યા છીએ



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.