એ હાલો... પીવી સિંધુ પણ ગરબે ઘૂમયાં....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:36:52

ભારતનો સૌથી મોટો ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં નીરજ ચોપરાથી લઇને પીવી સિંધુ જેવા રમતવીરોએ હાજરી આપી હતી. જ્યારે અત્યારે નવરાત્રીનો પાવન પર્વ ચાલે છે ત્યારે જે ગુજરાત આવે ગરબે ઘૂમ્યા વગર કઈ રીતે જઈ શકે? તો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી હતી. ખેલાડી અમદાવાદમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમવા માટે પહોંચ્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 

PMની પ્રશંસા પણ કરી!!!
પીવી સિંધુએ PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું, વડાપ્રધાને સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે, તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવાનો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે.”

 
પીવી સિંધુએ રમતવીરોને સલાહ આપી..
પીવી સિંધુએ ચર્ચામાં પોતાની ગેમ વિશે વાત કરી હતી. સિંધુએ કહ્યું હતું કે, ઓલોમ્પિક પહેલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. પહેલા એવું હતું કે, ચાઈના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે, આપણે પણ હવે ચાઈનાને ફાઈટ આપવા લાગ્યા છીએ



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.