એ હાલો... પીવી સિંધુ પણ ગરબે ઘૂમયાં....


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:36:52

ભારતનો સૌથી મોટો ખેલ મહોત્સવ, 36મી નેશનલ ગેમ્સનું વડાપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં નીરજ ચોપરાથી લઇને પીવી સિંધુ જેવા રમતવીરોએ હાજરી આપી હતી. જ્યારે અત્યારે નવરાત્રીનો પાવન પર્વ ચાલે છે ત્યારે જે ગુજરાત આવે ગરબે ઘૂમ્યા વગર કઈ રીતે જઈ શકે? તો બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ ગુરવારે રાતે ગરબાની મજા માણી હતી. ખેલાડી અમદાવાદમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘુમવા માટે પહોંચ્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 

PMની પ્રશંસા પણ કરી!!!
પીવી સિંધુએ PM મોદીની પ્રશંસા કરતાં કહ્યું, વડાપ્રધાને સ્પોર્ટસ માટે ઘણું બધું કર્યું છે. કોઈપણ ટુર્નામેન્ટ પેહલા અમારી સાથે વાત કરે છે અમને ઉત્સાહ પૂરો પાડે છે. વડાપ્રધાને અમને 100% સપોર્ટ આપ્યો છે, તો અમે પણ 100% આપવાનો પ્રયત્ન કરીએ છીએ. વડાપ્રધાન સાથે બધાને વાત કરવાનો ચાન્સ નથી મળતો પરંતુ અમારી સાથે ઘણી સારી રીતે ડિસ્કશન કરે છે.”

 
પીવી સિંધુએ રમતવીરોને સલાહ આપી..
પીવી સિંધુએ ચર્ચામાં પોતાની ગેમ વિશે વાત કરી હતી. સિંધુએ કહ્યું હતું કે, ઓલોમ્પિક પહેલા પણ ઘણી ટુર્નામેન્ટ રમવાની છે. પહેલા એવું હતું કે, ચાઈના સામે રમવું ઘણું અઘરું હતું. પરંતુ હવે ગેમ બદલાઈ છે, આપણે પણ હવે ચાઈનાને ફાઈટ આપવા લાગ્યા છીએ



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.