મહેસાણાના કડીમાં પીઆઇ જે.પી સોલંકીની બદલીની બદલી પર ઉઠ્યા સવાલો, કોના ઈશારે કરાઈ ટ્રાન્સફર?


  • Published By :
  • Published Date : 2023-11-09 17:02:33

મહેસાણા જિલ્લાનું કડીમાં હત્યા, લૂંટ અને ચોરીઓની ઘટનાઓ અવારનવાર બને છે, તો બીજી તરફ  દારૂ જુગાર અને ક્રિકેટ સટ્ટાનું મોટું હબ બન્યું છે. અહી બૂટલેગરો અને અસમાજીક તત્વો એટલા બેફામ છે કે અહી DYSP જેવા અધિકારીઓ ઉપર પણ હુમલા થઈ ચૂક્યાછે. જો કે આ બધાની વચ્ચે કડી પોલીસ મથકમાં અનેક પોલિસ અધિકારીઓ અને પોલીસ  કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. કયાંક દારૂ જુગારના કેસો ન કરવા તો ક્યાક દારુ ને સગે વગે કરવાના મામલે કડી પોલીસ મથકમાં હંમેશા પોલીસ અધિકારીઓ ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં વધૂ એક વિવાદ સામે આવ્યો છે. ગાંધીનગર રેંજ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી. સોલંકીની બદલી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક અસરથી બદલી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કડી પોલીસ સ્ટેશનમાં પી.આઈ એ.યુ રોઝને વધારાનો ચાર્જ સોંપાયો છે. પી.આઇ જે.પી. સોલંકીની બદલી કોના ઈશારે કરાઈ તે આજે મોટી ચર્ચાનો વિષય બન્યો છે.


 જે.પી સોલંકીની બદલી શા માટે?


કડીમાં નવા પી આઇ જે.પી સોલંકીની તારીખ 16.9.2023ના રોજ નિમણુક થઈ હતી. જે.પી સોલંકી ની કડી પી.આઇ તરીકે બદલી થતાની સાથે પી.આઇ એ દારુ જુગાર અને ક્રિકેટ સટોડિયા પર અનેક કેસ કર્યા જેના કારણે ક્રિકેટ સટોડિયા કડી છોડવા મજબુર બન્યા હતા. માત્ર પોણા બે મહિનાના સમય ગાળા દરમિયાન 100થી વધારે જુગારી ઝડપી લીધા તો બીજી તરફ કડી માં બેસી એમેરિકાના નાગરિકોને ઠગતા ટોળકીનું એક કોલ સેન્ટર પણ પકડાયું એક દીવસ અગાઉ કડીના કસ્બા વિસ્તારમાંથી એમ.ડી ડ્રસનો કાળા કારોબારનો પર્દાફાસ પણ કર્યો  જો કે આ બધાની વચ્ચે એક એવી ઘટના બની જેમા કડી ના પી આઈ ની તાત્કાલિક બદલી થઈ વાત જાણે એમ છે. કડી પોલીસે ને બાતમી મળી કે છત્રાલ રોડ પર એક લકઝરી આવી રહી છે જેમાં ઓન લાઇન જુગાર રમાય છે. જેમાં પોલીસે રેડ કરી 21 લોકો સામે એફ.આઇ.આર નોંધી જો કે ત્યાર બાદ પોલીસ પર આરોપ લાગ્યા કે આ કેસમાં પોલીસે 17 લાખનો તોડ કર્યો છે. આ આરોપ ખુદ કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ લગાવ્યા હતા. આ કેસમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ખુદ કડી પોલીસ મથકમાં ગયા અને આ કેસમાં આરોપીને છોડાવવા ભલામણ કરી હતી તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. જો કે ત્યાર બાદ આરોપીને જામીન આપ્યા પણ ત્યાર બાદ રાજકિય માહોલ ગરમાયો અને પોલીસે તોડ કર્યાનો આરોપ અંગેનો મામલો ગાંધીનગર ગૃહ રાજ્ય મંત્રી અને રેન્જ આઇ જી સુઘી પહોંચ્યો હતો. 


અનેક સવાલો રહ્યા વણઉત્તર


કડીના પી આઇ જે.પી સોલંકીની બદલીને લઈ તાત્કાલિક પી.આઈની બદલી થઈ જો કે સવાલ એ થાય છે કે જો પોલીસે પૈસા લીધા તો FIR શા માટે કરી અને FIR નોંધાઇ તો પૈસા શા માટે પોલીસને આપવા પડ્યા? એવા તો કેવા જુગારી હતા કે જેની ભલામણ ખુદ ધારાસભ્ય કરવા આવ્યા ? જો પોલીસે પૈસા લીધા હતા તો તેની ફરિયાદ ધારાસભ્ય દ્વારા એસીબીમાં ફરિયાદ કેમ કરવામાં ન આવી? સવાલ એ પણ થઇ રહ્યો છે કે શું જુગારી અને બુટલેગર ને સાચવવા અને પોલીસ રેડ ન કરે તે માટે પોલીસ પર આ રીતે દબાણ કરવામા આવે છે? રેન્જ આઈએ તપાસના આદેશ આપ્યા વિના જ રાજકિય ઇશારે બદલી કરી નાખી હોય તેવું ભર બજારે ચર્ચાઈ રહ્યું છે તે પણ ઘણા સવાલ ઉભા કરે છે. શું ખાખીના કામ સામે ખાદીની ઈસ્ત્રી ઢીલી થઇ ગઈ કે ખાખી નારાજ થતાં તેમને મનાવવા પી.આઈની બદલી કરી દેવાઈ?



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..