મહેસાણાના કડીમાં પીઆઇ જે.પી સોલંકીની બદલીની બદલી પર ઉઠ્યા સવાલો, કોના ઈશારે કરાઈ ટ્રાન્સફર?


  • Published By :
  • Published Date : 2023-11-09 17:02:33

મહેસાણા જિલ્લાનું કડીમાં હત્યા, લૂંટ અને ચોરીઓની ઘટનાઓ અવારનવાર બને છે, તો બીજી તરફ  દારૂ જુગાર અને ક્રિકેટ સટ્ટાનું મોટું હબ બન્યું છે. અહી બૂટલેગરો અને અસમાજીક તત્વો એટલા બેફામ છે કે અહી DYSP જેવા અધિકારીઓ ઉપર પણ હુમલા થઈ ચૂક્યાછે. જો કે આ બધાની વચ્ચે કડી પોલીસ મથકમાં અનેક પોલિસ અધિકારીઓ અને પોલીસ  કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. કયાંક દારૂ જુગારના કેસો ન કરવા તો ક્યાક દારુ ને સગે વગે કરવાના મામલે કડી પોલીસ મથકમાં હંમેશા પોલીસ અધિકારીઓ ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં વધૂ એક વિવાદ સામે આવ્યો છે. ગાંધીનગર રેંજ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે કડી પોલીસ સ્ટેશનના પી.આઇ જે.પી. સોલંકીની બદલી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો હતો. તાત્કાલિક અસરથી બદલી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ કડી પોલીસ સ્ટેશનમાં પી.આઈ એ.યુ રોઝને વધારાનો ચાર્જ સોંપાયો છે. પી.આઇ જે.પી. સોલંકીની બદલી કોના ઈશારે કરાઈ તે આજે મોટી ચર્ચાનો વિષય બન્યો છે.


 જે.પી સોલંકીની બદલી શા માટે?


કડીમાં નવા પી આઇ જે.પી સોલંકીની તારીખ 16.9.2023ના રોજ નિમણુક થઈ હતી. જે.પી સોલંકી ની કડી પી.આઇ તરીકે બદલી થતાની સાથે પી.આઇ એ દારુ જુગાર અને ક્રિકેટ સટોડિયા પર અનેક કેસ કર્યા જેના કારણે ક્રિકેટ સટોડિયા કડી છોડવા મજબુર બન્યા હતા. માત્ર પોણા બે મહિનાના સમય ગાળા દરમિયાન 100થી વધારે જુગારી ઝડપી લીધા તો બીજી તરફ કડી માં બેસી એમેરિકાના નાગરિકોને ઠગતા ટોળકીનું એક કોલ સેન્ટર પણ પકડાયું એક દીવસ અગાઉ કડીના કસ્બા વિસ્તારમાંથી એમ.ડી ડ્રસનો કાળા કારોબારનો પર્દાફાસ પણ કર્યો  જો કે આ બધાની વચ્ચે એક એવી ઘટના બની જેમા કડી ના પી આઈ ની તાત્કાલિક બદલી થઈ વાત જાણે એમ છે. કડી પોલીસે ને બાતમી મળી કે છત્રાલ રોડ પર એક લકઝરી આવી રહી છે જેમાં ઓન લાઇન જુગાર રમાય છે. જેમાં પોલીસે રેડ કરી 21 લોકો સામે એફ.આઇ.આર નોંધી જો કે ત્યાર બાદ પોલીસ પર આરોપ લાગ્યા કે આ કેસમાં પોલીસે 17 લાખનો તોડ કર્યો છે. આ આરોપ ખુદ કડીના ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીએ લગાવ્યા હતા. આ કેસમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી ખુદ કડી પોલીસ મથકમાં ગયા અને આ કેસમાં આરોપીને છોડાવવા ભલામણ કરી હતી તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. જો કે ત્યાર બાદ આરોપીને જામીન આપ્યા પણ ત્યાર બાદ રાજકિય માહોલ ગરમાયો અને પોલીસે તોડ કર્યાનો આરોપ અંગેનો મામલો ગાંધીનગર ગૃહ રાજ્ય મંત્રી અને રેન્જ આઇ જી સુઘી પહોંચ્યો હતો. 


અનેક સવાલો રહ્યા વણઉત્તર


કડીના પી આઇ જે.પી સોલંકીની બદલીને લઈ તાત્કાલિક પી.આઈની બદલી થઈ જો કે સવાલ એ થાય છે કે જો પોલીસે પૈસા લીધા તો FIR શા માટે કરી અને FIR નોંધાઇ તો પૈસા શા માટે પોલીસને આપવા પડ્યા? એવા તો કેવા જુગારી હતા કે જેની ભલામણ ખુદ ધારાસભ્ય કરવા આવ્યા ? જો પોલીસે પૈસા લીધા હતા તો તેની ફરિયાદ ધારાસભ્ય દ્વારા એસીબીમાં ફરિયાદ કેમ કરવામાં ન આવી? સવાલ એ પણ થઇ રહ્યો છે કે શું જુગારી અને બુટલેગર ને સાચવવા અને પોલીસ રેડ ન કરે તે માટે પોલીસ પર આ રીતે દબાણ કરવામા આવે છે? રેન્જ આઈએ તપાસના આદેશ આપ્યા વિના જ રાજકિય ઇશારે બદલી કરી નાખી હોય તેવું ભર બજારે ચર્ચાઈ રહ્યું છે તે પણ ઘણા સવાલ ઉભા કરે છે. શું ખાખીના કામ સામે ખાદીની ઈસ્ત્રી ઢીલી થઇ ગઈ કે ખાખી નારાજ થતાં તેમને મનાવવા પી.આઈની બદલી કરી દેવાઈ?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.