આર્યન ખાન કેસ પર અમુક અધિકારીની ભૂમિકા પર ઉઠ્યા સવાલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:20:34

એનસીબીની સ્પેશિયલ વિજલેન્સ ટીમે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં રિપોર્ટ દિલ્લી એનસીબીને સોંપી દીધી છે. તપાસમાં જોવા મળ્યું છે કે આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે 65 જેટલા લોકોના નિવેદનનો નોંધવામાં આવ્યા. ઘણા લોકોએ પોતાના નિવેદનો 4-5 વાર બદલાવ્યા હતા


7-8 અધિકારીની તપાસ કામગીરી પર શંકા

આર્યન ખાન કેસના તપાસ દરમિયાન અમુક મામલાની તપાસમાં ખામીઓ જોવા મળી છે. તપાસમાં અમુક લોકો સિલોક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે 7-8 એનસીબી અધિકારીની ભૂમિકા પર શંકા રાખવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


શું છે સમગ્ર મામલો?

મુંબઈ ક્રુઝ કેસમાં આર્યન ખાનને એનસીબીએ ક્લિન ચીટ આપી દીધી છે. ત્યાર બાદ સરકારે તપાસમાં જોડાયેલા અધિકારીની ભૂમિકા પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને ગત વર્ષના ઓક્ટોબર માસમાં ક્રુઝ પર ઝડપવામાં આવ્યો હતો. આ ક્રુઝ પર ડ્રગ્સ લેવામાં આવી રહી હતી. આર્યન ખાનને 22 દિવસની જેલ કરવામાં આવી હતી ત્યાર બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.