આર્યન ખાન કેસ પર અમુક અધિકારીની ભૂમિકા પર ઉઠ્યા સવાલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:20:34

એનસીબીની સ્પેશિયલ વિજલેન્સ ટીમે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં રિપોર્ટ દિલ્લી એનસીબીને સોંપી દીધી છે. તપાસમાં જોવા મળ્યું છે કે આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે 65 જેટલા લોકોના નિવેદનનો નોંધવામાં આવ્યા. ઘણા લોકોએ પોતાના નિવેદનો 4-5 વાર બદલાવ્યા હતા


7-8 અધિકારીની તપાસ કામગીરી પર શંકા

આર્યન ખાન કેસના તપાસ દરમિયાન અમુક મામલાની તપાસમાં ખામીઓ જોવા મળી છે. તપાસમાં અમુક લોકો સિલોક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે 7-8 એનસીબી અધિકારીની ભૂમિકા પર શંકા રાખવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


શું છે સમગ્ર મામલો?

મુંબઈ ક્રુઝ કેસમાં આર્યન ખાનને એનસીબીએ ક્લિન ચીટ આપી દીધી છે. ત્યાર બાદ સરકારે તપાસમાં જોડાયેલા અધિકારીની ભૂમિકા પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને ગત વર્ષના ઓક્ટોબર માસમાં ક્રુઝ પર ઝડપવામાં આવ્યો હતો. આ ક્રુઝ પર ડ્રગ્સ લેવામાં આવી રહી હતી. આર્યન ખાનને 22 દિવસની જેલ કરવામાં આવી હતી ત્યાર બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.  



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.