આર્યન ખાન કેસ પર અમુક અધિકારીની ભૂમિકા પર ઉઠ્યા સવાલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:20:34

એનસીબીની સ્પેશિયલ વિજલેન્સ ટીમે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન મામલામાં રિપોર્ટ દિલ્લી એનસીબીને સોંપી દીધી છે. તપાસમાં જોવા મળ્યું છે કે આ કેસમાં ઢીલાશ રાખવામાં આવી હતી. તપાસમાં સામેલ અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે 65 જેટલા લોકોના નિવેદનનો નોંધવામાં આવ્યા. ઘણા લોકોએ પોતાના નિવેદનો 4-5 વાર બદલાવ્યા હતા


7-8 અધિકારીની તપાસ કામગીરી પર શંકા

આર્યન ખાન કેસના તપાસ દરમિયાન અમુક મામલાની તપાસમાં ખામીઓ જોવા મળી છે. તપાસમાં અમુક લોકો સિલોક્ટિવ હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે 7-8 એનસીબી અધિકારીની ભૂમિકા પર શંકા રાખવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 


શું છે સમગ્ર મામલો?

મુંબઈ ક્રુઝ કેસમાં આર્યન ખાનને એનસીબીએ ક્લિન ચીટ આપી દીધી છે. ત્યાર બાદ સરકારે તપાસમાં જોડાયેલા અધિકારીની ભૂમિકા પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આર્યન ખાનને ગત વર્ષના ઓક્ટોબર માસમાં ક્રુઝ પર ઝડપવામાં આવ્યો હતો. આ ક્રુઝ પર ડ્રગ્સ લેવામાં આવી રહી હતી. આર્યન ખાનને 22 દિવસની જેલ કરવામાં આવી હતી ત્યાર બાદ જેલ મુક્ત કરવામાં આવ્યો હતો.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી