વિવાદિત ટિપ્પણઓના કારણે સંતો સામે રોષ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 19:42:03


છેલ્લા કેટલાક સમયથી સાધુઑએ આપેલ  વિવાદિત નિવેદનો ના કારણે ચર્ચામાં છે ત્યારે પ્રબોધ સ્વામી જૂથના સાધુ દ્વારા ભગવાન વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું. જે મામલે રાજ્યભરમાં ભારે વિરોધ થયો હતો. અને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે .પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામી પોતાના કાર્યક્રમને લઈને વડોદરામાં આવી રહ્યા છે. એવામાં તેમના આગમન પહેલા જ પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું અપમાન કરવા બદલ તેઓના વિરોધમાં વડોદરામાં બેનરો લગાવવામાં આવ્યા છે. 


પ્રબોધ સ્વામી જૂથ દ્વારા ભગવાન શિવજી માટે અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને તે માટે તેમની આકરી ટીકા પણ થઇ હતી. વડોદરા ખાતે પ્રબોધ સ્વામી તેમજ આનંદ સાગર સ્વામીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના એરપોર્ટ રોડ ઉપર તેઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં તેઓને વડોદરામાં પ્રવેશ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ બેનર સનાતન સંત સમિતિ ગુજરાતના નામે લાગ્યા છે. મસમોટા બેનરો લગાવી આ બંને સ્વામી વડોદરામાં ન પ્રવેશે તેમ દર્શાવવામાં આવ્યું છે.

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.