IPLની મેચ જોવા પહોચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા આવ્યા ચર્ચામાં! સ્ટેડિયમમાં લાગ્યા 'પરિણીતિ ભાભી ઝિંદાબાદ'ના નારા! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-04 11:48:42

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં રહ્યા છે. ટૂંક સમયમાં બંને સગાઈ કરવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે સગાઈને ચાલતી અટકળો વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક સાથે દેખાયા હતા. બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચને જોવા બંને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મેચ જોતા નજરે પડ્યા છે. તે ઉપરાંત પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા પણ લોકોએ લગાવ્યા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

      


મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા!   

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવા સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે તેવા સમાચારો પણ અનેક વખત સામે આવ્યા છે ત્યારે લેટેસ્ટમાં તેમની સગાઈને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે બુધવારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મોહાલીમાં મેચ જોવા પહોંચ્યા હતા. બંને એક સાથે દેખાતા સોશિયલ મીડિયા પર ફરી એક વખત તેમની ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


શું બંને કરવાના છે સગાઈ?  

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે મેચ દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં પરિણીતિએ બ્લેક ડ્રેસ પહેર્યો છે તો રાઘવએ બ્લુ શર્ટ પહેર્યો છે. બંનેને એક સાથે જોતા સ્ટેડિયમમાં હાજર લોકોએ પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.મેચ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે 13 મેના રોજ બંને જણા સગાઈ કરવાના છે. આ વાતની પુષ્ટી બંનેમાંથી કોઈએ નથી કરી.      




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.