IPLની મેચ જોવા પહોચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા આવ્યા ચર્ચામાં! સ્ટેડિયમમાં લાગ્યા 'પરિણીતિ ભાભી ઝિંદાબાદ'ના નારા! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-04 11:48:42

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં રહ્યા છે. ટૂંક સમયમાં બંને સગાઈ કરવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે સગાઈને ચાલતી અટકળો વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક સાથે દેખાયા હતા. બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચને જોવા બંને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મેચ જોતા નજરે પડ્યા છે. તે ઉપરાંત પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા પણ લોકોએ લગાવ્યા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

      


મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા!   

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવા સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે તેવા સમાચારો પણ અનેક વખત સામે આવ્યા છે ત્યારે લેટેસ્ટમાં તેમની સગાઈને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે બુધવારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મોહાલીમાં મેચ જોવા પહોંચ્યા હતા. બંને એક સાથે દેખાતા સોશિયલ મીડિયા પર ફરી એક વખત તેમની ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


શું બંને કરવાના છે સગાઈ?  

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે મેચ દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં પરિણીતિએ બ્લેક ડ્રેસ પહેર્યો છે તો રાઘવએ બ્લુ શર્ટ પહેર્યો છે. બંનેને એક સાથે જોતા સ્ટેડિયમમાં હાજર લોકોએ પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.મેચ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે 13 મેના રોજ બંને જણા સગાઈ કરવાના છે. આ વાતની પુષ્ટી બંનેમાંથી કોઈએ નથી કરી.      




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.