IPLની મેચ જોવા પહોચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા આવ્યા ચર્ચામાં! સ્ટેડિયમમાં લાગ્યા 'પરિણીતિ ભાભી ઝિંદાબાદ'ના નારા! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-04 11:48:42

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં રહ્યા છે. ટૂંક સમયમાં બંને સગાઈ કરવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે સગાઈને ચાલતી અટકળો વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક સાથે દેખાયા હતા. બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચને જોવા બંને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મેચ જોતા નજરે પડ્યા છે. તે ઉપરાંત પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા પણ લોકોએ લગાવ્યા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

      


મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા!   

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવા સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે તેવા સમાચારો પણ અનેક વખત સામે આવ્યા છે ત્યારે લેટેસ્ટમાં તેમની સગાઈને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે બુધવારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મોહાલીમાં મેચ જોવા પહોંચ્યા હતા. બંને એક સાથે દેખાતા સોશિયલ મીડિયા પર ફરી એક વખત તેમની ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


શું બંને કરવાના છે સગાઈ?  

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે મેચ દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં પરિણીતિએ બ્લેક ડ્રેસ પહેર્યો છે તો રાઘવએ બ્લુ શર્ટ પહેર્યો છે. બંનેને એક સાથે જોતા સ્ટેડિયમમાં હાજર લોકોએ પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.મેચ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે 13 મેના રોજ બંને જણા સગાઈ કરવાના છે. આ વાતની પુષ્ટી બંનેમાંથી કોઈએ નથી કરી.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.