IPLની મેચ જોવા પહોચેલા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા આવ્યા ચર્ચામાં! સ્ટેડિયમમાં લાગ્યા 'પરિણીતિ ભાભી ઝિંદાબાદ'ના નારા! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-04 11:48:42

છેલ્લા ઘણા સમયથી એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ચર્ચામાં રહ્યા છે. ટૂંક સમયમાં બંને સગાઈ કરવાના છે તેવી વાતો વહેતી થઈ હતી. ત્યારે સગાઈને ચાલતી અટકળો વચ્ચે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક સાથે દેખાયા હતા. બુધવારે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચને જોવા બંને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો છે જેમાં બંને મેચ જોતા નજરે પડ્યા છે. તે ઉપરાંત પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા પણ લોકોએ લગાવ્યા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

      


મેચ જોવા પહોંચ્યા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા!   

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા એક બીજાને ડેટ કરી રહ્યા છે તેવા સમાચારો અનેક વખત સામે આવતા રહે છે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે તેવા સમાચારો પણ અનેક વખત સામે આવ્યા છે ત્યારે લેટેસ્ટમાં તેમની સગાઈને લઈ ચર્ચા થઈ રહી છે. ત્યારે બુધવારે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મોહાલીમાં મેચ જોવા પહોંચ્યા હતા. બંને એક સાથે દેખાતા સોશિયલ મીડિયા પર ફરી એક વખત તેમની ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું હતું.


શું બંને કરવાના છે સગાઈ?  

સોશિયલ મીડિયા પર તેમની તસવીરો વાયરલ થતી રહે છે. ત્યારે મેચ દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં પરિણીતિએ બ્લેક ડ્રેસ પહેર્યો છે તો રાઘવએ બ્લુ શર્ટ પહેર્યો છે. બંનેને એક સાથે જોતા સ્ટેડિયમમાં હાજર લોકોએ પરિણીતિ ભાભી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.મેચ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવી પણ વાતો વહેતી થઈ છે કે 13 મેના રોજ બંને જણા સગાઈ કરવાના છે. આ વાતની પુષ્ટી બંનેમાંથી કોઈએ નથી કરી.      




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.