રાઘવજી પટેલ એક્શનમાં, કૃષિ વિભાગની લેબોરેટરીની લીધી ઓચિંતી મુલાકાત


  • Published By :
  • Published Date : 2023-01-06 16:50:11

કૃષિમંત્રી રાઘવજી પટેલ કૃષિ વિભાગની કચેરીઓની સતત સરપ્રાઈઝ વિઝીટ કરી રહ્યા છે. આજે રાઘવજી  પટેલે કૃષિ વિભાગની લેબોરેટરીની ઓચિંતી વિઝીટ કરી હતી. રાઘવજી પટેલ ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલી રાજ્યના કૃષિ વિભાગની જમીન ચકાસણી લેબોરેટરીની અચાનક મુલાકાત કરી હતી. 


શું કહ્યું રાઘવજી પટેલે


રાઘવજી પટેલએ આજે રાઘવજી પટેલે કૃષિ વિભાગની લેબોરેટરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા) ની ઓચિંતી મુલાકાત લીધી હતી. અને કર્મચારીઓની હાજરી અંગે ચકાસણી કરી હતી. તેમણે કૃષિ વિભાગના સૌ કર્મચારીઓને હજુ પણ વધુ ક્ષમતા સાથે કાર્યરત થવાની જરૂર છે તેવું કહ્યુ હતું. વધુમાં તેમને સમયબધ્ધતા, સેવાબદ્ધતા અને કૃષિ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.


રાઘવજી પટેલ સતત એક્સન મોડમાં


રાઘવજી પટેલ તેમના હસ્તકના કર્મચારીઓની હાજરી અને કાર્યપધ્ધતી સુધારવા માટે અતિ સક્રિય બન્યા છે. રાઘવજી ભાઈએ ગઈ કાલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સરપ્રાઈઝ વિઝિટ માટે પહોંચ્યા હતા. જેમાં  ખુદ મત્સ્ય ઉધોગ કમીશનર નિતિન સાંગવાન મંત્રીની મુલાકાત સમયે ગેરહાજર હતા. આ સાથે  હિસાબી અધિકારી એમ વિ છાયા, નાયબ નિયામક – એમ ડી થાનકી, આસીસ્ટન્ટ ડિરેક્ટર – એન એમ શુક્લ, ડેપ્યુટી ડાયરેક્ટર- એમ કે ચૌધરી ગેર હાજર રહ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.