ગુજરાતના ચૂંટણી પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-08 17:01:38

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપની જંગી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ઓછી સીટોથી સંતોષ માનવો પડશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેટલી પણ સીટો મેળવી નથી. 16 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. ત્યારે કોંગ્રેસની હાર બાદ કાર્યકરો નારાજ જોવા મળ્યા છે. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે નારાજ થયેલા કાર્યકરોએ કોંગ્રેસ ભવન ખાતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર થયા બાદ રઘુ શર્માએ ગુજરાતના ચૂંટણીના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. 


મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું રાજીનામું

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપે 2017 કરતા પણ આ વખતે વધારે સીટો જીતી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આમ આદમી પાર્ટીની પણ જીત અનેક બેઠકો પર થઈ છે. પરંતુ આ વખતે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે તેને લઈ કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. 182 બેઠકો પરથી કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મલી હતી. ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું ટાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા ન આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ માત્ર એક કે બે જ સભાઓ સંબોધી હતી. ત્યારે કોંગ્રેસનું આ પરિણામ જોઈએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આ બધા વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી રઘુ શર્માએ સ્વીકારી છે અને તેને પગલે ગુજરાતના પ્રભારી તરીકે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 

        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.