ગુજરાતના ચૂંટણી પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-08 17:01:38

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપની જંગી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ઓછી સીટોથી સંતોષ માનવો પડશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેટલી પણ સીટો મેળવી નથી. 16 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. ત્યારે કોંગ્રેસની હાર બાદ કાર્યકરો નારાજ જોવા મળ્યા છે. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે નારાજ થયેલા કાર્યકરોએ કોંગ્રેસ ભવન ખાતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર થયા બાદ રઘુ શર્માએ ગુજરાતના ચૂંટણીના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. 


મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું રાજીનામું

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપે 2017 કરતા પણ આ વખતે વધારે સીટો જીતી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આમ આદમી પાર્ટીની પણ જીત અનેક બેઠકો પર થઈ છે. પરંતુ આ વખતે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે તેને લઈ કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. 182 બેઠકો પરથી કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મલી હતી. ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું ટાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા ન આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ માત્ર એક કે બે જ સભાઓ સંબોધી હતી. ત્યારે કોંગ્રેસનું આ પરિણામ જોઈએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આ બધા વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી રઘુ શર્માએ સ્વીકારી છે અને તેને પગલે ગુજરાતના પ્રભારી તરીકે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 

        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.