ગુજરાતના ચૂંટણી પ્રભારી પદેથી રઘુ શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-12-08 17:01:38

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભાજપની જંગી જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બહુ ઓછી સીટોથી સંતોષ માનવો પડશે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ આ વખતે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેટલી પણ સીટો મેળવી નથી. 16 જેટલી બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ. ત્યારે કોંગ્રેસની હાર બાદ કાર્યકરો નારાજ જોવા મળ્યા છે. એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે નારાજ થયેલા કાર્યકરોએ કોંગ્રેસ ભવન ખાતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર થયા બાદ રઘુ શર્માએ ગુજરાતના ચૂંટણીના પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું છે. 


મલ્લિકાર્જુન ખડગેને સોંપ્યું રાજીનામું

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી. ભાજપે 2017 કરતા પણ આ વખતે વધારે સીટો જીતી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આમ આદમી પાર્ટીની પણ જીત અનેક બેઠકો પર થઈ છે. પરંતુ આ વખતે કોંગ્રેસનું જે પરિણામ આવ્યું છે તેને લઈ કોંગ્રેસના નેતાઓની ચિંતા વધી છે. 182 બેઠકો પરથી કોંગ્રેસને માત્ર 16 બેઠકો જ મલી હતી. ગાંધી પરિવારના સભ્યોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાનું ટાળ્યું હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં પ્રચાર કરવા ન આવ્યા હતા જ્યારે રાહુલ ગાંધીએ માત્ર એક કે બે જ સભાઓ સંબોધી હતી. ત્યારે કોંગ્રેસનું આ પરિણામ જોઈએ કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આ બધા વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી રઘુ શર્માએ સ્વીકારી છે અને તેને પગલે ગુજરાતના પ્રભારી તરીકે તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે. 

        



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.