રેગિંગ અને રેપ કલચર લાગે છે સામન્ય બની ગયું છે !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 21:40:06


રાજકોટમાં એક હચમચાવી દેય તેવી ઘટના બની છે. રાજકોટનઈ એક પ્રાઇવેટ યુનિ. માં ભણતા  બીબીએ ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થી સાથે રેગિંગની એક ભયાનક ઘટના બની છે જેમાં સિનિયરો દ્વારા પહેલા તો નહાઈ રહેલા વિદ્યાર્થીનો અશ્લીલ વીડિયો બનાવ્યા અને ત્યાર બાદ આ વીડિયોને સહારે તેની સાથે ભયાનક હેવાનિયત આચરવામાં આવી જેનો ખુલાસો થતા યુનિવર્સિટીમાં ચકચાર મચી છે. 


શું છે સમગ્ર ઘટના ?


રાજકોટમાં એક ખાનગી યુનિવર્સિટીમાં કેટલાક હેવાન વિદ્યાર્થીઓ દ્વારા નહાઈ રહેલા એક વિદ્યાર્થીનો વીડિયો બનાવાયો હતો ત્યાર બાદ 5 યુવાનોએ તેની સાથે હેવાનિયત આચરવાનું શરુ કર્યું હતું. આરોપઓ યુવાનને તેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને વારંવાર રેપ કરતા હતા. અને વાત અહી પૂરી થઈ જતી નથી આરોપીયો એ એક દિવસ હદ વટાવી દીધી અને પાંચ યુવાનોએ પહેલા તો પીડિત યુવાન સાથે રેપ કર્યો ત્યાર બાદ તેના પ્રાઈવેટ પાર્ટમાં  સેનિટાઈઝર, મધ, ટૂથબ્રશ અને પેન્સિલ નાખીને તેની હાલત ખરાબ કરી નાખી. એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીને તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. 


પીડિતની બહને કરી ફરિયાદ !!

પીડિત યુવાને એક દિવસ કંટાળીને તેની બહેનને સમગ્ર ઘટના કહી ત્યાર બાદ પીડિતના પરિવારે પોલીસ ફરિયાદ કરી આરોપીએ તેને કાં તો તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવા અથવા છાત્રાલયની છત પરથી કૂદવાનું કહ્યું. ત્યારબાદ આરોપીએ તેને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો. પીડિત વિદ્યાર્થીનો આરોપ છે કે તેના પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર લગાવવામાં આવ્યું હતું. પેન્સિલ અને ટૂથબ્રશ દાખલ કરવામાં આવ્યા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.