ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ક્યારે સ્વેટર પહેરશે તે અંગે રાહુલે આપ્યો જવાબ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-01-10 09:41:18

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન સૌથી વધારે જો કોઈ વાત ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે તેમની ટી-શર્ટ છે. અનેક વખત તેમની ટી-શર્ટને લઈ ચર્ચાઓ કરવામાં આવે છે. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી તે દરમિયાન ત્રણ ગરીબ છોકરીઓ તેમને મળવા આવી હતી જે બાદ તેમણે યાત્રા દરમિયાન માત્ર એક જ ટી-શર્ટ પહેરવાનો નિર્ણય કર્યો છે.

     

અનેક વખત ઉઠ્યો છે ટી-શર્ટનો મુદ્દો 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક  રાજ્યોમાંથી પસાર થઈ છે. અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાને જનસમર્થન મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારથી તેઓ માત્ર એક જ ટી-શર્ટમાં દેખાય છે. આ ટી-શર્ટને કારણે અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે અને વખત ટિપ્પણી પણ થઈ છે. ત્યારે હરિયાણા ખાતે પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રશ્નો જવાબ આપ્યો છે.


મધ્યપ્રદેશમાં માત્ર ટી-શર્ટ પહેરવાનો લીધો નિર્ણય

જવાબ આપતા તેમણે કહ્યું કે યાત્રા કેરળથી નીકળી ત્યાં વાતાવરણ થોડુ ગરમ હતું. મધ્યપ્રદેશમાં જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે ફાટેલા કપડામાં ત્રણ છોકરીઓ તેમને મળવા પહોંચી. ઠંડીથી તેઓ ધ્રૂજતા હતા. તેમણે ગરમ કપડા ન પહેર્યા હતા. ત્યારથી મેં નક્કી કહ્યું જ્યાં સુધી મને ધ્રૂજારી નહીં આવે ત્યાં સુધી હું કેવલ ટી-શર્ટ જ પહેરીશ. જ્યારે મને કંપારી છુટશે તે બાદ જ તે ટી-શર્ટ પહેરશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.