ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ક્યારે સ્વેટર પહેરશે તે અંગે રાહુલે આપ્યો જવાબ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-01-10 09:41:18

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન સૌથી વધારે જો કોઈ વાત ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે તેમની ટી-શર્ટ છે. અનેક વખત તેમની ટી-શર્ટને લઈ ચર્ચાઓ કરવામાં આવે છે. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી તે દરમિયાન ત્રણ ગરીબ છોકરીઓ તેમને મળવા આવી હતી જે બાદ તેમણે યાત્રા દરમિયાન માત્ર એક જ ટી-શર્ટ પહેરવાનો નિર્ણય કર્યો છે.

     

અનેક વખત ઉઠ્યો છે ટી-શર્ટનો મુદ્દો 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક  રાજ્યોમાંથી પસાર થઈ છે. અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાને જનસમર્થન મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારથી તેઓ માત્ર એક જ ટી-શર્ટમાં દેખાય છે. આ ટી-શર્ટને કારણે અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે અને વખત ટિપ્પણી પણ થઈ છે. ત્યારે હરિયાણા ખાતે પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રશ્નો જવાબ આપ્યો છે.


મધ્યપ્રદેશમાં માત્ર ટી-શર્ટ પહેરવાનો લીધો નિર્ણય

જવાબ આપતા તેમણે કહ્યું કે યાત્રા કેરળથી નીકળી ત્યાં વાતાવરણ થોડુ ગરમ હતું. મધ્યપ્રદેશમાં જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે ફાટેલા કપડામાં ત્રણ છોકરીઓ તેમને મળવા પહોંચી. ઠંડીથી તેઓ ધ્રૂજતા હતા. તેમણે ગરમ કપડા ન પહેર્યા હતા. ત્યારથી મેં નક્કી કહ્યું જ્યાં સુધી મને ધ્રૂજારી નહીં આવે ત્યાં સુધી હું કેવલ ટી-શર્ટ જ પહેરીશ. જ્યારે મને કંપારી છુટશે તે બાદ જ તે ટી-શર્ટ પહેરશે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.