ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ક્યારે સ્વેટર પહેરશે તે અંગે રાહુલે આપ્યો જવાબ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-01-10 09:41:18

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન સૌથી વધારે જો કોઈ વાત ચર્ચાનું કેન્દ્ર રહી હોય તો તે તેમની ટી-શર્ટ છે. અનેક વખત તેમની ટી-શર્ટને લઈ ચર્ચાઓ કરવામાં આવે છે. જ્યારે રાહુલ ગાંધીને ટી-શર્ટ અંગે સવાલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે યાત્રા મધ્યપ્રદેશ પહોંચી હતી તે દરમિયાન ત્રણ ગરીબ છોકરીઓ તેમને મળવા આવી હતી જે બાદ તેમણે યાત્રા દરમિયાન માત્ર એક જ ટી-શર્ટ પહેરવાનો નિર્ણય કર્યો છે.

     

અનેક વખત ઉઠ્યો છે ટી-શર્ટનો મુદ્દો 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રા અનેક  રાજ્યોમાંથી પસાર થઈ છે. અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાને જનસમર્થન મળી રહ્યું છે. રાહુલ ગાંધીએ જ્યારથી ભારત જોડો યાત્રા શરૂ કરી છે ત્યારથી તેઓ માત્ર એક જ ટી-શર્ટમાં દેખાય છે. આ ટી-શર્ટને કારણે અનેક વખત ચર્ચાઓ પણ થઈ છે અને વખત ટિપ્પણી પણ થઈ છે. ત્યારે હરિયાણા ખાતે પહોંચેલી આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રશ્નો જવાબ આપ્યો છે.


મધ્યપ્રદેશમાં માત્ર ટી-શર્ટ પહેરવાનો લીધો નિર્ણય

જવાબ આપતા તેમણે કહ્યું કે યાત્રા કેરળથી નીકળી ત્યાં વાતાવરણ થોડુ ગરમ હતું. મધ્યપ્રદેશમાં જ્યારે આ યાત્રા પહોંચી ત્યારે ફાટેલા કપડામાં ત્રણ છોકરીઓ તેમને મળવા પહોંચી. ઠંડીથી તેઓ ધ્રૂજતા હતા. તેમણે ગરમ કપડા ન પહેર્યા હતા. ત્યારથી મેં નક્કી કહ્યું જ્યાં સુધી મને ધ્રૂજારી નહીં આવે ત્યાં સુધી હું કેવલ ટી-શર્ટ જ પહેરીશ. જ્યારે મને કંપારી છુટશે તે બાદ જ તે ટી-શર્ટ પહેરશે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.