હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-08 15:57:21

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે રાહુલની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ત્યારે હરિયાણા ખાતે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

     


કોંગ્રેસના નિશાન અંગે કરી વાત

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અનેક વખત તેઓ આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ આવા જ રૂપમાં દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે હાથ. પાર્ટી નિશાન પર વાત કરતા તેમણે કહ્યું કે શિવજી, ગુરૂનાનક દેવજી અને ભગવાન બુદ્ધનો હાથ અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરો નહીં. અભય મુદ્રા તપસ્યાનું પ્રતિક છે. આ જ કોંગ્રેસના નિશાનનો મતલબ છે. 


આ યાત્રા હરિયાણા પહોંચી છે

રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રાને 100થી પણ વધારે દિવસો પૂર્ણ થઈ ગયા છે. ત્યારે થોડા દિવસોનો વિરામ લીધા બાદ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. આ યાત્રાને અનેક દિવસો થઈ ગયા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આજે યાત્રા કરનાલ અને કુરુક્ષેત્રમાં ચાલી રહી છે. 



દરેક રાજ્યોમાંથી યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. યાત્રાની શરૂઆતમાં મને કીધું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આ યાત્રાને સમર્થન નહીં મળે. પરંતુ દરેક રાજ્યોમાં સારૂ જનસમર્થન મળી રહ્યું છે. હરિયાણામાં પણ આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યું છે. દેશને વહેચવામાં આવી રહ્યો છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવામાં આવી રહ્યું છે. આ યાત્રાને તપસ્ચા ગણાવી.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.