હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-08 15:57:21

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે રાહુલની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ત્યારે હરિયાણા ખાતે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

     


કોંગ્રેસના નિશાન અંગે કરી વાત

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અનેક વખત તેઓ આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ આવા જ રૂપમાં દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે હાથ. પાર્ટી નિશાન પર વાત કરતા તેમણે કહ્યું કે શિવજી, ગુરૂનાનક દેવજી અને ભગવાન બુદ્ધનો હાથ અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરો નહીં. અભય મુદ્રા તપસ્યાનું પ્રતિક છે. આ જ કોંગ્રેસના નિશાનનો મતલબ છે. 


આ યાત્રા હરિયાણા પહોંચી છે

રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રાને 100થી પણ વધારે દિવસો પૂર્ણ થઈ ગયા છે. ત્યારે થોડા દિવસોનો વિરામ લીધા બાદ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. આ યાત્રાને અનેક દિવસો થઈ ગયા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આજે યાત્રા કરનાલ અને કુરુક્ષેત્રમાં ચાલી રહી છે. 



દરેક રાજ્યોમાંથી યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. યાત્રાની શરૂઆતમાં મને કીધું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આ યાત્રાને સમર્થન નહીં મળે. પરંતુ દરેક રાજ્યોમાં સારૂ જનસમર્થન મળી રહ્યું છે. હરિયાણામાં પણ આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યું છે. દેશને વહેચવામાં આવી રહ્યો છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવામાં આવી રહ્યું છે. આ યાત્રાને તપસ્ચા ગણાવી.     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.