હરિયાણા ખાતે રાહુલ ગાંધીએ સંબોધી પ્રેસ કોન્ફરન્સ, અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા


  • Published By :
  • Published Date : 2023-01-08 15:57:21

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે રાહુલની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ત્યારે હરિયાણા ખાતે પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

     


કોંગ્રેસના નિશાન અંગે કરી વાત

યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અનેક વખત તેઓ આક્રામક રૂપમાં પણ દેખાયા છે. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં પણ તેઓ આવા જ રૂપમાં દેખાયા હતા. કોંગ્રેસ પાર્ટીનું ચિહ્ન છે હાથ. પાર્ટી નિશાન પર વાત કરતા તેમણે કહ્યું કે શિવજી, ગુરૂનાનક દેવજી અને ભગવાન બુદ્ધનો હાથ અભય મુદ્રામાં હોય છે. અભય મુદ્રાનો અર્થ થાય છે કે ડરો નહીં. અભય મુદ્રા તપસ્યાનું પ્રતિક છે. આ જ કોંગ્રેસના નિશાનનો મતલબ છે. 


આ યાત્રા હરિયાણા પહોંચી છે

રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. તેમની યાત્રાને 100થી પણ વધારે દિવસો પૂર્ણ થઈ ગયા છે. ત્યારે થોડા દિવસોનો વિરામ લીધા બાદ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. આ યાત્રાને અનેક દિવસો થઈ ગયા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે જ્યારે અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. રાહુલ ગાંધીની આ યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. આજે યાત્રા કરનાલ અને કુરુક્ષેત્રમાં ચાલી રહી છે. 



દરેક રાજ્યોમાંથી યાત્રાને મળી રહ્યું છે જનસમર્થન

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. યાત્રાની શરૂઆતમાં મને કીધું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં આ યાત્રાને સમર્થન નહીં મળે. પરંતુ દરેક રાજ્યોમાં સારૂ જનસમર્થન મળી રહ્યું છે. હરિયાણામાં પણ આ યાત્રાને સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હિંદુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યું છે. દેશને વહેચવામાં આવી રહ્યો છે, એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવવામાં આવી રહ્યું છે. આ યાત્રાને તપસ્ચા ગણાવી.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.