ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-20 12:55:04

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાને જનતાનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્તાન ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. હું ભાજપના લોકોને ધિક્કારતો નથી પરંતુ તેમની વિચારધારા સામે લડું છું.



નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે. યાત્રને લઈ ભાજપે અનેક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. યાત્રાને લઈ ભાજપ અનેક પ્રશ્ન પૂછે કે આ યાત્રામાં રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. ત્યારે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમનો સંદેશો આપી રહ્યો છે. આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. 


દરેક ભાષોનો અભ્યાસ થવો જોઈએ - રાહુલ ગાંધી 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપીના નેતા જ્યાં જાય છે, ત્યાં અંગ્રેજીનો વિરોધ કરે છે. બંગાળી હોવી જોઈએ. હિંદી હોવી જોઈએ પણ અંગ્રેજી ન હોવી જોઈએ. પરંતુ આ પાર્ટીના નેતાઓના, સાંસદોના છોકરાઓ ઈન્ગલીશ મીડિયમમાં ભણે છે. દુનિયાના દેશો સાથે વાત કરી હશે તો હિંદી નહીં ચાલે, મંત્રી અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે. ભારતની દરેક ભાષાનો અભ્યાસ થવો જોઈએ. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.