ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-20 12:55:04

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાને જનતાનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્તાન ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. હું ભાજપના લોકોને ધિક્કારતો નથી પરંતુ તેમની વિચારધારા સામે લડું છું.



નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે. યાત્રને લઈ ભાજપે અનેક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. યાત્રાને લઈ ભાજપ અનેક પ્રશ્ન પૂછે કે આ યાત્રામાં રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. ત્યારે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમનો સંદેશો આપી રહ્યો છે. આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. 


દરેક ભાષોનો અભ્યાસ થવો જોઈએ - રાહુલ ગાંધી 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપીના નેતા જ્યાં જાય છે, ત્યાં અંગ્રેજીનો વિરોધ કરે છે. બંગાળી હોવી જોઈએ. હિંદી હોવી જોઈએ પણ અંગ્રેજી ન હોવી જોઈએ. પરંતુ આ પાર્ટીના નેતાઓના, સાંસદોના છોકરાઓ ઈન્ગલીશ મીડિયમમાં ભણે છે. દુનિયાના દેશો સાથે વાત કરી હશે તો હિંદી નહીં ચાલે, મંત્રી અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે. ભારતની દરેક ભાષાનો અભ્યાસ થવો જોઈએ. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે