ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-20 12:55:04

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાને જનતાનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્તાન ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. હું ભાજપના લોકોને ધિક્કારતો નથી પરંતુ તેમની વિચારધારા સામે લડું છું.



નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે. યાત્રને લઈ ભાજપે અનેક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. યાત્રાને લઈ ભાજપ અનેક પ્રશ્ન પૂછે કે આ યાત્રામાં રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. ત્યારે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમનો સંદેશો આપી રહ્યો છે. આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. 


દરેક ભાષોનો અભ્યાસ થવો જોઈએ - રાહુલ ગાંધી 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપીના નેતા જ્યાં જાય છે, ત્યાં અંગ્રેજીનો વિરોધ કરે છે. બંગાળી હોવી જોઈએ. હિંદી હોવી જોઈએ પણ અંગ્રેજી ન હોવી જોઈએ. પરંતુ આ પાર્ટીના નેતાઓના, સાંસદોના છોકરાઓ ઈન્ગલીશ મીડિયમમાં ભણે છે. દુનિયાના દેશો સાથે વાત કરી હશે તો હિંદી નહીં ચાલે, મંત્રી અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે. ભારતની દરેક ભાષાનો અભ્યાસ થવો જોઈએ. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.