ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-20 12:55:04

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ યાત્રાને જનતાનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્તાન ખાતે રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. હું ભાજપના લોકોને ધિક્કારતો નથી પરંતુ તેમની વિચારધારા સામે લડું છું.



નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યો છું - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા જ્યારથી શરૂ થઈ છે. યાત્રને લઈ ભાજપે અનેક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. યાત્રાને લઈ ભાજપ અનેક પ્રશ્ન પૂછે કે આ યાત્રામાં રાહુલ ગાંધી શું કરી રહ્યા છે. ત્યારે તેનો જવાબ રાહુલ ગાંધીએ આપ્યો છે. રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમનો સંદેશો આપી રહ્યો છે. આપણો દેશ પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. 


દરેક ભાષોનો અભ્યાસ થવો જોઈએ - રાહુલ ગાંધી 

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે બીજેપીના નેતા જ્યાં જાય છે, ત્યાં અંગ્રેજીનો વિરોધ કરે છે. બંગાળી હોવી જોઈએ. હિંદી હોવી જોઈએ પણ અંગ્રેજી ન હોવી જોઈએ. પરંતુ આ પાર્ટીના નેતાઓના, સાંસદોના છોકરાઓ ઈન્ગલીશ મીડિયમમાં ભણે છે. દુનિયાના દેશો સાથે વાત કરી હશે તો હિંદી નહીં ચાલે, મંત્રી અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે. ભારતની દરેક ભાષાનો અભ્યાસ થવો જોઈએ. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.