રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ ભાજપ-RSS પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 11:09:24

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી નેતા તાત્યા મામાના જન્મસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના સાચા માલિક છે. RSS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને RSS વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી.

  

બીજેપીએ આદિવાસીઓની માફી માગવી જોઈએ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીનો સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. આદિવાસીઓનું સંબોધન કરતી વખતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ આદિવાસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરે છે. જેને કારણે બીજેપીએ આદિવાસીઓની હાથ જોડીને માફી માગવી જોઈએ.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર વધારે અત્યાચાર થયા છે - રાહુલ

હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ પર અને મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર મધ્યપ્રદેશમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આદિવાસી નેતા તાત્યા મામાને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીંયા આવ્યો છું. 


કન્યાકુમારીથી થયો હતો આ યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા જવાની છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચી છે.        




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.