રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ ભાજપ-RSS પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 11:09:24

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી નેતા તાત્યા મામાના જન્મસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના સાચા માલિક છે. RSS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને RSS વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી.

  

બીજેપીએ આદિવાસીઓની માફી માગવી જોઈએ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીનો સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. આદિવાસીઓનું સંબોધન કરતી વખતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ આદિવાસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરે છે. જેને કારણે બીજેપીએ આદિવાસીઓની હાથ જોડીને માફી માગવી જોઈએ.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર વધારે અત્યાચાર થયા છે - રાહુલ

હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ પર અને મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર મધ્યપ્રદેશમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આદિવાસી નેતા તાત્યા મામાને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીંયા આવ્યો છું. 


કન્યાકુમારીથી થયો હતો આ યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા જવાની છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચી છે.        




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.