રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ ભાજપ-RSS પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 11:09:24

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી નેતા તાત્યા મામાના જન્મસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના સાચા માલિક છે. RSS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને RSS વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી.

  

બીજેપીએ આદિવાસીઓની માફી માગવી જોઈએ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીનો સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. આદિવાસીઓનું સંબોધન કરતી વખતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ આદિવાસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરે છે. જેને કારણે બીજેપીએ આદિવાસીઓની હાથ જોડીને માફી માગવી જોઈએ.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર વધારે અત્યાચાર થયા છે - રાહુલ

હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ પર અને મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર મધ્યપ્રદેશમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આદિવાસી નેતા તાત્યા મામાને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીંયા આવ્યો છું. 


કન્યાકુમારીથી થયો હતો આ યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા જવાની છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચી છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે