રાહુલ ગાંધીએ આદિવાસીઓને લઈ ભાજપ-RSS પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-25 11:09:24

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા મધ્યપ્રદેશ પહોંચી છે. પોતાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અનેક વખત ભાજપ પર પ્રહાર કરતા આવ્યા છે. રાહુલ ગાંધી આદિવાસી નેતા તાત્યા મામાના જન્મસ્થળે પહોંચ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન RSS પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આદિવાસીઓ દેશના સાચા માલિક છે. RSS પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અંગ્રેજોએ તાત્યા મામાને ફાંસી આપી અને RSS વિચારધારાએ અંગ્રેજોને મદદ કરી.

  

બીજેપીએ આદિવાસીઓની માફી માગવી જોઈએ - રાહુલ ગાંધી 

ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશ પહોંચી છે. રાહુલ ગાંધીનો સાથ આપવા પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા છે. મધ્યપ્રદેશમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. આદિવાસીઓનું સંબોધન કરતી વખતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપીએ આદિવાસી માટે વનવાસી શબ્દનો પ્રયોગ કરે છે. જેને કારણે બીજેપીએ આદિવાસીઓની હાથ જોડીને માફી માગવી જોઈએ.

મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર વધારે અત્યાચાર થયા છે - રાહુલ

હાલ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ પર અને મધ્યપ્રદેશ સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર મધ્યપ્રદેશમાં આદિવાસીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. આદિવાસી નેતા તાત્યા મામાને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ એક વિચાર, એક વિચારધારા છે તેમની વિચારસરણી અને વિચારધારાને કારણે હું અહીંયા આવ્યો છું. 


કન્યાકુમારીથી થયો હતો આ યાત્રાનો પ્રારંભ

રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કરી હતી. કાશ્મીર સુધી આ યાત્રા જવાની છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં આ યાત્રા પહોંચી છે.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.