રાહુલ ગાંધીએ RSS અને BJPને માન્યા ગુરૂ, કહ્યું તેઓ મને ટ્રેનિંગ આપી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-12-31 16:56:12

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. યાત્રાના દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ પર અને તેની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસનો આભાર માન્યો અને તેમને ગુરુ ગણાવ્યા હતા. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલા આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવામાં મદદ મળશે. 



ભાજપ અને આરએસએસને હું મારા ગુરુ માનું છું - રાહુલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી હતી. હાલ આ યાત્રા દિલ્હી ખાતે છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અનેક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક વખત રાહુલ ગાંધીનું આક્રમક રૂપ જોવા મળ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને હેરાન કરે છે તે બીજી રીતે મારી મદદ કરે છે. ભાજપ અને આરએસએસને હું મારા ગુરૂ માનું છું. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે. 





અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.