રાહુલ ગાંધીએ RSS અને BJPને માન્યા ગુરૂ, કહ્યું તેઓ મને ટ્રેનિંગ આપી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-12-31 16:56:12

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. યાત્રાના દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ પર અને તેની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસનો આભાર માન્યો અને તેમને ગુરુ ગણાવ્યા હતા. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલા આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવામાં મદદ મળશે. 



ભાજપ અને આરએસએસને હું મારા ગુરુ માનું છું - રાહુલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી હતી. હાલ આ યાત્રા દિલ્હી ખાતે છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અનેક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક વખત રાહુલ ગાંધીનું આક્રમક રૂપ જોવા મળ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને હેરાન કરે છે તે બીજી રીતે મારી મદદ કરે છે. ભાજપ અને આરએસએસને હું મારા ગુરૂ માનું છું. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે. 





અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.