રાહુલ ગાંધીએ RSS અને BJPને માન્યા ગુરૂ, કહ્યું તેઓ મને ટ્રેનિંગ આપી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-12-31 16:56:12

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. યાત્રાના દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ પર અને તેની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસનો આભાર માન્યો અને તેમને ગુરુ ગણાવ્યા હતા. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલા આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવામાં મદદ મળશે. 



ભાજપ અને આરએસએસને હું મારા ગુરુ માનું છું - રાહુલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી હતી. હાલ આ યાત્રા દિલ્હી ખાતે છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અનેક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક વખત રાહુલ ગાંધીનું આક્રમક રૂપ જોવા મળ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને હેરાન કરે છે તે બીજી રીતે મારી મદદ કરે છે. ભાજપ અને આરએસએસને હું મારા ગુરૂ માનું છું. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે. 





અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.