રાહુલ ગાંધીએ RSS અને BJPને માન્યા ગુરૂ, કહ્યું તેઓ મને ટ્રેનિંગ આપી રહ્યા છે


  • Published By :
  • Published Date : 2022-12-31 16:56:12

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. યાત્રાના દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ પર અને તેની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસનો આભાર માન્યો અને તેમને ગુરુ ગણાવ્યા હતા. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલા આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવામાં મદદ મળશે. 



ભાજપ અને આરએસએસને હું મારા ગુરુ માનું છું - રાહુલ 

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી હતી. હાલ આ યાત્રા દિલ્હી ખાતે છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અનેક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક વખત રાહુલ ગાંધીનું આક્રમક રૂપ જોવા મળ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને હેરાન કરે છે તે બીજી રીતે મારી મદદ કરે છે. ભાજપ અને આરએસએસને હું મારા ગુરૂ માનું છું. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે. 





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે