ભાજપનું ગઢ ગણાતા અયોધ્યામાં રહેવા માટે રાહુલ ગાંધીને મળ્યું આમંત્રણ! જાણો કેમ સંતે કહ્યું 'તમે હનુમાનગઢીમાં આવીને રહી શકો છો'


  • Published By :
  • Published Date : 2023-04-05 09:02:14

થોડા સમય પહેલા સુરત કોર્ટે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ અમુક કલાકોની અંદર રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે.    


સરકારી બંગલો ખાલી કરવા કરાયો હતો આદેશ 

મોદી સરનેમને લઈ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કર્યો હતો. થોડા દિવસો પહેલા આ મામલે સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને સજા પણ ફટકારી હતી. રાહુલ ગાંધી દોષિ જાહેર થયા તે બાદ તેમનું સંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 


કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યા છે અનેક અભિયાન 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી એક અભિયાન છે મારૂં ઘર રાહુલ ગાંધીનું ઘર. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા લોકો રાહુલ ગાંધીને પોતાના ઘરે રહેવા આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી હતી. 


સંતે રાહુલ ગાંધીને આપી અયોધ્યા આવીને રહેવાની ઓફર!

અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે જો તેઓ (રાહુલ ગાંધી) અયોધ્યામાં રહેવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. રાહુલ ગાંધી હનુમાનગઢી કેમ્પસમાં આવીને રોકાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજી દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. મહત્વનું છે કે સંત દ્વારા આવી ઓફર આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. અનેક અટકળોએ જોર પકડ્યું છે કારણ કે નિષ્ણાંતો અયોધ્યાને ભાજપનું ગઢ માને છે.     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.