ભાજપનું ગઢ ગણાતા અયોધ્યામાં રહેવા માટે રાહુલ ગાંધીને મળ્યું આમંત્રણ! જાણો કેમ સંતે કહ્યું 'તમે હનુમાનગઢીમાં આવીને રહી શકો છો'


  • Published By :
  • Published Date : 2023-04-05 09:02:14

થોડા સમય પહેલા સુરત કોર્ટે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ અમુક કલાકોની અંદર રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે.    


સરકારી બંગલો ખાલી કરવા કરાયો હતો આદેશ 

મોદી સરનેમને લઈ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કર્યો હતો. થોડા દિવસો પહેલા આ મામલે સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને સજા પણ ફટકારી હતી. રાહુલ ગાંધી દોષિ જાહેર થયા તે બાદ તેમનું સંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 


કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યા છે અનેક અભિયાન 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી એક અભિયાન છે મારૂં ઘર રાહુલ ગાંધીનું ઘર. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા લોકો રાહુલ ગાંધીને પોતાના ઘરે રહેવા આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી હતી. 


સંતે રાહુલ ગાંધીને આપી અયોધ્યા આવીને રહેવાની ઓફર!

અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે જો તેઓ (રાહુલ ગાંધી) અયોધ્યામાં રહેવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. રાહુલ ગાંધી હનુમાનગઢી કેમ્પસમાં આવીને રોકાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજી દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. મહત્વનું છે કે સંત દ્વારા આવી ઓફર આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. અનેક અટકળોએ જોર પકડ્યું છે કારણ કે નિષ્ણાંતો અયોધ્યાને ભાજપનું ગઢ માને છે.     



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.