ભાજપનું ગઢ ગણાતા અયોધ્યામાં રહેવા માટે રાહુલ ગાંધીને મળ્યું આમંત્રણ! જાણો કેમ સંતે કહ્યું 'તમે હનુમાનગઢીમાં આવીને રહી શકો છો'


  • Published By :
  • Published Date : 2023-04-05 09:02:14

થોડા સમય પહેલા સુરત કોર્ટે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ અમુક કલાકોની અંદર રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે.    


સરકારી બંગલો ખાલી કરવા કરાયો હતો આદેશ 

મોદી સરનેમને લઈ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કર્યો હતો. થોડા દિવસો પહેલા આ મામલે સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને સજા પણ ફટકારી હતી. રાહુલ ગાંધી દોષિ જાહેર થયા તે બાદ તેમનું સંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 


કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યા છે અનેક અભિયાન 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી એક અભિયાન છે મારૂં ઘર રાહુલ ગાંધીનું ઘર. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા લોકો રાહુલ ગાંધીને પોતાના ઘરે રહેવા આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી હતી. 


સંતે રાહુલ ગાંધીને આપી અયોધ્યા આવીને રહેવાની ઓફર!

અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે જો તેઓ (રાહુલ ગાંધી) અયોધ્યામાં રહેવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. રાહુલ ગાંધી હનુમાનગઢી કેમ્પસમાં આવીને રોકાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજી દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. મહત્વનું છે કે સંત દ્વારા આવી ઓફર આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. અનેક અટકળોએ જોર પકડ્યું છે કારણ કે નિષ્ણાંતો અયોધ્યાને ભાજપનું ગઢ માને છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.