ભાજપનું ગઢ ગણાતા અયોધ્યામાં રહેવા માટે રાહુલ ગાંધીને મળ્યું આમંત્રણ! જાણો કેમ સંતે કહ્યું 'તમે હનુમાનગઢીમાં આવીને રહી શકો છો'


  • Published By :
  • Published Date : 2023-04-05 09:02:14

થોડા સમય પહેલા સુરત કોર્ટે મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ દોષિત જાહેર કર્યા હતા. જે બાદ રાહુલ ગાંધીનું સંસદ પદ પણ અમુક કલાકોની અંદર રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ નોટીસ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી છે.    


સરકારી બંગલો ખાલી કરવા કરાયો હતો આદેશ 

મોદી સરનેમને લઈ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિ કેસ કર્યો હતો. થોડા દિવસો પહેલા આ મામલે સુરતની કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા અને સજા પણ ફટકારી હતી. રાહુલ ગાંધી દોષિ જાહેર થયા તે બાદ તેમનું સંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું ઉપરાંત સરકારી બંગલો પણ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 


કોંગ્રેસ દ્વારા ચલાવાઈ રહ્યા છે અનેક અભિયાન 

આ મામલે કોંગ્રેસ આક્રામક દેખાઈ હતી. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાંથી એક અભિયાન છે મારૂં ઘર રાહુલ ગાંધીનું ઘર. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા લોકો રાહુલ ગાંધીને પોતાના ઘરે રહેવા આમંત્રણ આપી રહ્યા છે. પરંતુ આ દરમિયાન અયોધ્યાના હનુમાનગઢી સાથે જોડાયેલા સંતે રાહુલ ગાંધીને અયોધ્યામાં આવીને રહેવાની ઓફર કરી હતી. 


સંતે રાહુલ ગાંધીને આપી અયોધ્યા આવીને રહેવાની ઓફર!

અખિલ ભારતીય સંકટ મોચન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય દાસે કહ્યું કે જો તેઓ (રાહુલ ગાંધી) અયોધ્યામાં રહેવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. રાહુલ ગાંધી હનુમાનગઢી કેમ્પસમાં આવીને રોકાઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધી પાસે પોતાનું નિવાસસ્થાન ખાલી કર્યા પછી રહેવાની જગ્યા નથી તો તેમના માટે હનુમાનજી દરબારના દ્વાર ખુલ્લા છે. તેઓ અહીં આવીને રહે અને હનુમાનજીના દર્શન પણ કરે. મહત્વનું છે કે સંત દ્વારા આવી ઓફર આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. અનેક અટકળોએ જોર પકડ્યું છે કારણ કે નિષ્ણાંતો અયોધ્યાને ભાજપનું ગઢ માને છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.