રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 20:40:46

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે તા. 25 એપ્રીલના મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની કેદના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો હતો. મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતા ચુકાદા સામે હાઈકોર્ટના ખખડાવતા હવે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. 


બે વર્ષની સજા સામે અપીલ


ગત 23 માર્ચે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જો કે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપ્યા હતા. જામીન આપતા સમયે તેમની સજા પર 30 દિવસનો સ્ટે લાદવામાં આવ્યો હતો. અધિનિયમનો, જેથી કોંગ્રેસના નેતા કોર્ટના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે.


રાહુલ ગાંધી સંબંધિત આ મામલો શું છે?


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરતમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલને 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સાંસદ તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.