રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 20:40:46

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે તા. 25 એપ્રીલના મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની કેદના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો હતો. મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતા ચુકાદા સામે હાઈકોર્ટના ખખડાવતા હવે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. 


બે વર્ષની સજા સામે અપીલ


ગત 23 માર્ચે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જો કે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપ્યા હતા. જામીન આપતા સમયે તેમની સજા પર 30 દિવસનો સ્ટે લાદવામાં આવ્યો હતો. અધિનિયમનો, જેથી કોંગ્રેસના નેતા કોર્ટના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે.


રાહુલ ગાંધી સંબંધિત આ મામલો શું છે?


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરતમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલને 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સાંસદ તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.