રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટેના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો


  • Published By :
  • Published Date : 2023-04-25 20:40:46

કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને આજે તા. 25 એપ્રીલના મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. માનહાનિના કેસમાં ટ્રાયલ કોર્ટના બે વર્ષની કેદના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો હતો. મોદી સરનેમ કેસમાં થયેલી બે વર્ષની સજા પર સ્ટે માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. રાહુલે 25 એપ્રિલ (મંગળવારે) સુરત સેશન્સ કોર્ટના સજા યથાવત રાખતા ચુકાદા સામે હાઈકોર્ટના ખખડાવતા હવે આ કેસની હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે. 


બે વર્ષની સજા સામે અપીલ


ગત 23 માર્ચે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ અને તેની સજા સંબંધિત ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા, જો કે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમને જામીન આપ્યા હતા. જામીન આપતા સમયે તેમની સજા પર 30 દિવસનો સ્ટે લાદવામાં આવ્યો હતો. અધિનિયમનો, જેથી કોંગ્રેસના નેતા કોર્ટના ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે.


રાહુલ ગાંધી સંબંધિત આ મામલો શું છે?


વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' જેને લઈને ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ સુરતમાં દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો છે. રાહુલ વિરુદ્ધ IPC કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયેલા રાહુલને 23 માર્ચે સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સાંસદ તરીકે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.