રાહુલ ગાંધી પહોંચ્યા કાશ્મીર, ગુલમર્ગમાં સ્કીઇંગ અને ગોંડોલા કેબલ કારની મજા માણી


  • Published By :
  • Published Date : 2023-02-16 18:42:42

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી બુધવારે કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળ ગુલમર્ગ પહોંચ્યા છે. પાર્ટીના સૂત્રોએ તેને રાહુલ ગાંધીની અંગત મુલાકાત ગણાવી છે. તેઓ ગુલમર્ગમાં સ્કીઇંગના પ્રસ્તાવિત કાર્યક્રમના ભાગરૂપે શ્રીનગર એરપોર્ટથી ગુલમર્ગ આવ્યા છે. આ દરમિયાન રાજકીય મુદ્દાઓ પર વાતચીત અને કેટલાક રાજકીય લોકો સાથે મુલાકાત પણ થઈ શકે છે.


ગુલમર્ગમાં સ્કીઇંગની મજા માણી


ગુલમર્ગમાં તેમણે બરફ પર સ્કીઇંગની મજા માણી હતી તેમજ પ્રખ્યાત ગોંડોલા કેબલ કાર પર સવારી કરી હતી. રાહુલ ગાંધી ફરી એક વખત તેમની ઓળખ સમી ટી-શર્ટમાં નજરે પડ્યા હતા. જ્યારે ગુલમર્ગમાં તેઓ બપોરે કાળા રંગનું જેકેટ પહેરીને સ્કીઇંગ કરતો જોવા મળ્યા હતો.


મિડિયાને મળવાનું  ટાળ્યું


રાહુલ ગાંધી બુધવારે શ્રીનગર એરપોર્ટથી સીધા ગુલમર્ગ જવા રવાના થયા હતા. તેઓ તંગમર્ગમાં પણ થોડો સમય રોકાયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી નહોતી અને માત્ર દૂરથી જ પ્રણામ કર્યા હતા. તેઓ અહીંના સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. રાહુલે પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.