શું તમે લગ્ન કરવા તૈયાર છો, કેવી જીવનસાથી જોઈએ? રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-28 21:38:28

દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અંગત જીવન અંગે આજે મૌન તોડ્યું હતું. તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના મનની વાત કહી હતી. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે લગ્ન કરવા માંગો છો અને તમારે કેવી જીવનસંગીની જોઈએ? તેવા સવાલનો દિલ ખોલીને જવાબ આપ્યો હતો.


રાહુલ ગાંધીએ આપ્યો આ રસપ્રદ જવાબ


રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ લગ્ન માટે એવી યુવતી પસંદ કરશે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. રાહુલ ગાંધીને તેમના દાદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારા જીવનનો પ્રેમ હતાં, તે મારી બીજી માતા હતી. જ્યારે રાહુલ ગાંધીને આયર્ન લેડી (ઇન્દિરા ગાંધી) વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકો તેમને મૂંગી ઢીંગલી પણ કહેતા હતા. આયર્ન લેડીનું બિરુદ મેળવતા પહેલા આ જ લોકો ઈન્દિરાજીને મૂંગી ઢીંગલી કહેતા હતા.




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.