શું તમે લગ્ન કરવા તૈયાર છો, કેવી જીવનસાથી જોઈએ? રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-28 21:38:28

દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અંગત જીવન અંગે આજે મૌન તોડ્યું હતું. તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના મનની વાત કહી હતી. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે લગ્ન કરવા માંગો છો અને તમારે કેવી જીવનસંગીની જોઈએ? તેવા સવાલનો દિલ ખોલીને જવાબ આપ્યો હતો.


રાહુલ ગાંધીએ આપ્યો આ રસપ્રદ જવાબ


રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ લગ્ન માટે એવી યુવતી પસંદ કરશે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. રાહુલ ગાંધીને તેમના દાદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારા જીવનનો પ્રેમ હતાં, તે મારી બીજી માતા હતી. જ્યારે રાહુલ ગાંધીને આયર્ન લેડી (ઇન્દિરા ગાંધી) વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકો તેમને મૂંગી ઢીંગલી પણ કહેતા હતા. આયર્ન લેડીનું બિરુદ મેળવતા પહેલા આ જ લોકો ઈન્દિરાજીને મૂંગી ઢીંગલી કહેતા હતા.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.