શું તમે લગ્ન કરવા તૈયાર છો, કેવી જીવનસાથી જોઈએ? રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-28 21:38:28

દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અંગત જીવન અંગે આજે મૌન તોડ્યું હતું. તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના મનની વાત કહી હતી. રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે શું તમે લગ્ન કરવા માંગો છો અને તમારે કેવી જીવનસંગીની જોઈએ? તેવા સવાલનો દિલ ખોલીને જવાબ આપ્યો હતો.


રાહુલ ગાંધીએ આપ્યો આ રસપ્રદ જવાબ


રાહુલ ગાંધીએ કહ્યું છે કે, તેઓ લગ્ન માટે એવી યુવતી પસંદ કરશે જેમાં તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી જેવા ગુણો હોય. રાહુલ ગાંધીને તેમના દાદી સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, તે મારા જીવનનો પ્રેમ હતાં, તે મારી બીજી માતા હતી. જ્યારે રાહુલ ગાંધીને આયર્ન લેડી (ઇન્દિરા ગાંધી) વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લોકો તેમને મૂંગી ઢીંગલી પણ કહેતા હતા. આયર્ન લેડીનું બિરુદ મેળવતા પહેલા આ જ લોકો ઈન્દિરાજીને મૂંગી ઢીંગલી કહેતા હતા.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.