રાહુલ ગાંધીએ જાણી ખેડૂતોના મનની વાત! વહેલી સવારે પહોંચ્યા ખેતર અને કરી વાવણી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-08 15:18:11

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાવાનો જાણે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા તે મિકેનિકના ગેરેજમાં પહોંચ્યા હતા. હાથમાં સ્ક્રુડાઈવર ઉપાડ્યું અને બાઈકને જાતે રિપેર કરવા લાગ્યા. ત્યારે આજે રાહુલ ગાંધી હરિયાણાના સોનિપતમાં આવેલા એક ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયેલા રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું, ખેતરમાં જઈ તેઓ કામ કરતા દેખાયા હતા.


લોકોને પડતી મુશ્કેલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે રાહુલ ગાંધી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ સતત ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીની ઈમેજ સુધારવા જાણે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વાત પણ સાચી છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ઈમેજમાં ઘણો સુધારો આવ્યો છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમણે આ યાત્રા લોકોનું દર્દ જાણવા માટે કરી છે, લોકો સાથે સીધી જોડાઈ શકાય, તેમને પડતી મુશ્કેલી સમજવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે યાત્રા કરી હતી. ભારત જોડો યાત્રા તો પતી ગઈ પરંતુ સામાન્ય વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી હજી પણ કરી રહ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.