રાહુલ ગાંધીએ જાણી ખેડૂતોના મનની વાત! વહેલી સવારે પહોંચ્યા ખેતર અને કરી વાવણી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-08 15:18:11

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાવાનો જાણે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા તે મિકેનિકના ગેરેજમાં પહોંચ્યા હતા. હાથમાં સ્ક્રુડાઈવર ઉપાડ્યું અને બાઈકને જાતે રિપેર કરવા લાગ્યા. ત્યારે આજે રાહુલ ગાંધી હરિયાણાના સોનિપતમાં આવેલા એક ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયેલા રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું, ખેતરમાં જઈ તેઓ કામ કરતા દેખાયા હતા.


લોકોને પડતી મુશ્કેલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે રાહુલ ગાંધી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ સતત ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીની ઈમેજ સુધારવા જાણે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વાત પણ સાચી છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ઈમેજમાં ઘણો સુધારો આવ્યો છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમણે આ યાત્રા લોકોનું દર્દ જાણવા માટે કરી છે, લોકો સાથે સીધી જોડાઈ શકાય, તેમને પડતી મુશ્કેલી સમજવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે યાત્રા કરી હતી. ભારત જોડો યાત્રા તો પતી ગઈ પરંતુ સામાન્ય વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી હજી પણ કરી રહ્યા છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.