રાહુલ ગાંધીએ જાણી ખેડૂતોના મનની વાત! વહેલી સવારે પહોંચ્યા ખેતર અને કરી વાવણી, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-08 15:18:11

રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. સામાન્ય માણસ સાથે સીધી રીતે જોડાવાનો જાણે રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. થોડા દિવસો પહેલા તે મિકેનિકના ગેરેજમાં પહોંચ્યા હતા. હાથમાં સ્ક્રુડાઈવર ઉપાડ્યું અને બાઈકને જાતે રિપેર કરવા લાગ્યા. ત્યારે આજે રાહુલ ગાંધી હરિયાણાના સોનિપતમાં આવેલા એક ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયેલા રાહુલ ગાંધીએ ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું, ખેતરમાં જઈ તેઓ કામ કરતા દેખાયા હતા.


લોકોને પડતી મુશ્કેલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે રાહુલ ગાંધી!

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ સતત ચર્ચામાં રહી રહ્યા છે. ભારત જોડો યાત્રાને રાહુલ ગાંધીની ઈમેજ સુધારવા જાણે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વાત પણ સાચી છે કે ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીની ઈમેજમાં ઘણો સુધારો આવ્યો છે. રાહુલ ગાંધી કહેતા હતા કે તેમણે આ યાત્રા લોકોનું દર્દ જાણવા માટે કરી છે, લોકો સાથે સીધી જોડાઈ શકાય, તેમને પડતી મુશ્કેલી સમજવાની કોશિશ તેઓ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી તેમણે યાત્રા કરી હતી. ભારત જોડો યાત્રા તો પતી ગઈ પરંતુ સામાન્ય વ્યક્તિ સાથે જોડાવવાનો પ્રયાસ રાહુલ ગાંધી હજી પણ કરી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.