રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યો આરોપ, મિત્ર અદાણીને બચાવી રહ્યા છે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2023-02-08 19:11:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ દરમિયાન PM મોદીએ અદાણીને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કંઈ કહ્યું ન હતું. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદી પર અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે PM મોદીએ અદાણી મુદ્દે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમની વાણીમાં સત્ય દેખાય છે. જો (અદાણી) મિત્ર ન હોત, તો તેમણે કહેવું જોઈતું હતું કે તે તપાસ કરાવશે. 


રાહુલે PM મોદીને નિશાન બનાવ્યા 


લોકસભામાં વડાપ્રધાનના ભાષણ બાદ ગૃહની બહાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંતુષ્ટ નથી. પીએમના સંબોધનમાં અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના સંબોધનમાં સત્ય દેખાય છે. તેમણે એક પણ જવાબ આપ્યો નહીં. તપાસ કરાવવાની વાત કરી નથી. જો તે મિત્ર ન હોત તો તેમણે ચોક્ક્સ કહ્યું હોત કે ઠીક છે હું તપાસ કરાવી લઈશ, પરંતુ તેમણે એવું કંઈ કહ્યું નહીં.


PM મિત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની (અદાણીની) શેલ કંપની, ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં બેનામી પૈસા ફરી રહ્યા છે. તેના પર વડાપ્રધાન કંઈ બોલ્યા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન તેમની રક્ષા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે, વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરાવશે, આ એક મોટું કૌભાંડ છે. તે ચોક્કસપણે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું સમજું છું કે તે આવું શા માટે કરી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.