રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યો આરોપ, મિત્ર અદાણીને બચાવી રહ્યા છે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2023-02-08 19:11:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ દરમિયાન PM મોદીએ અદાણીને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કંઈ કહ્યું ન હતું. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદી પર અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે PM મોદીએ અદાણી મુદ્દે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમની વાણીમાં સત્ય દેખાય છે. જો (અદાણી) મિત્ર ન હોત, તો તેમણે કહેવું જોઈતું હતું કે તે તપાસ કરાવશે. 


રાહુલે PM મોદીને નિશાન બનાવ્યા 


લોકસભામાં વડાપ્રધાનના ભાષણ બાદ ગૃહની બહાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંતુષ્ટ નથી. પીએમના સંબોધનમાં અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના સંબોધનમાં સત્ય દેખાય છે. તેમણે એક પણ જવાબ આપ્યો નહીં. તપાસ કરાવવાની વાત કરી નથી. જો તે મિત્ર ન હોત તો તેમણે ચોક્ક્સ કહ્યું હોત કે ઠીક છે હું તપાસ કરાવી લઈશ, પરંતુ તેમણે એવું કંઈ કહ્યું નહીં.


PM મિત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની (અદાણીની) શેલ કંપની, ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં બેનામી પૈસા ફરી રહ્યા છે. તેના પર વડાપ્રધાન કંઈ બોલ્યા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન તેમની રક્ષા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે, વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરાવશે, આ એક મોટું કૌભાંડ છે. તે ચોક્કસપણે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું સમજું છું કે તે આવું શા માટે કરી રહ્યા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.