રાહુલ ગાંધીએ PM મોદી પર લગાવ્યો આરોપ, મિત્ર અદાણીને બચાવી રહ્યા છે પ્રધાનમંત્રી


  • Published By :
  • Published Date : 2023-02-08 19:11:56

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, આ દરમિયાન PM મોદીએ અદાણીને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર કંઈ કહ્યું ન હતું. આ અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગૃહની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમના પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદી પર અદાણીને બચાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે PM મોદીએ અદાણી મુદ્દે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમની વાણીમાં સત્ય દેખાય છે. જો (અદાણી) મિત્ર ન હોત, તો તેમણે કહેવું જોઈતું હતું કે તે તપાસ કરાવશે. 


રાહુલે PM મોદીને નિશાન બનાવ્યા 


લોકસભામાં વડાપ્રધાનના ભાષણ બાદ ગૃહની બહાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હું સંતુષ્ટ નથી. પીએમના સંબોધનમાં અદાણી કેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના સંબોધનમાં સત્ય દેખાય છે. તેમણે એક પણ જવાબ આપ્યો નહીં. તપાસ કરાવવાની વાત કરી નથી. જો તે મિત્ર ન હોત તો તેમણે ચોક્ક્સ કહ્યું હોત કે ઠીક છે હું તપાસ કરાવી લઈશ, પરંતુ તેમણે એવું કંઈ કહ્યું નહીં.


PM મિત્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેમની (અદાણીની) શેલ કંપની, ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં ઘણાં બેનામી પૈસા ફરી રહ્યા છે. તેના પર વડાપ્રધાન કંઈ બોલ્યા નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન તેમની રક્ષા કરી રહ્યા છે. આ રાષ્ટ્રીય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મામલો છે, વડા પ્રધાને કહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરાવશે, આ એક મોટું કૌભાંડ છે. તે ચોક્કસપણે તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, હું સમજું છું કે તે આવું શા માટે કરી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.