રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, જુનાગઢમાં મૃત્યુ પામેલા લોકોને લઈ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-30 12:28:16

જુનાગઢમાં કેફિ પદાર્થનું સેવન કરવાથી બે લોકોના મૃત્યુ થઈ ગયા હતા. લોકો આને કથિત લઠ્ઠાકાંડ કહી રહ્યા હતા. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર અને ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીની અને સરદારની ભૂમિને નશામાં ભેળવાઈ રહ્યું છે. એક તરફ માત્ર નામની દારૂબંધી અને બીજી તરફ ઝહેરા દારૂથી લોકોના મોત થઈ રહ્યા છે. રોજગાર આપવાની જગ્યાએ સરકાર ઝહેરેલી દારૂ આપી રહી છે.

ગુજરાત મોડલ પર રાહુલે સાધ્યું નિશાન 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો તેમજ ડગ્સનો જથ્થો મળી આવે છે. પરંતુ કોઈ વખત દારૂ નથી પકડાતો. થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયું હતું જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં લઠ્ઠાકાંડની આશંકા લોકો સેવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા છે.

  

કોંગ્રેસે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન પર સાધ્યું નિશાન 

ચૂંટણી સમયે આ ઘટના બનતા કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર ગુજરાત સરકાર પર દારૂ બંધીને સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝહેરીલી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. તેમણે લખ્યું કે એક તરફ દેખાડાની દારૂબંધી છે, બીજી રોજગારની જગ્યાએ દારૂ અને ડગ્સ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ રાહુલ ગાંધીના ટ્વિટને રિ-ટ્વિટ કરી નરેન્દ્ર મોદીના કેમ્પઈન આ ગુજરાત મેં બનાવ્યું છે તેની પર કટાક્ષ કર્યા છે. 

Image

     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે