રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, જુનાગઢમાં મૃત્યુ પામેલા લોકોને લઈ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-30 12:28:16

જુનાગઢમાં કેફિ પદાર્થનું સેવન કરવાથી બે લોકોના મૃત્યુ થઈ ગયા હતા. લોકો આને કથિત લઠ્ઠાકાંડ કહી રહ્યા હતા. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર અને ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીની અને સરદારની ભૂમિને નશામાં ભેળવાઈ રહ્યું છે. એક તરફ માત્ર નામની દારૂબંધી અને બીજી તરફ ઝહેરા દારૂથી લોકોના મોત થઈ રહ્યા છે. રોજગાર આપવાની જગ્યાએ સરકાર ઝહેરેલી દારૂ આપી રહી છે.

ગુજરાત મોડલ પર રાહુલે સાધ્યું નિશાન 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો તેમજ ડગ્સનો જથ્થો મળી આવે છે. પરંતુ કોઈ વખત દારૂ નથી પકડાતો. થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયું હતું જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં લઠ્ઠાકાંડની આશંકા લોકો સેવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા છે.

  

કોંગ્રેસે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન પર સાધ્યું નિશાન 

ચૂંટણી સમયે આ ઘટના બનતા કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર ગુજરાત સરકાર પર દારૂ બંધીને સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝહેરીલી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. તેમણે લખ્યું કે એક તરફ દેખાડાની દારૂબંધી છે, બીજી રોજગારની જગ્યાએ દારૂ અને ડગ્સ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ રાહુલ ગાંધીના ટ્વિટને રિ-ટ્વિટ કરી નરેન્દ્ર મોદીના કેમ્પઈન આ ગુજરાત મેં બનાવ્યું છે તેની પર કટાક્ષ કર્યા છે. 

Image

     



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.