રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, જુનાગઢમાં મૃત્યુ પામેલા લોકોને લઈ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-30 12:28:16

જુનાગઢમાં કેફિ પદાર્થનું સેવન કરવાથી બે લોકોના મૃત્યુ થઈ ગયા હતા. લોકો આને કથિત લઠ્ઠાકાંડ કહી રહ્યા હતા. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર અને ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીની અને સરદારની ભૂમિને નશામાં ભેળવાઈ રહ્યું છે. એક તરફ માત્ર નામની દારૂબંધી અને બીજી તરફ ઝહેરા દારૂથી લોકોના મોત થઈ રહ્યા છે. રોજગાર આપવાની જગ્યાએ સરકાર ઝહેરેલી દારૂ આપી રહી છે.

ગુજરાત મોડલ પર રાહુલે સાધ્યું નિશાન 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો તેમજ ડગ્સનો જથ્થો મળી આવે છે. પરંતુ કોઈ વખત દારૂ નથી પકડાતો. થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયું હતું જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં લઠ્ઠાકાંડની આશંકા લોકો સેવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા છે.

  

કોંગ્રેસે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન પર સાધ્યું નિશાન 

ચૂંટણી સમયે આ ઘટના બનતા કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર ગુજરાત સરકાર પર દારૂ બંધીને સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝહેરીલી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. તેમણે લખ્યું કે એક તરફ દેખાડાની દારૂબંધી છે, બીજી રોજગારની જગ્યાએ દારૂ અને ડગ્સ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ રાહુલ ગાંધીના ટ્વિટને રિ-ટ્વિટ કરી નરેન્દ્ર મોદીના કેમ્પઈન આ ગુજરાત મેં બનાવ્યું છે તેની પર કટાક્ષ કર્યા છે. 

Image

     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.