રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર ઉઠાવ્યા સવાલ, જુનાગઢમાં મૃત્યુ પામેલા લોકોને લઈ રાજ્ય સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-30 12:28:16

જુનાગઢમાં કેફિ પદાર્થનું સેવન કરવાથી બે લોકોના મૃત્યુ થઈ ગયા હતા. લોકો આને કથિત લઠ્ઠાકાંડ કહી રહ્યા હતા. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાત મોડલ પર અને ગુજરાતમાં દારૂ બંધી હોવાના દાવા પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ગાંધીની અને સરદારની ભૂમિને નશામાં ભેળવાઈ રહ્યું છે. એક તરફ માત્ર નામની દારૂબંધી અને બીજી તરફ ઝહેરા દારૂથી લોકોના મોત થઈ રહ્યા છે. રોજગાર આપવાની જગ્યાએ સરકાર ઝહેરેલી દારૂ આપી રહી છે.

ગુજરાત મોડલ પર રાહુલે સાધ્યું નિશાન 

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1લી ડિસેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા દારૂની હેરાફેરી ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અનેક વખત મોટા પ્રમાણમાં દારૂનો તેમજ ડગ્સનો જથ્થો મળી આવે છે. પરંતુ કોઈ વખત દારૂ નથી પકડાતો. થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયું હતું જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જે બાદ જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત થતાં લઠ્ઠાકાંડની આશંકા લોકો સેવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવ્યા છે.

  

કોંગ્રેસે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ્પેઈન પર સાધ્યું નિશાન 

ચૂંટણી સમયે આ ઘટના બનતા કોંગ્રેસે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર ગુજરાત સરકાર પર દારૂ બંધીને સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લખ્યું કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં કાલે ઝહેરીલી દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. તેમણે લખ્યું કે એક તરફ દેખાડાની દારૂબંધી છે, બીજી રોજગારની જગ્યાએ દારૂ અને ડગ્સ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પણ રાહુલ ગાંધીના ટ્વિટને રિ-ટ્વિટ કરી નરેન્દ્ર મોદીના કેમ્પઈન આ ગુજરાત મેં બનાવ્યું છે તેની પર કટાક્ષ કર્યા છે. 

Image

     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.