કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું 'કર્ણાટકમાં નફરતની બજાર બંધ અને મોહબ્બતની દુકાન ખુલી'


  • Published By :
  • Published Date : 2023-05-13 16:43:34

કર્ણાટકમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીત હાંસલ કરતી દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત બાદ અનેક દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જીત બાદ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે તે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સૌથી પહેલા કર્ણાટકની જનતાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા છે અને તે પહેલી જ કેબિનેટ મીટિંગમાં પૂરા કરાશે.

    

પાંચ વચનો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ થશે!

કોંગ્રેસની જીત કર્ણાટકમાં થઈ છે. 130થી વધુ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીત બાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ જીત બાદ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી પ્રેમથી લડી હતી અને ભાજપની નફરતની બજાર બંધ કરી દીધી છે. મહોબ્બતની દુકાન ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકના જનતાની જીત છે. ચૂંટણી વખતે જે પાંચ વચનો આપ્યા હતા તે વચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.      


દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રચાર!

મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અનેક રેલીઓ, રોડ શો તેમજ જનસભાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની જીત બાદ નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.