કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું 'કર્ણાટકમાં નફરતની બજાર બંધ અને મોહબ્બતની દુકાન ખુલી'


  • Published By :
  • Published Date : 2023-05-13 16:43:34

કર્ણાટકમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીત હાંસલ કરતી દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત બાદ અનેક દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જીત બાદ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે તે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સૌથી પહેલા કર્ણાટકની જનતાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા છે અને તે પહેલી જ કેબિનેટ મીટિંગમાં પૂરા કરાશે.

    

પાંચ વચનો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ થશે!

કોંગ્રેસની જીત કર્ણાટકમાં થઈ છે. 130થી વધુ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીત બાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ જીત બાદ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી પ્રેમથી લડી હતી અને ભાજપની નફરતની બજાર બંધ કરી દીધી છે. મહોબ્બતની દુકાન ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકના જનતાની જીત છે. ચૂંટણી વખતે જે પાંચ વચનો આપ્યા હતા તે વચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.      


દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રચાર!

મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અનેક રેલીઓ, રોડ શો તેમજ જનસભાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની જીત બાદ નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.