કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું 'કર્ણાટકમાં નફરતની બજાર બંધ અને મોહબ્બતની દુકાન ખુલી'


  • Published By :
  • Published Date : 2023-05-13 16:43:34

કર્ણાટકમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં જીત હાંસલ કરતી દેખાઈ રહી છે. કોંગ્રેસની જીત બાદ અનેક દિગ્ગજ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસની જીત બાદ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી ખાતે આવેલી ઓફિસ ખાતે તે પહોંચ્યા હતા. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સૌથી પહેલા કર્ણાટકની જનતાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. કર્ણાટકની જનતાને પાંચ વાયદા કર્યા છે અને તે પહેલી જ કેબિનેટ મીટિંગમાં પૂરા કરાશે.

    

પાંચ વચનો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ થશે!

કોંગ્રેસની જીત કર્ણાટકમાં થઈ છે. 130થી વધુ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જીત બાદ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ જીત બાદ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી પ્રેમથી લડી હતી અને ભાજપની નફરતની બજાર બંધ કરી દીધી છે. મહોબ્બતની દુકાન ખુલી છે. તે દરેકની જીત છે. આ કર્ણાટકના જનતાની જીત છે. ચૂંટણી વખતે જે પાંચ વચનો આપ્યા હતા તે વચનો પ્રથમ કેબિનેટમાં પૂર્ણ થશે.      


દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રચાર!

મહત્વનું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર કરવા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ સોનિયા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. અનેક રેલીઓ, રોડ શો તેમજ જનસભાઓ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસની જીત બાદ નેતાઓ તેમજ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.