કોરોના કેસ વધતા ભારત જોડો યાત્રાને રોકવા અંગે મળેલા પત્રનો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:48:21

ભારતમાં કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત જોડો યાત્રાને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે બહાના કાઢવામાં આવી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે તે માટે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો જેવા બહાના બતાવામાં આવે છે પરંતુ ભારતની સચ્ચાઈથી ડરી ગઈ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે તૂટવાના નથી. હાલ ભારત જોડો યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. 

  

રાહુલ ગાંધીએ આપ્યો પત્રનો જવાબ

કોરોના મહામારીને કારણે ફરી એક વિશ્વના દેશોમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ કોરોના સંક્રમણને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા પત્ર લખ્યો હતો. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે મને ભારત જોડો યાત્રાને બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો. યાત્રાને રોકવા બહાના બનાવામાં આવ્યા હતા. બહાના બનાવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા યાત્રા બંધ કરવાના બહાના છે. હકીકત તો એ છે કે ભારતની વાસ્તવિકતાથી ડરી રહી છે.




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.