કોરોના કેસ વધતા ભારત જોડો યાત્રાને રોકવા અંગે મળેલા પત્રનો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2022-12-22 16:48:21

ભારતમાં કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર ચિંતિત થઈ છે. વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત જોડો યાત્રાને બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા રોકવા માટે બહાના કાઢવામાં આવી રહ્યા છે. કોરોના વધી રહ્યો છે તે માટે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો જેવા બહાના બતાવામાં આવે છે પરંતુ ભારતની સચ્ચાઈથી ડરી ગઈ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે તૂટવાના નથી. હાલ ભારત જોડો યાત્રા હરિયાણા ખાતે પહોંચી છે. 

  

રાહુલ ગાંધીએ આપ્યો પત્રનો જવાબ

કોરોના મહામારીને કારણે ફરી એક વિશ્વના દેશોમાં હાહાકાર મચ્યો છે. ભારતમાં પણ કોરોના અંગેની સમીક્ષા કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાએ કોરોના સંક્રમણને લઈ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા પત્ર લખ્યો હતો. આ પત્રને લઈ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે મને ભારત જોડો યાત્રાને બંધ કરવા અંગે પત્ર લખ્યો હતો. યાત્રાને રોકવા બહાના બનાવામાં આવ્યા હતા. બહાના બનાવામાં આવી રહ્યા છે કે માસ્ક પહેરો, યાત્રા બંધ કરો, કોરોના ફેલાઈ રહ્યો છે. આ બધા યાત્રા બંધ કરવાના બહાના છે. હકીકત તો એ છે કે ભારતની વાસ્તવિકતાથી ડરી રહી છે.




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.