કાશ્મીરના ગુલમર્ગમાં રાહુલ ગાંધીએ કરી કેબલ કારની સવારી, તસવીરો આવી સામે


  • Published By :
  • Published Date : 2023-02-16 09:28:33

રાહુલ ગાંધી થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર પહોચ્યા હતા. આ યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી પર્સનલ કામથી કાશ્મીરના ગુલમર્ગ પહોચ્યા હતા. બુધવારના દિવસે તેઓ પહોચ્યા હતા ત્યાં બે દિવસ રહેવાના છે. ત્યારે રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે સ્કીઈંગ કર્યું તેમજ કેબલ કારની સવારી પણ કરી. 

राहुल गांधी ने स्कीइंग के दौरान दूर से वहां मौजूद लोगों को नमस्कार किया।


स्कीइंग के दौरान राहुल की सुरक्षा में कई पुलिसकर्मी भी तैनात थे।


गुलमर्ग पहुंचे राहुल गांधी एक बार फिर अपनी ट्रेडमार्क टी-शर्ट में नजर आए।

અલગ અંદાજમાં જોવા મળ્યા રાહુલ ગાંધી 

છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ચર્ચામાં આવ્યા છે. ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર પહોંચ્યા હતા. યાત્રાને ભારે જનસમર્થન મળ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી ફરી એક વખત પર્સનલ કામથી કાશ્મીર પહોંચ્યા છે. બુધવારે તેઓ શ્રીનગર પહોંચ્યા હતા અને ગુરૂવારે પણ તેઓ ત્યાં જ રહેવાના છે. રાહુલ ગાંધીએ સ્થાનિક લોકો સાથે વાત કરી ઉપરાંત સ્કીઈંગ કર્યું તેમજ ગોંડાલા કેબલ કારની સવારી પણ કરી હતી. 



પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બરફ સાથે રમતા દેખાયા હતા 

ભારત જોડો યાત્રા વખતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બરફ સાથે રમતા પણ દેખાયા હતા. યાત્રાનું સમાપન શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે થયું હતું. સ્કીઈંગ કરતા તેમણે ટૂરિસ્ટ સાથે પણ વાત કરી. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુરૂવારે રાજનેતાઓ સાથે બેઠક કરી શકે છે. અનેક ટૂરિસ્ટે કહ્યું કે ભારત જોડો યાત્રા બાદ વેકેશન લેવું પણ જરૂરી છે. રાહુલે કેબલ કારની સવારી પણ કરી 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.