ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું જોવા મળ્યું આક્રામક રૂપ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:09:06

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક રૂપમાં જોવા મળ્યા. અનેક વખત કેન્દ્ર સરકારની નીતિઓના વિરૂદ્ધ પણ તેઓ બોલ્યા છે  જ ત્યારે ફરી એક વખત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર નહીં પરંતુ મની ટ્રાન્સફર સ્કીમ ચલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પર કર્યા શાબ્દિક  પ્રહાર

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા નિશાન સાધવામાં આવે છે તો ક્યારેક રાહુલ ગાંધી ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધે છે. ત્યારે વધતી મોંઘવારી, જીએસટી સહિતની અનેક સરકારની નીતિઓ પર તેમજ ઉદ્યોગપતિઓને લઈ પીએમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે.        




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે