ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનું જોવા મળ્યું આક્રામક રૂપ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:09:06

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની આ યાત્રા દરમિયાન તેઓ અનેક વખત આક્રામક રૂપમાં જોવા મળ્યા. અનેક વખત કેન્દ્ર સરકારની નીતિઓના વિરૂદ્ધ પણ તેઓ બોલ્યા છે  જ ત્યારે ફરી એક વખત તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર નહીં પરંતુ મની ટ્રાન્સફર સ્કીમ ચલાવી રહ્યા છે.

વડાપ્રધાન મોદી પર કર્યા શાબ્દિક  પ્રહાર

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા પર અનેક વખત ભાજપ દ્વારા નિશાન સાધવામાં આવે છે તો ક્યારેક રાહુલ ગાંધી ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધે છે. ત્યારે વધતી મોંઘવારી, જીએસટી સહિતની અનેક સરકારની નીતિઓ પર તેમજ ઉદ્યોગપતિઓને લઈ પીએમ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા છે.        




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.