Congressમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraનો Gujaratમાં થશે પ્રવેશ, જાણો યાત્રાનો શું રહેશે રૂટ?


  • Published By :
  • Published Date : 2024-03-07 10:43:39

જેમ જેમ ચૂંટણીનો માહોલ જામશે તેમ તેમ રાજનીતિ ગરમાશે. રાજનૈતિક પારો ચરમ સીમાએ પહોંચશે, પક્ષો એક બીજા પર પ્રહારો કરશે અને નેતાઓ પણ એ પ્રકારના નિવેદનો આપશે જેને લઈ રાજનિતી ગરમાશે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. મણિપુરથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાંથી નિકળવાની છે. ગુજરાતમાં આજે આ યાત્રાનો પ્રવેશ થવાનો છે.

 



રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી!

ગુજરાતમાં આ યાત્રા એવા વિસ્તારોને કવર કરશે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રાનું વધારે ફોકસ છે. 7 માર્ચે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચ સુધી આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. એ પછી અર્જુન મોઢવાડિયા હોય, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી હોય કે પછી કનુભાઈ કલસરિયા હોય. એક તરફ રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે તો બીજા તરફ કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. 


10 માર્ચ સુધી ગુજરાતમાં રહેશે રાહુલ ગાંધી!

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગઈ હતી અને લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને 10 તારીખ સુધી ગુજરાતમાં રહેવાની છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને લઈ તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. 


સી.આર.પાટીલ રાહુલ ગાંધીને ના પહેરાવી દે કેસરી ખેસ!

તમારા મનમાં થતું હશે કે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા નહીં પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી! ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતના સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે તેને જોતા એક પ્રશ્ન થાય કે રાહુલ ગાંધીને પણ સી.આર.પાટીલ કેસરી ખેસ ના પહેરાવી દે! 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે