Congressમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraનો Gujaratમાં થશે પ્રવેશ, જાણો યાત્રાનો શું રહેશે રૂટ?


  • Published By :
  • Published Date : 2024-03-07 10:43:39

જેમ જેમ ચૂંટણીનો માહોલ જામશે તેમ તેમ રાજનીતિ ગરમાશે. રાજનૈતિક પારો ચરમ સીમાએ પહોંચશે, પક્ષો એક બીજા પર પ્રહારો કરશે અને નેતાઓ પણ એ પ્રકારના નિવેદનો આપશે જેને લઈ રાજનિતી ગરમાશે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. મણિપુરથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાંથી નિકળવાની છે. ગુજરાતમાં આજે આ યાત્રાનો પ્રવેશ થવાનો છે.

 



રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલા કોંગ્રેસના નેતાઓ છોડી રહ્યા છે પાર્ટી!

ગુજરાતમાં આ યાત્રા એવા વિસ્તારોને કવર કરશે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આદિવાસી વિસ્તારોમાં આ યાત્રાનું વધારે ફોકસ છે. 7 માર્ચે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચ સુધી આ યાત્રા ગુજરાતમાં રહેશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. એ પછી અર્જુન મોઢવાડિયા હોય, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી હોય કે પછી કનુભાઈ કલસરિયા હોય. એક તરફ રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે તો બીજા તરફ કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને જઈ રહ્યા છે. 


10 માર્ચ સુધી ગુજરાતમાં રહેશે રાહુલ ગાંધી!

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા ભારત જોડો યાત્રા કરી હતી જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગઈ હતી અને લોકસભા ચૂંટણી પહેલા ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને 10 તારીખ સુધી ગુજરાતમાં રહેવાની છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ આ યાત્રાને લઈ તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. 


સી.આર.પાટીલ રાહુલ ગાંધીને ના પહેરાવી દે કેસરી ખેસ!

તમારા મનમાં થતું હશે કે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા નહીં પરંતુ કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી! ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું પરંતુ જે રીતના સી.આર.પાટીલની હાજરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે તેને જોતા એક પ્રશ્ન થાય કે રાહુલ ગાંધીને પણ સી.આર.પાટીલ કેસરી ખેસ ના પહેરાવી દે! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.