તેલંગાણા પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-10-30 16:31:49

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પૂરવાની કોશિશ કરી રહ્યા છે. કન્યાકુમારીથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. હાલ આ યાત્રા તેલંગાણામાં પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કોઈ વખત બાળકો સાથે દોડતા નજરે પડે છે તો કોઈ વખત ડાન્સ કરતા નજરે પડે છે. ભારત જોડો યાત્રાને ભારે જન સમર્થન મળી રહ્યું છે.

સોનિયા ગાંધી પણ થયા હતા યાત્રામાં સામેલ

7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. અનેક રાજ્યો જેવા કે કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આ યાત્રા પસાર થઈ ચૂકી છે. તેલંગાણામાં આ યાત્રાનો આજે 5મો દિવસ છે. આ યાત્રામાં અનેક નેતાઓએ પણ હાજરી આપી હતી. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે. અનેક વખત આ યાત્રા પર ભાજપે કટાક્ષ પણ કર્યા છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.