તેલંગાણા પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-10-30 16:31:49

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પૂરવાની કોશિશ કરી રહ્યા છે. કન્યાકુમારીથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. હાલ આ યાત્રા તેલંગાણામાં પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કોઈ વખત બાળકો સાથે દોડતા નજરે પડે છે તો કોઈ વખત ડાન્સ કરતા નજરે પડે છે. ભારત જોડો યાત્રાને ભારે જન સમર્થન મળી રહ્યું છે.

સોનિયા ગાંધી પણ થયા હતા યાત્રામાં સામેલ

7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. અનેક રાજ્યો જેવા કે કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આ યાત્રા પસાર થઈ ચૂકી છે. તેલંગાણામાં આ યાત્રાનો આજે 5મો દિવસ છે. આ યાત્રામાં અનેક નેતાઓએ પણ હાજરી આપી હતી. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે. અનેક વખત આ યાત્રા પર ભાજપે કટાક્ષ પણ કર્યા છે.   




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.