તેલંગાણા પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા


  • Published By :
  • Published Date : 2022-10-30 16:31:49

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પ્રાણ પૂરવાની કોશિશ કરી રહ્યા છે. કન્યાકુમારીથી નીકળેલી આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી રહી છે. હાલ આ યાત્રા તેલંગાણામાં પહોંચી છે. આ યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધીનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. કોઈ વખત બાળકો સાથે દોડતા નજરે પડે છે તો કોઈ વખત ડાન્સ કરતા નજરે પડે છે. ભારત જોડો યાત્રાને ભારે જન સમર્થન મળી રહ્યું છે.

સોનિયા ગાંધી પણ થયા હતા યાત્રામાં સામેલ

7 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી. અનેક રાજ્યો જેવા કે કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આ યાત્રા પસાર થઈ ચૂકી છે. તેલંગાણામાં આ યાત્રાનો આજે 5મો દિવસ છે. આ યાત્રામાં અનેક નેતાઓએ પણ હાજરી આપી હતી. સોનિયા ગાંધી પણ આ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા 7 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરશે. અનેક વખત આ યાત્રા પર ભાજપે કટાક્ષ પણ કર્યા છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.