આજે સંપન્ન થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અનેક રાજકીય પક્ષોને આપવામાં આવ્યું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-01-30 10:37:14

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે સમાપ્ત થઈ ચૂકી છે. રવિવારે શ્રીનગર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારત જોડો યાત્રાનું સમાપન થવાનું છે. 12 રાજ્યોમાંથી તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ છે. ભારત જોડો યાત્રાનું સમાપન શ્રીનગર ખાતે થશે. આ યાત્રામાં 21 પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી અનુસાર યાત્રાના સમાપનમાં 12 વિપક્ષી નેતાઓ હાજર રહેશે.


21 પાર્ટીને આપવામાં આવ્યું હતું આમંત્રણ

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. અનેક રાજ્યોમાંથી પસાર થઈ આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં અનેક નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં અનેક પાર્ટીનો સમાવેશ થાય છે. 


આ પક્ષ થઈ શકે છે યાત્રામાં સામેલ 

મળતી માહિતી અનુસાર ડીએમકે, શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આરજેડી. જનતાદળ યુનાઈટેડ, શિવસેના, સીપીઆઈ, કેરળ કોંગ્રેસ , ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સહિતની પાર્ટી આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ધ્વજવંદન કાર્યક્રમ શ્રીનગર ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલય ખાતે સમપન્ન થશે. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાહુલ ગાંધી એક રેલીનું નેતૃત્વ કરશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.