આજે સંપન્ન થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અનેક રાજકીય પક્ષોને આપવામાં આવ્યું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-01-30 10:37:14

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે સમાપ્ત થઈ ચૂકી છે. રવિવારે શ્રીનગર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારત જોડો યાત્રાનું સમાપન થવાનું છે. 12 રાજ્યોમાંથી તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ છે. ભારત જોડો યાત્રાનું સમાપન શ્રીનગર ખાતે થશે. આ યાત્રામાં 21 પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી અનુસાર યાત્રાના સમાપનમાં 12 વિપક્ષી નેતાઓ હાજર રહેશે.


21 પાર્ટીને આપવામાં આવ્યું હતું આમંત્રણ

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. અનેક રાજ્યોમાંથી પસાર થઈ આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં અનેક નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં અનેક પાર્ટીનો સમાવેશ થાય છે. 


આ પક્ષ થઈ શકે છે યાત્રામાં સામેલ 

મળતી માહિતી અનુસાર ડીએમકે, શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આરજેડી. જનતાદળ યુનાઈટેડ, શિવસેના, સીપીઆઈ, કેરળ કોંગ્રેસ , ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સહિતની પાર્ટી આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ધ્વજવંદન કાર્યક્રમ શ્રીનગર ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલય ખાતે સમપન્ન થશે. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાહુલ ગાંધી એક રેલીનું નેતૃત્વ કરશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.