આજે સંપન્ન થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, અનેક રાજકીય પક્ષોને આપવામાં આવ્યું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-01-30 10:37:14

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રવિવારે સમાપ્ત થઈ ચૂકી છે. રવિવારે શ્રીનગર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ભારત જોડો યાત્રાનું સમાપન થવાનું છે. 12 રાજ્યોમાંથી તેમજ કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ છે. ભારત જોડો યાત્રાનું સમાપન શ્રીનગર ખાતે થશે. આ યાત્રામાં 21 પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી અનુસાર યાત્રાના સમાપનમાં 12 વિપક્ષી નેતાઓ હાજર રહેશે.


21 પાર્ટીને આપવામાં આવ્યું હતું આમંત્રણ

કન્યાકુમારીથી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત કરી છે. અનેક રાજ્યોમાંથી પસાર થઈ આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પહોંચી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રામાં અનેક નેતાઓએ હાજરી આપી હતી. યાત્રાના અંતિમ દિવસે 21 પાર્ટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં અનેક પાર્ટીનો સમાવેશ થાય છે. 


આ પક્ષ થઈ શકે છે યાત્રામાં સામેલ 

મળતી માહિતી અનુસાર ડીએમકે, શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, આરજેડી. જનતાદળ યુનાઈટેડ, શિવસેના, સીપીઆઈ, કેરળ કોંગ્રેસ , ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી સહિતની પાર્ટી આ યાત્રાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ધ્વજવંદન કાર્યક્રમ શ્રીનગર ખાતે આવેલી કોંગ્રેસના કાર્યાલય ખાતે સમપન્ન થશે. શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં રાહુલ ગાંધી એક રેલીનું નેતૃત્વ કરશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.