જમ્મુના નરવાલથી પસાર થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, થોડા દિવસો પહેલા ત્યાં થયા હતા બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-23 09:38:58

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન છે. આજે આ યાત્રા જમ્મુના જિલ્લામાં પ્રવેશ કરવાની છે. સાંબા જિલ્લાના વિજયપુરથી શરૂ થયેલી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી જમ્મુના સતવારી વિસ્તારમાં એક  જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રા જમ્મુના નરવાલ વિસ્તારથી પણ પસાર થવાની છે જ્યાં શનિવારે બોમ્બ ધડાકા થયા હતા. ઉપરાંત સિદ્ધરા વિસ્તારમાં રાતવાસો કરવાના છે.

 

નરવાલથી પસાર થશે ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થવાની છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનો અંતિમ દિવસ છે. આજે આ યાત્રા જમ્મુ જિલ્લામાં પ્રવેશ કરવાની છે. ત્યારે આ યાત્રાએ વિસ્તારમાંથી પસાર થવાની છે જ્યાં શનિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંઘીની સુરક્ષા સાથે કોઈ સમજોતો નહીં કરવામાં આવે. સુરક્ષા એજન્સી જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પાલન કરવામાં આવશે. 


30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા 

ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આ યાત્રા જમ્મુ-કાશ્મીર ખાતે સમાપ્ત થવાની છે. યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરના પાર્ટી મુખ્યાલય ખાતે ધ્વજારોહણ કરી આ યાત્રાની સમાપતી થવાની છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાથી પસાર થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા હોવાને કારણે સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.