જમ્મુના નરવાલથી પસાર થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, થોડા દિવસો પહેલા ત્યાં થયા હતા બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-23 09:38:58

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન છે. આજે આ યાત્રા જમ્મુના જિલ્લામાં પ્રવેશ કરવાની છે. સાંબા જિલ્લાના વિજયપુરથી શરૂ થયેલી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી જમ્મુના સતવારી વિસ્તારમાં એક  જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રા જમ્મુના નરવાલ વિસ્તારથી પણ પસાર થવાની છે જ્યાં શનિવારે બોમ્બ ધડાકા થયા હતા. ઉપરાંત સિદ્ધરા વિસ્તારમાં રાતવાસો કરવાના છે.

 

નરવાલથી પસાર થશે ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થવાની છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનો અંતિમ દિવસ છે. આજે આ યાત્રા જમ્મુ જિલ્લામાં પ્રવેશ કરવાની છે. ત્યારે આ યાત્રાએ વિસ્તારમાંથી પસાર થવાની છે જ્યાં શનિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંઘીની સુરક્ષા સાથે કોઈ સમજોતો નહીં કરવામાં આવે. સુરક્ષા એજન્સી જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પાલન કરવામાં આવશે. 


30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા 

ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આ યાત્રા જમ્મુ-કાશ્મીર ખાતે સમાપ્ત થવાની છે. યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરના પાર્ટી મુખ્યાલય ખાતે ધ્વજારોહણ કરી આ યાત્રાની સમાપતી થવાની છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાથી પસાર થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા હોવાને કારણે સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.