જમ્મુના નરવાલથી પસાર થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, થોડા દિવસો પહેલા ત્યાં થયા હતા બ્લાસ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-23 09:38:58

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીર પહોંચી છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન છે. આજે આ યાત્રા જમ્મુના જિલ્લામાં પ્રવેશ કરવાની છે. સાંબા જિલ્લાના વિજયપુરથી શરૂ થયેલી યાત્રા જમ્મુમાં પ્રવેશ કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી જમ્મુના સતવારી વિસ્તારમાં એક  જનસભાને સંબોધવાના છે. રાહુલ ગાંધીની આ યાત્રા જમ્મુના નરવાલ વિસ્તારથી પણ પસાર થવાની છે જ્યાં શનિવારે બોમ્બ ધડાકા થયા હતા. ઉપરાંત સિદ્ધરા વિસ્તારમાં રાતવાસો કરવાના છે.

 

નરવાલથી પસાર થશે ભારત જોડો યાત્રા 

કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થવાની છે. 30 જાન્યુઆરીએ આ યાત્રાનો અંતિમ દિવસ છે. આજે આ યાત્રા જમ્મુ જિલ્લામાં પ્રવેશ કરવાની છે. ત્યારે આ યાત્રાએ વિસ્તારમાંથી પસાર થવાની છે જ્યાં શનિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે રાહુલ ગાંઘીની સુરક્ષા સાથે કોઈ સમજોતો નહીં કરવામાં આવે. સુરક્ષા એજન્સી જે પ્રમાણે કહેશે તે પ્રમાણે પાલન કરવામાં આવશે. 


30 જાન્યુઆરીએ સમાપ્ત થશે ભારત જોડો યાત્રા 

ભારત જોડો યાત્રા દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈ છે. આ યાત્રાને સારૂ જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે આ યાત્રા જમ્મુ-કાશ્મીર ખાતે સમાપ્ત થવાની છે. યાત્રા પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. 30 જાન્યુઆરીએ શ્રીનગરના પાર્ટી મુખ્યાલય ખાતે ધ્વજારોહણ કરી આ યાત્રાની સમાપતી થવાની છે. આ યાત્રા 12 રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાથી પસાર થઈ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આ યાત્રા હોવાને કારણે સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.